અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા આપવામાં કર્યો ધરખમ ઘટાડો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 12:11:14

સમગ્ર વિશ્વમાંથી મોટાપાયે  વિદ્યાર્થીઓ યુએસની યુનિવર્સિટીઓમાં ભણવા જતા હોય છે . પરંતુ હવે જે આંકડાકીય માહિતી સામે આવી છે તે ખુબ ચોંકાવનારી છે એકલા ૨૦૨૪ના વર્ષમાં યુએસએ ૪૧ ટકા જેટલા સ્ટુડન્ટ વિઝા એટલેકે F -1 વિઝા રિજેક્ટ કરી  ચૂક્યું છે . એટલુંજ નહિ બીજા દેશો જેમ કે  કેનેડા અને બ્રિટેને પણ સ્ટુડન્ટ વિઝા પ્રત્યે આકરું વલણ અપનાવ્યું છે .  અમેરિકાનું સ્ટેટ બ્યુરો ઓફ કોસ્યુલર ડિપાર્ટમન્ટ કે જેણે હમણાં એક ડેટા રિલીઝ કર્યો હતો તે મુજબ ઓક્ટોબર ૨૦૨૩થી લઇને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી ૪૧ ટકા સ્ટુડન્ટ વિઝા કેન્સલ કર્યા છે . ૨૦૧૪ કરતા આ રિજેકશન રેટ લગભગ હવે ડબલ થઇ ચુક્યો છે . જોકે આ રિપોર્ટમાં અલગ અલગ દેશોની યાદી અનુસાર ડેટા આપવામાં આવ્યો નથી એટલેકે , આપણને ખબર નઈ પડે કે કેટલા ભારતીયોના વિઝા કેન્સલ થયા હતા . યુએસમાં નાણાકીય વર્ષ ઓક્ટોબર ૧લી તારીખથી સપ્ટેમ્બરની ૩૦મી તારીખનું હોય છે. ૨૦૨૩-૨૦૨૪ના નાણાકીય વર્ષ દરમ્યાન ૬.૭૯ લાખ સ્ટુડન્ટ વિઝાની અરજીઓમાંથી ૨.૭૯ લાખ એટલેકે ૪૧ ટકા રિજેક્ટ કરવામાં આવી છે . 

F-1 student visa 101: your key to studying in the USA

૨૦૨૨-૨૦૨૩માં સ્ટુડન્ટ વિઝા રિજેકશનનો દર ૩૬ ટકા હતો . જોકે હવે સ્ટુડન્ટ વિઝાનો જે આટલો મોટો રિજેક્શનનો દર છે તેના લીધે એપ્લિકેશનમાં જ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.  વાત કરીએ કોવીડ પછીના સમયની , ૨૦૨૧માં ૨૦ ટકા , ૨૦૨૨માં ૩૫ ટકા F -1 વિઝા રિજેક્ટ થયા હતા. વાત કરીએ આ F - 1 વિઝાની તો આ એક નોન ઇમિગ્રન્ટ કેટેગરીના સ્ટુડન્ટ વિઝા છે . જો તમારે અમેરિકામાં કોઈ પણ યુનિવર્સીટીમાં અભ્યાસ કરવો હોય તો આ વિઝા આવશ્યક છે . જયારે M -1 વિઝા માત્ર વોકેશનલ અને નોન એકેડમિક પ્રોગ્રામ માટે અપાય છે.  દર વર્ષે કુલ સ્ટુડન્ટ વિઝાની કેટેગરીમાં ૯૦ ટકા વિઝા F -1 વિઝા હોય છે.   અમેરિકામાં F -1 વિઝા એપ્લિકેશનમાં મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ એપ્લાઇ કરે છે. આ ઉપરાંત , અમેરિકાની એક સંસ્થા ઓપન ડોર ૨૦૨૪ના રિપોર્ટ અનુસાર , ૨૦૨૩-૨૦૨૪માં ભારતીયોની સંખ્યા ચાઈનીઝ સ્ટુડન્ટસ કરતા વધી ગઈ છે . યુએસમાં કુલ F -1 વિઝા ધારકોમાં ૨૯ ટકા એકલા ભારતીયો છે. આ રિપોર્ટ અનુસાર ૨૦૨૩-૨૦૨૪માં ૩.૩૧ લાખ જેટલા ભારતીય સ્ટુડન્ટ અમેરિકામાં હતા . આ F - 1 વિઝામાં ખુબ મોટાપાયે રિજેક્શન ત્યારે સામે આવ્યું છે જયારે બીજા દેશો પણ સ્ટુડન્ટ વિઝા આપવા પર લિમિટ નક્કી કરી રહ્યા છે . દાખલ તરીકે , કેનેડાએ ૨૦૨૪માં જ જાહેર કર્યું હતું કે તે સ્ટુડન્ટ વિઝા આપવામાં કેપ એટલેકે , નિયંત્રણ મુકશે . વાત કરીએ યુકેની તો , જ્યાં ભારતીય સ્ટુડન્ટો બીજા નંબરે સૌથી વધારે જાય છે તેમણે પણ સ્ટુડન્ટ વિઝા આપવા પર નિયંત્રણ મુક્યા છે . આના કારણે બ્રિટિશ યુનિવર્સીટીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે . 

F1 Student Insurance | F1 Visa Insurance

તો આંતરરાષ્ટ્રીય સમાચારો માટે જોતા રહો જમાવટ.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.