આંધ્રપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની જનસભામાં મચી દોડભાગ, 7 કાર્યકરોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-29 13:03:49

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુની બુધવારે એક જનસભા હતી. આ જનસભામાં એટલી બધી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. જનસભામાં ધક્કામુક્કી થવાને કારણે સાત કાર્યકરોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના નેલ્લોર જિલ્લાના કંદુકુરમાં બની હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  

7 કાર્યકરોના થયા મોત 

પાર્ટીના પ્રચાર માટે નેતાઓ રોડ-શો તેમજ સભાઓનું આયોજન કરતા હોય છે. આ સભાઓમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહે છે. પરંતુ અનેક વખત રોડ-શો, જનસભા દરમિયાન નાસભાગ મચી જતી હોય છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. આવી જ નાસભાગ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીની જનસભા દરમિયાન થઈ હતી જેને કારણે 7 લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ગયા છે જ્યારે 6 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Andhra Pradesh: 7 dead after falling into drainage canal at Chandrababu  Naidu's roadshow

સહાય ચૂકવવાની ચંદ્રબાબુ નાયડુએ કરી જાહેરાત 

મળતી માહિતી અનુસાર કંદુકુરૂમાં ચંદ્રબાબુ નાયડુની જનસભા આયોજીત કરવામાં આવી હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો આવી પહોચ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત હોવાને કારણે ધક્કામુકી સર્જાઈ હતી. આ ધક્કામુક્કીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નાસભાગ મચવાને કારણે નાયડુની જનસભાને તાત્કાલિક થોભાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે તેમજ ઈજા પામેલા લોકો માટે ચંદ્રબાબૂ નાયડૂએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત પણ કરી છે.   



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.