ઈમરાન ખાનને આવતી કાલ સુધી મળી રાહત, લાહોર હાઇકોર્ટે ધરપકડ રોકવાનો પોલીસને કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-15 21:04:48

પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટે બુધવારે ઇમરાન ખાનને ગુરુવાર સુધી તેમના ઘરની બહાર કાર્યવાહી રોકવાનો આદેશ આપીને કામચલાઉ રાહત આપી છે. ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ મંગળવારે લાહોર હાઇકોર્ટમાં પોલીસ કાર્યવાહીને પડકારી હતી અને કોર્ટને વિનંતી કરી હતી કે તે સરકારને તેનો અંત લાવવાનો નિર્દેશ આપે. બુધવારે, લાહોર હાઈકોર્ટ (LHC) એ પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીની અરજી પર પંજાબના ઈન્સ્પેક્ટર જનરલ, ચીફ સેક્રેટરી અને ઈસ્લામાબાદ પોલીસ (ઓપરેશન્સ)ના વડાને બોલાવ્યા પછી પોલીસે ઓપરેશન બંધ કર્યું હતું. હવે આ મામલે આવતીકાલે સવારે 10 વાગ્યે સુનાવણી થશે.


કોર્ટમાં પંજાબ પ્રાંતના DIG રહ્યા હાજર


ફવાદ ચૌધરીએ કોર્ટ પાસે લાહોરના જમાન પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરની બહાર પોલીસ ઓપરેશન રોકવાનો આદેશ માંગ્યો હતો. લાહોર હાઈકોર્ટના એક અધિકારીએ કહ્યું, "પંજાબ પ્રાંતના DIG ડો. ઉસ્માન અનવર કોર્ટમાં હાજર થયા અને કહ્યું કે પોલીસે આ ઓપરેશન શરૂ કરવું પડ્યું કારણ કે તોશાખાના ભેટ કેસમાં ઈસ્લામાબાદ પોલીસ ઈમરાન ખાન માટે ધરપકડ વોરંટ લાવી હતી. " અમારે કાયદા હેઠળ આ આદેશનો અમલ કરવાનો હતો. તેમણે કહ્યું કે પીટીઆઈ કાર્યકર્તાઓ સાથેની અથડામણમાં લગભગ 59 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.


PTIના સમર્થકોએ ઉજવણી કરી 


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા લાહોરના જમાન પાર્ક પહોંચેલી પોલીસને PTIના સમર્થકોના ભારે વિરોધને કારણે ધરપકડ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.  લાહોર હાઇકોર્ટનો આદેશ આવ્યા બાદ બુધવારે પોલીકર્મીઓ પરત ફર્યા ત્યાર  પછી PTI સમર્થકોએ ઝમાન પાર્કની બહાર ઉજવણી કરી હતી.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.