ધરપકડના ભયથી ઈમરાન ખાન લાહોરથી ફરાર, પોલીસે માર્ગો કર્યા બ્લોક, જાણો શું છે કેસ


  • Published By :
  • Published Date : 2023-03-05 15:17:41

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલી વધી છે,  તોશાખાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવા ઈસ્લામાબાદ પોલીસ તેમના ઘરે પહોંચી ગઈ છે. લાહોરના જમાન પાર્કમાં ઈમરાન ખાનના ઘરે ઈસ્લામાબાદ પોલીસની એક ટીમ હાજર છે. જોકે, પોલીસને ઈમરાન ખાન ક્યાંય મળ્યા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે 28 ફેબ્રુઆરીએ ઈસ્લામાબાદના એડિશનલ સેશન જજ ઝફર ઈકબાલે ઈમરાન ખાન વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. તોશાખાના કેસમાં તેની ધરપકડ કરવામાં આવી રહી છે.


ઈમરાન ખાન પર આરોપ શું છે?


ઈમરાન ખાન પર આરોપ છે કે તેમણે વિદેશથી મળેલી ભેટને સરકારી તિજોરીમાં જમા ન કરાવી અને તેનો ઉપયોગ પોતાના ઉપયોગ માટે કર્યો અને ત્યાર બાદ તે બહુકિમતી ચીજોને બજારમાં વેચી દીધી હતી. આ કેસમાં પાકિસ્તાનના ચૂંટણી પંચે પણ ઈમરાન ખાનને ગેરલાયક ઠેરવ્યા છે.


પોલીસે શું કહ્યું?


પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યું કે જ્યારે એસપી તેમના રૂમમાં પહોંચ્યા ત્યારે ઇમરાન ત્યાં હાજર નહોતાં. પોલીસનો આરોપ છે કે તેઓ ધરપકડથી બચવાની કોશિશ કરી રહ્યા છે. પાકિસ્તાન મીડિયાના જણાવ્યા પ્રમાણે, પોલીસના અધિકારી ઇમરાનના ઘરે જ હાજર છે. પાકિસ્તાન પોલીસ રવિવારે તોશાખાના મામલે પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ કરવા તેમના ઘરે પહોંચી છે.


PTIએ આપી ચેતવણી


ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન-તહરીક-એ-ઇન્સાફ(PTI)ના વાઇસ ચેરમેન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે પોલીસની નોટિસમાં ઇમરાનની ધરપકડનો ઉલ્લેખ નથી. ઇમરાન પોતાની લીગલ ટીમ સાથે 2.30 વાગ્યે બેઠક કરશે. ત્યાર બાદ આગળની રણનીતિ અંગે જણાવશે. દરમિયાન PTIના નેતા અને ઇમરાનની સરકારમાં જે મંત્રી રહેલાં ફવાદ ચોધરીએ પાર્ટીના કાર્યકર્તાઓને એકઠા થવા માટે કહ્યું. તેમણે કહ્યું કે જો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે તો દેશમાં અરાજકતા ફેલાઇ શકે છે. ફવાદ ચોધરીએ વધુમાં કહ્યું જો ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવશે તો પાકિસ્તાનમાં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવશે. ઇમરાન વિરૂદ્ધ 74 કેસ નોંધવામાં આવ્યા છે. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.