ઓસ્ટ્રેલિયામાં પીએમ મોદીએ ઉઠાવ્યો હિંદુ મંદિરો પર થતા હુમલાનો મુદ્દો! પીએમ મોદીએ કહ્યું ‘ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર હુમલા સ્વીકાર્ય નથી’


  • Published By :
  • Published Date : 2023-05-24 10:25:05

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસનો અંતિમ દિવસ છે. ત્યારે બુધવારે બંને દેશોના નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠકો થઈ હતી. અને જે બાત બંને નેતાઓએ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં મંદિરો પર થતા હુમલાને લઈ અમારી વચ્ચે ચર્ચા થઈ હતી. તેમણે કહ્યું કે કોઈપણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું.


ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના લોકોને કર્યા હતા સંબોધિત! 

છેલ્લા ઘણા સમયથી વિદેશમાં હિન્દુ મંદિરોમાં તોડફોડ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. મંદિરોની દિવાલો પર આપત્તિજનક વાક્યો પણ લખવામાં આવતા હોય છે. ઓસ્ટ્રેલિયાથી પણ હિન્દુ મંદિરો પર હુમલા થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ વાતની ચર્ચા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓસ્ટ્રેલિયામાં કરી હતી. પીએમ હાલ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ગઈકાલે પીએમ મોદીએ ભારતીયમૂળના ઓસ્ટ્રેલિયામાં વસતા લોકોને સંબોધિત કર્યા હતા. ત્યારે આજે બંને દેશના નેતાઓએ બેઠક કરી હતી. ઓસ્ટ્રેલિયામાં હિન્દુ મંદિરોમાં થતા હુમલાને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી. 

હિંદુ મંદિરો પર થતાં હુમલાને લઈ પીએમ મોદીએ કરી વાત!

હિન્દુ મંદિરો પર થતાં હુમલા અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે કોઈપણ તત્વ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધોને તેમના વિચારો કે કાર્યોથી નુકસાન પહોંચાડે તે સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં તેમણે લીધેલા પગલાં માટે હું વડાપ્રધાનનો આભાર માનું છું. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને આ મામલે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વધુમાં તેમણે કહ્યું કે મારી અને અલ્બનીજ સાથે છઠ્ઠી મુલાકાત છે. આ સાબિત કરે છે કે ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધ કેટલા ગહેરા છે.

ભારત આવવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમને આપ્યું આમંત્રણ!

તે ઉપરાંત પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પીએમને તેમજ ક્રિકેટ ચાહકોને આ વર્ષે ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ જોવા માટે પણ આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે વર્લ્ડ કપની સાથે ભારતમાં દિવાળીનો મહાપર્વ પણ મનાવવામાં આવશે. હું ઈચ્છું છું કે પીએમ અલ્બનીજ આ સમય દરમિયાન ભારતમાં હાજર રહે. આ બેઠકમાં વિદેશમંત્રી એસ જયશંકર સહિત ઓસ્ટ્રેલિયાના અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત પીએમ મોદીને સિડનીમાં ગાર્ડ ઓફ ઓનરથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.     



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.