આંધ્રપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂની જનસભામાં મચી દોડભાગ, 7 કાર્યકરોના થયા મોત


  • Published By :
  • Published Date : 2022-12-29 13:03:49

આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને તેલગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુની બુધવારે એક જનસભા હતી. આ જનસભામાં એટલી બધી ભીડ એકત્રિત થઈ ગઈ હતી. જનસભામાં ધક્કામુક્કી થવાને કારણે સાત કાર્યકરોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. આ ઘટના નેલ્લોર જિલ્લાના કંદુકુરમાં બની હતી. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

  

7 કાર્યકરોના થયા મોત 

પાર્ટીના પ્રચાર માટે નેતાઓ રોડ-શો તેમજ સભાઓનું આયોજન કરતા હોય છે. આ સભાઓમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહે છે. પરંતુ અનેક વખત રોડ-શો, જનસભા દરમિયાન નાસભાગ મચી જતી હોય છે. જેમાં અનેક લોકો પોતાનો જીવ ગુમાવી દેતા હોય છે. આવી જ નાસભાગ આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીની જનસભા દરમિયાન થઈ હતી જેને કારણે 7 લોકોના મોત અત્યાર સુધીમાં થઈ ગયા છે જ્યારે 6 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Andhra Pradesh: 7 dead after falling into drainage canal at Chandrababu  Naidu's roadshow

સહાય ચૂકવવાની ચંદ્રબાબુ નાયડુએ કરી જાહેરાત 

મળતી માહિતી અનુસાર કંદુકુરૂમાં ચંદ્રબાબુ નાયડુની જનસભા આયોજીત કરવામાં આવી હતી. આ જનસભામાં મોટી સંખ્યામાં લોકો આવી પહોચ્યા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત હોવાને કારણે ધક્કામુકી સર્જાઈ હતી. આ ધક્કામુક્કીમાં 7 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. નાસભાગ મચવાને કારણે નાયડુની જનસભાને તાત્કાલિક થોભાવી દેવામાં આવી હતી. આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકો માટે તેમજ ઈજા પામેલા લોકો માટે ચંદ્રબાબૂ નાયડૂએ શોક વ્યક્ત કર્યો છે. ઉપરાંત મૃતકોના પરિવારને 10 લાખ આપવાની જાહેરાત પણ કરી છે.   



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .