ઈમરાન ખાનને આવતી કાલ સુધી મળી રાહત, લાહોર હાઇકોર્ટે ધરપકડ રોકવાનો પોલીસને કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-15 21:04:48

પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટે બુધવારે ઇમરાન ખાનને ગુરુવાર સુધી તેમના ઘરની બહાર કાર્યવાહી રોકવાનો આદેશ આપીને કામચલાઉ રાહત આપી છે. ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ મંગળવારે લાહોર હાઇકોર્ટમાં પોલીસ કાર્યવાહીને પડકારી હતી અને કોર્ટને વિનંતી કરી હતી કે તે સરકારને તેનો અંત લાવવાનો નિર્દેશ આપે. બુધવારે, લાહોર હાઈકોર્ટ (LHC) એ પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીની અરજી પર પંજાબના ઈન્સ્પેક્ટર જનરલ, ચીફ સેક્રેટરી અને ઈસ્લામાબાદ પોલીસ (ઓપરેશન્સ)ના વડાને બોલાવ્યા પછી પોલીસે ઓપરેશન બંધ કર્યું હતું. હવે આ મામલે આવતીકાલે સવારે 10 વાગ્યે સુનાવણી થશે.


કોર્ટમાં પંજાબ પ્રાંતના DIG રહ્યા હાજર


ફવાદ ચૌધરીએ કોર્ટ પાસે લાહોરના જમાન પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરની બહાર પોલીસ ઓપરેશન રોકવાનો આદેશ માંગ્યો હતો. લાહોર હાઈકોર્ટના એક અધિકારીએ કહ્યું, "પંજાબ પ્રાંતના DIG ડો. ઉસ્માન અનવર કોર્ટમાં હાજર થયા અને કહ્યું કે પોલીસે આ ઓપરેશન શરૂ કરવું પડ્યું કારણ કે તોશાખાના ભેટ કેસમાં ઈસ્લામાબાદ પોલીસ ઈમરાન ખાન માટે ધરપકડ વોરંટ લાવી હતી. " અમારે કાયદા હેઠળ આ આદેશનો અમલ કરવાનો હતો. તેમણે કહ્યું કે પીટીઆઈ કાર્યકર્તાઓ સાથેની અથડામણમાં લગભગ 59 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.


PTIના સમર્થકોએ ઉજવણી કરી 


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા લાહોરના જમાન પાર્ક પહોંચેલી પોલીસને PTIના સમર્થકોના ભારે વિરોધને કારણે ધરપકડ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.  લાહોર હાઇકોર્ટનો આદેશ આવ્યા બાદ બુધવારે પોલીકર્મીઓ પરત ફર્યા ત્યાર  પછી PTI સમર્થકોએ ઝમાન પાર્કની બહાર ઉજવણી કરી હતી.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.