ઇમરાન ખાન સૌથી મોટા 'નૌટંકીબાજ',અભિનયમાં શાહરૂખ અને સલમાનને પાછળ છોડી દીધા: મૌલાના ફઝલુર રહેમાન


  • Published By :
  • Published Date : 2022-11-07 14:42:21


પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર ફાયરિંગ રાજકારણ ગરમાયું છે. રાજનેતાઓ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ કરી રહ્યા છે.  પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી મનાતી જમીયત ઉલેમાના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને ઈસ્લામાબાદમાં PTIના નેતા ઈમરાન ખાનના લોંગ માર્ચને નિષ્ફળ ગણાવી  હતી. અને ઈમરાનને 'નૌટંકીબાજ' કહીંને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.


ઈમરાન ખાન પર હુમલો પીટીઆઈનું નાટક 


પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફઝલુર રહેમાને કહ્યું કે જ્યારે અમને સમાચાર મળ્યા કે તેમના પર ફાયરિગ થયું છે ત્યારે અમને ખુબ આઘાત લાગ્યો હતો અને તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ પ્રગટ કરી હતી. પરતું હવે એવું લાગે છે કે આ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા રચવામાં આવેલું એક નાટક હતું. ઈમરાન ખાન તો એક્ટિંગમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનને પણ પાછળ છોડી દીધા છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.