Americaમાં ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિર પર ફરી કર્યો હુમલો, તોડફોડ કર્યા બાદ દીવાલો પર PM Modi માટે લખ્યું - "મોદી..."


  • Published By :
  • Published Date : 2024-01-05 10:27:18

કેલિફોર્નિયામાં ફરી એક વખત હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે. ખાલિસ્તાન સમર્થકોએ અમેરિકાના કૈલિફોર્નિયાના એક મંદિર પર હુમલો કર્યો છે. મંદિરના બોર્ડ પર કાળા રંગથી લખવામાં આવ્યું કે મોદી આતંકવાદી છે, ખાલિસ્તાન જિંદાબાદ... હિંદુ મંદિર પર ભારત વિરોધી ગ્રેફિટીથી હુમલો કરવામાં આવ્યો છે. વિજયના શેરાવલી મંદિરની બહાર ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. 



હિંદુ મંદિરમાં કરાઈ તોડફોડ 

ઘણા સમયથી હિંદુ મંદિરોને ખાલિસ્તાનીઓ નિશાન બનાવી રહ્યા છે. તોડફોડ કરી મંદિરની દિવાલો બહાર સૂત્રો લખવામાં આવે છે. ત્યારે ફરી એક વખત ખાલિસ્તાનીઓએ હિંદુ મંદિરમાં તોડફોડ કરી છે. શેરાવલી મંદિર કેલિફોર્નિયાના હેવર્ડ શહેરમાં છે. જે વિસ્તારમાં આ મંદિર આવેલું છે તે જ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પણ છે, જ્યાં બે અઠવાડિયા પહેલા ખાલિસ્તાન સમર્થકોએ આવી જ ગ્રેફિટી બનાવી હતી. આ ઘટના અંગેની તસવીરો હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન (HAF) દ્વારા શેર કરવામાં આવી છે.  

california temple khalistan graffiti

મંદિરોમાં સુરક્ષા અંગે કરવામાં આવી વાત!

આ ઘટનાની માહિતી HAF એ પોતાની પોસ્ટમાં આપી છે. એક પોસ્ટ દ્વારા માહિતી આપી છે કે તે આ ઘટના અંગે પોલીસના સંપર્કમાં છે. ખાલિસ્તાન સમર્થકો અને હિંદુ વિરોધી તત્વોના વધતા ખતરાને જોતા તેમણે મંદિરોની સુરક્ષા માટે કેમેરા અને એલાર્મ સિસ્ટમ લગાવવા પણ કહ્યું છે. મહત્વનું છે કે આ પહેલી વાર નથી જ્યારે હિંદુ મંદિરો પર હુમલો થયો હોય. વિદેશની ધરતી પર અનેક વખત હિંદુ મંદિરમાં તોડફોડ કરવામાં આવે છે તેવા સમાચારો અવાર-નવાર સામે આવી રહ્યા છે. 

 

ભારત વિરૂદ્ધ લખ્યા સૂત્ર!

ઉલ્લેખનિય છે કે બે અઠવાડિયા પહેલા જ એટલે કે 23 ડિસેમ્બરે ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં આવેલા એક હિંદુ મંદિરમાં તોડફોડ કરી હતી. દિવાલો પર ભારત વિરોધી સૂત્રોચ્ચાર લખ્યા હતા. આ વખતે પણ મંદિરમાં તોડફોડ કર્યા બાદ પીએમ મોદી વિરૂદ્ધ  સૂત્રો લખવામાં આવ્યા હતા.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.