ઇમરાન ખાન સૌથી મોટા 'નૌટંકીબાજ',અભિનયમાં શાહરૂખ અને સલમાનને પાછળ છોડી દીધા: મૌલાના ફઝલુર રહેમાન


  • Published By :
  • Published Date : 2022-11-07 14:42:21


પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર ફાયરિંગ રાજકારણ ગરમાયું છે. રાજનેતાઓ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ કરી રહ્યા છે.  પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી મનાતી જમીયત ઉલેમાના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને ઈસ્લામાબાદમાં PTIના નેતા ઈમરાન ખાનના લોંગ માર્ચને નિષ્ફળ ગણાવી  હતી. અને ઈમરાનને 'નૌટંકીબાજ' કહીંને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.


ઈમરાન ખાન પર હુમલો પીટીઆઈનું નાટક 


પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફઝલુર રહેમાને કહ્યું કે જ્યારે અમને સમાચાર મળ્યા કે તેમના પર ફાયરિગ થયું છે ત્યારે અમને ખુબ આઘાત લાગ્યો હતો અને તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ પ્રગટ કરી હતી. પરતું હવે એવું લાગે છે કે આ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા રચવામાં આવેલું એક નાટક હતું. ઈમરાન ખાન તો એક્ટિંગમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનને પણ પાછળ છોડી દીધા છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે