બિહારના લઠ્ઠાકાંડમાં 12 લોકોના થયા મોત, આંકડો વધે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-12-14 15:01:55

બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર ક્ષેત્રના ડોઈલા ગામમાં લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે. દારુબંધીવાળા બિહાર રાજ્યમાં લઠ્ઠાકાંડથી 12 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોના પરિજનો ઝેરી દારુ પીવાથી મોત થયાનો દાવો કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ સમગ્ર મામલે કંઈ પણ બોલવાની મનાહી કરી રહ્યા છે. 

यूपी के आजमगढ़ में जहरीली शराब से 2 लोगों की मौत, 1 आरोपी हिरासत में, UP  Azamgarh 2 people died allegedly due to consumption of spurious liquor

કેવી રીતે 12 લોકોના થયા મોત? 

બિહારના છપરા જિલ્લાના ડોઈલા ગામમાં મંગળવારે રાત્રે ઝેરી દારુ પીવાથી લોકોની તબીયત બગડવાનો મામલે સામે આવ્યો હતો. ઝેરી દારુ પીવાથી સંજયસિંહ મશરક, કૃણાલ કુમાર, હરેન્દ્ર રામ, વિચેંન્દ્ર રાય, અમિત રંજન, રામજી શાહ, મશરક શાસ્ત્રી ટોલા નામના વ્યક્તિના મોત થઈ ગયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં બિહાર પોલીસ છપરાની હોસ્પિટલ પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ જ લોકોના મોત કઈ રીતે થયા તે સામે આવશે. જો કે સારવાર લઈ રહેલા લોકોની ગંભીર હાલતને જોતા મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Nitish Kumar: बिहार विधानसभा में शराबबंदी पर चर्चा के दौरान जब नीतीश कुमार को BJP विधायकों पर आया गुस्‍सा

લઠ્ઠાકાંડનો મામલો બિહાર વિધાનસભામાં ગુંજ્યો

પોલીસે સમગ્ર મામલે તપાસ  શરૂ કરી દીધી છે. ડોઈલા સહિત કુનબે ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝેરી દારુ વેચનારથી જલદીથી પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેવું સમાચારો મારફતે બહાર આવી રહ્યું છે. બિહારમાં ઝેરી દારુ પીવાથી લોકોના મોત થયા છે તે મામલે બિહારના વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો છે. વિરોધ પક્ષે લઠ્ઠાકાંડ મામલે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષે સમ નીતિશ કુમાર સરકાર પર આક્ષેપો કર્યા હતા. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.