ઈમરાન ખાનને આવતી કાલ સુધી મળી રાહત, લાહોર હાઇકોર્ટે ધરપકડ રોકવાનો પોલીસને કર્યો આદેશ


  • Published By :
  • Published Date : 2023-03-15 21:04:48

પાકિસ્તાનની લાહોર હાઇકોર્ટે બુધવારે ઇમરાન ખાનને ગુરુવાર સુધી તેમના ઘરની બહાર કાર્યવાહી રોકવાનો આદેશ આપીને કામચલાઉ રાહત આપી છે. ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીએ મંગળવારે લાહોર હાઇકોર્ટમાં પોલીસ કાર્યવાહીને પડકારી હતી અને કોર્ટને વિનંતી કરી હતી કે તે સરકારને તેનો અંત લાવવાનો નિર્દેશ આપે. બુધવારે, લાહોર હાઈકોર્ટ (LHC) એ પીટીઆઈ નેતા ફવાદ ચૌધરીની અરજી પર પંજાબના ઈન્સ્પેક્ટર જનરલ, ચીફ સેક્રેટરી અને ઈસ્લામાબાદ પોલીસ (ઓપરેશન્સ)ના વડાને બોલાવ્યા પછી પોલીસે ઓપરેશન બંધ કર્યું હતું. હવે આ મામલે આવતીકાલે સવારે 10 વાગ્યે સુનાવણી થશે.


કોર્ટમાં પંજાબ પ્રાંતના DIG રહ્યા હાજર


ફવાદ ચૌધરીએ કોર્ટ પાસે લાહોરના જમાન પાર્ક સ્થિત ઈમરાન ખાનના ઘરની બહાર પોલીસ ઓપરેશન રોકવાનો આદેશ માંગ્યો હતો. લાહોર હાઈકોર્ટના એક અધિકારીએ કહ્યું, "પંજાબ પ્રાંતના DIG ડો. ઉસ્માન અનવર કોર્ટમાં હાજર થયા અને કહ્યું કે પોલીસે આ ઓપરેશન શરૂ કરવું પડ્યું કારણ કે તોશાખાના ભેટ કેસમાં ઈસ્લામાબાદ પોલીસ ઈમરાન ખાન માટે ધરપકડ વોરંટ લાવી હતી. " અમારે કાયદા હેઠળ આ આદેશનો અમલ કરવાનો હતો. તેમણે કહ્યું કે પીટીઆઈ કાર્યકર્તાઓ સાથેની અથડામણમાં લગભગ 59 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.


PTIના સમર્થકોએ ઉજવણી કરી 


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ કરવા લાહોરના જમાન પાર્ક પહોંચેલી પોલીસને PTIના સમર્થકોના ભારે વિરોધને કારણે ધરપકડ કર્યા વગર જ પરત ફરવું પડ્યું હતું.  લાહોર હાઇકોર્ટનો આદેશ આવ્યા બાદ બુધવારે પોલીકર્મીઓ પરત ફર્યા ત્યાર  પછી PTI સમર્થકોએ ઝમાન પાર્કની બહાર ઉજવણી કરી હતી.



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?