ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીએ ઉઠાવ્યો હિંદુ મંદિરો પર થતા હુમલાનો મુદ્દો! પીએમ મોદીએ કહ્યું ‘ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા સ્વીકાર્ય નથી’


  • Published By :
  • Published Date : 2023-05-24 10:25:05

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. ત્યારે બુધવારે બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો થઈ હતી. અને જે બાત બંને નેતાઓએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થતા હુમલાને લઈ અમારી વચ્ચે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે કોઈપણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું.


ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના લોકોને કર્યા હતા સંબોધિત! 

છેલ્લા ઘણા સમયથી વિદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. મંદિરોની દિવાલો પર આપત્તિજનક વાક્યો પણ લખવામાં આવતા હોય છે. ઓસ્ટ્રેલિયાથી પણ હિન્દુ મંદિરો પર હુમલા થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ વાતની ચર્ચા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં કરી હતી. પીએમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદીએ ભારતીયમૂળના ઓસ્ટ્રેલિયામાં વસતા લોકોને સંબોધિત કર્યા હતા. ત્યારે આજે બંને દેશના નેતાઓએ બેઠક કરી હતી. ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં થતા હુમલાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. 

હિંદુ મંદિરો પર થતાં હુમલાને લઈ પીએમ મોદીએ કરી વાત!

હિન્દુ મંદિરો પર થતાં હુમલા અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે કોઈપણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વધુમાં તેમણે કહ્યું કે મારી અને અલ્બનીજ સાથે છઠ્ઠી મુલાકાત છે. આ સાબિત કરે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ કેટલા ગહેરા છે.

ભારત આવવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમને આપ્યું આમંત્રણ!

તે ઉપરાંત પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમને તેમજ ક્રિકેટ ચાહકોને આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ જોવા માટે પણ આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે વર્લ્ડ કપની સાથે ભારતમાં દિવાળીનો મહાપર્વ પણ મનાવવામાં આવશે. હું ઈચ્છું છું કે પીએમ અલ્બનીજ આ સમય દરમિયાન ભારતમાં હાજર રહે. આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર સહિત ઓસ્ટ્રેલિયાના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત પીએમ મોદીને સિડનીમાં ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.     



ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. તો આવો જાણીએ શું છે સમાચાર?