અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા આપવામાં કર્યો ધરખમ ઘટાડો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 12:11:14

સમગ્ર વિશ્વમાંથી મોટાપાયે  વિદ્યાર્થીઓ યુએસની યુનિવર્સિટીઓમાં ભણવા જતા હોય છે . પરંતુ હવે જે આંકડાકીય માહિતી સામે આવી છે તે ખુબ ચોંકાવનારી છે એકલા ૨૦૨૪ના વર્ષમાં યુએસએ ૪૧ ટકા જેટલા સ્ટુડન્ટ વિઝા એટલેકે F -1 વિઝા રિજેક્ટ કરી  ચૂક્યું છે . એટલુંજ નહિ બીજા દેશો જેમ કે  કેનેડા અને બ્રિટેને પણ સ્ટુડન્ટ વિઝા પ્રત્યે આકરું વલણ અપનાવ્યું છે .  અમેરિકાનું સ્ટેટ બ્યુરો ઓફ કોસ્યુલર ડિપાર્ટમન્ટ કે જેણે હમણાં એક ડેટા રિલીઝ કર્યો હતો તે મુજબ ઓક્ટોબર ૨૦૨૩થી લઇને સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી ૪૧ ટકા સ્ટુડન્ટ વિઝા કેન્સલ કર્યા છે . ૨૦૧૪ કરતા આ રિજેકશન રેટ લગભગ હવે ડબલ થઇ ચુક્યો છે . જોકે આ રિપોર્ટમાં અલગ અલગ દેશોની યાદી અનુસાર ડેટા આપવામાં આવ્યો નથી એટલેકે , આપણને ખબર નઈ પડે કે કેટલા ભારતીયોના વિઝા કેન્સલ થયા હતા . યુએસમાં નાણાકીય વર્ષ ઓક્ટોબર ૧લી તારીખથી સપ્ટેમ્બરની ૩૦મી તારીખનું હોય છે. ૨૦૨૩-૨૦૨૪ના નાણાકીય વર્ષ દરમ્યાન ૬.૭૯ લાખ સ્ટુડન્ટ વિઝાની અરજીઓમાંથી ૨.૭૯ લાખ એટલેકે ૪૧ ટકા રિજેક્ટ કરવામાં આવી છે . 

F-1 student visa 101: your key to studying in the USA

૨૦૨૨-૨૦૨૩માં સ્ટુડન્ટ વિઝા રિજેકશનનો દર ૩૬ ટકા હતો . જોકે હવે સ્ટુડન્ટ વિઝાનો જે આટલો મોટો રિજેક્શનનો દર છે તેના લીધે એપ્લિકેશનમાં જ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.  વાત કરીએ કોવીડ પછીના સમયની , ૨૦૨૧માં ૨૦ ટકા , ૨૦૨૨માં ૩૫ ટકા F -1 વિઝા રિજેક્ટ થયા હતા. વાત કરીએ આ F - 1 વિઝાની તો આ એક નોન ઇમિગ્રન્ટ કેટેગરીના સ્ટુડન્ટ વિઝા છે . જો તમારે અમેરિકામાં કોઈ પણ યુનિવર્સીટીમાં અભ્યાસ કરવો હોય તો આ વિઝા આવશ્યક છે . જયારે M -1 વિઝા માત્ર વોકેશનલ અને નોન એકેડમિક પ્રોગ્રામ માટે અપાય છે.  દર વર્ષે કુલ સ્ટુડન્ટ વિઝાની કેટેગરીમાં ૯૦ ટકા વિઝા F -1 વિઝા હોય છે.   અમેરિકામાં F -1 વિઝા એપ્લિકેશનમાં મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ એપ્લાઇ કરે છે. આ ઉપરાંત , અમેરિકાની એક સંસ્થા ઓપન ડોર ૨૦૨૪ના રિપોર્ટ અનુસાર , ૨૦૨૩-૨૦૨૪માં ભારતીયોની સંખ્યા ચાઈનીઝ સ્ટુડન્ટસ કરતા વધી ગઈ છે . યુએસમાં કુલ F -1 વિઝા ધારકોમાં ૨૯ ટકા એકલા ભારતીયો છે. આ રિપોર્ટ અનુસાર ૨૦૨૩-૨૦૨૪માં ૩.૩૧ લાખ જેટલા ભારતીય સ્ટુડન્ટ અમેરિકામાં હતા . આ F - 1 વિઝામાં ખુબ મોટાપાયે રિજેક્શન ત્યારે સામે આવ્યું છે જયારે બીજા દેશો પણ સ્ટુડન્ટ વિઝા આપવા પર લિમિટ નક્કી કરી રહ્યા છે . દાખલ તરીકે , કેનેડાએ ૨૦૨૪માં જ જાહેર કર્યું હતું કે તે સ્ટુડન્ટ વિઝા આપવામાં કેપ એટલેકે , નિયંત્રણ મુકશે . વાત કરીએ યુકેની તો , જ્યાં ભારતીય સ્ટુડન્ટો બીજા નંબરે સૌથી વધારે જાય છે તેમણે પણ સ્ટુડન્ટ વિઝા આપવા પર નિયંત્રણ મુક્યા છે . આના કારણે બ્રિટિશ યુનિવર્સીટીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ૪૦ ટકાનો ઘટાડો નોંધાયો છે . 

F1 Student Insurance | F1 Visa Insurance

તો આંતરરાષ્ટ્રીય સમાચારો માટે જોતા રહો જમાવટ.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.