ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીએ ઉઠાવ્યો હિંદુ મંદિરો પર થતા હુમલાનો મુદ્દો! પીએમ મોદીએ કહ્યું ‘ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા સ્વીકાર્ય નથી’


  • Published By :
  • Published Date : 2023-05-24 10:25:05

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. ત્યારે બુધવારે બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો થઈ હતી. અને જે બાત બંને નેતાઓએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થતા હુમલાને લઈ અમારી વચ્ચે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે કોઈપણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું.


ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના લોકોને કર્યા હતા સંબોધિત! 

છેલ્લા ઘણા સમયથી વિદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. મંદિરોની દિવાલો પર આપત્તિજનક વાક્યો પણ લખવામાં આવતા હોય છે. ઓસ્ટ્રેલિયાથી પણ હિન્દુ મંદિરો પર હુમલા થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ વાતની ચર્ચા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં કરી હતી. પીએમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદીએ ભારતીયમૂળના ઓસ્ટ્રેલિયામાં વસતા લોકોને સંબોધિત કર્યા હતા. ત્યારે આજે બંને દેશના નેતાઓએ બેઠક કરી હતી. ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં થતા હુમલાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. 

હિંદુ મંદિરો પર થતાં હુમલાને લઈ પીએમ મોદીએ કરી વાત!

હિન્દુ મંદિરો પર થતાં હુમલા અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે કોઈપણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વધુમાં તેમણે કહ્યું કે મારી અને અલ્બનીજ સાથે છઠ્ઠી મુલાકાત છે. આ સાબિત કરે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ કેટલા ગહેરા છે.

ભારત આવવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમને આપ્યું આમંત્રણ!

તે ઉપરાંત પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમને તેમજ ક્રિકેટ ચાહકોને આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ જોવા માટે પણ આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે વર્લ્ડ કપની સાથે ભારતમાં દિવાળીનો મહાપર્વ પણ મનાવવામાં આવશે. હું ઈચ્છું છું કે પીએમ અલ્બનીજ આ સમય દરમિયાન ભારતમાં હાજર રહે. આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર સહિત ઓસ્ટ્રેલિયાના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત પીએમ મોદીને સિડનીમાં ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.     



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.