ઇમરાન ખાન સૌથી મોટા 'નૌટંકીબાજ',અભિનયમાં શાહરૂખ અને સલમાનને પાછળ છોડી દીધા: મૌલાના ફઝલુર રહેમાન


  • Published By :
  • Published Date : 2022-11-07 14:42:21


પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર ફાયરિંગ રાજકારણ ગરમાયું છે. રાજનેતાઓ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ કરી રહ્યા છે.  પાકિસ્તાનની ધાર્મિક પાર્ટી મનાતી જમીયત ઉલેમાના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને ઈસ્લામાબાદમાં PTIના નેતા ઈમરાન ખાનના લોંગ માર્ચને નિષ્ફળ ગણાવી  હતી. અને ઈમરાનને 'નૌટંકીબાજ' કહીંને તેમના પર આકરા પ્રહારો કર્યા હતા.


ઈમરાન ખાન પર હુમલો પીટીઆઈનું નાટક 


પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ફઝલુર રહેમાને કહ્યું કે જ્યારે અમને સમાચાર મળ્યા કે તેમના પર ફાયરિગ થયું છે ત્યારે અમને ખુબ આઘાત લાગ્યો હતો અને તેમના પ્રત્યે સહાનુભૂતિ પણ પ્રગટ કરી હતી. પરતું હવે એવું લાગે છે કે આ ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ દ્વારા રચવામાં આવેલું એક નાટક હતું. ઈમરાન ખાન તો એક્ટિંગમાં શાહરૂખ ખાન અને સલમાન ખાનને પણ પાછળ છોડી દીધા છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .