ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીએ ઉઠાવ્યો હિંદુ મંદિરો પર થતા હુમલાનો મુદ્દો! પીએમ મોદીએ કહ્યું ‘ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા સ્વીકાર્ય નથી’


  • Published By :
  • Published Date : 2023-05-24 10:25:05

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. ત્યારે બુધવારે બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો થઈ હતી. અને જે બાત બંને નેતાઓએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થતા હુમલાને લઈ અમારી વચ્ચે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે કોઈપણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું.


ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના લોકોને કર્યા હતા સંબોધિત! 

છેલ્લા ઘણા સમયથી વિદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. મંદિરોની દિવાલો પર આપત્તિજનક વાક્યો પણ લખવામાં આવતા હોય છે. ઓસ્ટ્રેલિયાથી પણ હિન્દુ મંદિરો પર હુમલા થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ વાતની ચર્ચા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં કરી હતી. પીએમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદીએ ભારતીયમૂળના ઓસ્ટ્રેલિયામાં વસતા લોકોને સંબોધિત કર્યા હતા. ત્યારે આજે બંને દેશના નેતાઓએ બેઠક કરી હતી. ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં થતા હુમલાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. 

હિંદુ મંદિરો પર થતાં હુમલાને લઈ પીએમ મોદીએ કરી વાત!

હિન્દુ મંદિરો પર થતાં હુમલા અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે કોઈપણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વધુમાં તેમણે કહ્યું કે મારી અને અલ્બનીજ સાથે છઠ્ઠી મુલાકાત છે. આ સાબિત કરે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ કેટલા ગહેરા છે.

ભારત આવવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમને આપ્યું આમંત્રણ!

તે ઉપરાંત પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમને તેમજ ક્રિકેટ ચાહકોને આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ જોવા માટે પણ આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે વર્લ્ડ કપની સાથે ભારતમાં દિવાળીનો મહાપર્વ પણ મનાવવામાં આવશે. હું ઈચ્છું છું કે પીએમ અલ્બનીજ આ સમય દરમિયાન ભારતમાં હાજર રહે. આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર સહિત ઓસ્ટ્રેલિયાના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત પીએમ મોદીને સિડનીમાં ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.     



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.