આંધ્રપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની જનસભામાં મચી દોડભાગ, 7 કાર્યકરોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-29 13:03:49

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુની બુધવારે એક જનસભા હતી. આ જનસભામાં એટલી બધી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. જનસભામાં ધક્કામુક્કી થવાને કારણે સાત કાર્યકરોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના નેલ્લોર જિલ્લાના કંદુકુરમાં બની હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  

7 કાર્યકરોના થયા મોત 

પાર્ટીના પ્રચાર માટે નેતાઓ રોડ-શો તેમજ સભાઓનું આયોજન કરતા હોય છે. આ સભાઓમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહે છે. પરંતુ અનેક વખત રોડ-શો, જનસભા દરમિયાન નાસભાગ મચી જતી હોય છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. આવી જ નાસભાગ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીની જનસભા દરમિયાન થઈ હતી જેને કારણે 7 લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ગયા છે જ્યારે 6 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Andhra Pradesh: 7 dead after falling into drainage canal at Chandrababu  Naidu's roadshow

સહાય ચૂકવવાની ચંદ્રબાબુ નાયડુએ કરી જાહેરાત 

મળતી માહિતી અનુસાર કંદુકુરૂમાં ચંદ્રબાબુ નાયડુની જનસભા આયોજીત કરવામાં આવી હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો આવી પહોચ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત હોવાને કારણે ધક્કામુકી સર્જાઈ હતી. આ ધક્કામુક્કીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નાસભાગ મચવાને કારણે નાયડુની જનસભાને તાત્કાલિક થોભાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે તેમજ ઈજા પામેલા લોકો માટે ચંદ્રબાબૂ નાયડૂએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત પણ કરી છે.   



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.