Americaમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિર પર ફરી કર્યો હુમલો, તોડફોડ કર્યા બાદ દીવાલો પર PM Modi માટે લખ્યું - "મોદી..."


  • Published By :
  • Published Date : 2024-01-05 10:27:18

કેલિફોર્નિયામાં ફરી એક વખત હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ખાલિસ્તાન સમર્થકોએ અમેરિકાના કૈલિફોર્નિયાના એક મંદિર પર હુમલો કર્યો છે. મંદિરના બોર્ડ પર કાળા રંગથી લખવામાં આવ્યું કે મોદી આતંકવાદી છે, ખાલિસ્તાન જિંદાબાદ... હિંદુ મંદિર પર ભારત વિરોધી ગ્રેફિટીથી હુમલો કરવામાં આવ્યો છે. વિજયના શેરાવલી મંદિરની બહાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. 



હિંદુ મંદિરમાં કરાઈ તોડફોડ 

ઘણા સમયથી હિંદુ મંદિરોને ખાલિસ્તાનીઓ નિશાન બનાવી રહ્યા છે. તોડફોડ કરી મંદિરની દિવાલો બહાર સૂત્રો લખવામાં આવે છે. ત્યારે ફરી એક વખત ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરમાં તોડફોડ કરી છે. શેરાવલી મંદિર કેલિફોર્નિયાના હેવર્ડ શહેરમાં છે. જે વિસ્તારમાં આ મંદિર આવેલું છે તે જ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પણ છે, જ્યાં બે અઠવાડિયા પહેલા ખાલિસ્તાન સમર્થકોએ આવી જ ગ્રેફિટી બનાવી હતી. આ ઘટના અંગેની તસવીરો હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) દ્વારા શેર કરવામાં આવી છે.  

california temple khalistan graffiti

મંદિરોમાં સુરક્ષા અંગે કરવામાં આવી વાત!

આ ઘટનાની માહિતી HAF એ પોતાની પોસ્ટમાં આપી છે. એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે તે આ ઘટના અંગે પોલીસના સંપર્કમાં છે. ખાલિસ્તાન સમર્થકો અને હિંદુ વિરોધી તત્વોના વધતા ખતરાને જોતા તેમણે મંદિરોની સુરક્ષા માટે કેમેરા અને એલાર્મ સિસ્ટમ લગાવવા પણ કહ્યું છે. મહત્વનું છે કે આ પહેલી વાર નથી જ્યારે હિંદુ મંદિરો પર હુમલો થયો હોય. વિદેશની ધરતી પર અનેક વખત હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવે છે તેવા સમાચારો અવાર-નવાર સામે આવી રહ્યા છે. 

 

ભારત વિરૂદ્ધ લખ્યા સૂત્ર!

ઉલ્લેખનિય છે કે બે અઠવાડિયા પહેલા જ એટલે કે 23 ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં આવેલા એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી હતી. દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા હતા. આ વખતે પણ મંદિરમાં તોડફોડ કર્યા બાદ પીએમ મોદી વિરૂદ્ધ  સૂત્રો લખવામાં આવ્યા હતા.     



IMF એટલેકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કે જેણે પાકિસ્તાનને $ 1 બિલિયન ડોલરની સહાયની જાહેરાત કરી છે. આ માટે થોડાક સમય અગાઉ IMFની બોર્ડની મિટિંગ મળી હતી . ભારતે IMFની બોર્ડ મિટિંગમાં આ સહાયની સામે ખુબ મજબૂત રીતે વિરોધ નોંધાવ્યો છે સાથે જ નિર્ણયની સામે મજબૂત રીતે ડિસેન્ટ એટલેકે , અસંતોષ નોંધાવ્યો છે. આ ઉપરાંત આપણે જાણીશું કે , દુનિયાના આતંકવાદ તેમાં પણ ખાસ કરીને પશ્ચિમી દેશો એટલે કે યુરોપ અને અમેરિકાના શું ડબલ સ્ટાન્ડર્ડ્સ છે?

થોડાક સમય પેહલા પાકિસ્તાને ભારતના ઘણાબધા શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો . જોકે ભારતે પણ તેનો જવાબ ખુબ મજબૂતાઈથી આપ્યો છે. તો આ બાજુ નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારમાં બેઠકોનો ધમધમાટ ચાલુ છે. કેન્દ્ર સરકાર સતત સેનાની તૈયારીઓ પર નજર રાખી રહી છે. તો આવો જાણીએ ક્યા મંત્રીઓએ બેઠક યોજી છે?

સમાચાર સામે આવી રહ્યા છે કે , પાકિસ્તાને ઓપરેશન સિંદૂર પછી ભારતના ૧૫ શહેરો પર હુમલાનો પ્રયાસ કર્યો છે . આ હુમલો ગયી કાલે મોડી રાત્રે ભારતના ૧૫ શહેરો પર ડ્રોન અને મિસાઈલ દ્વારા કરવામાં આવ્યો હતો . પાકિસ્તાનના આ નાપાક હુમલાને આપણી એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ દ્વારા નાકામ કરી નાખવામાં આવ્યો છે. તો આવો જાણીએ એસ-૪૦૦ બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ શું છે જેને સુદર્શન ચક્ર પણ કહેવામાં આવે છે.

ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .