બિહારના લઠ્ઠાકાંડમાં 12 લોકોના થયા મોત, આંકડો વધે તેવી શક્યતા


  • Published By :
  • Published Date : 2022-12-14 15:01:55

બિહારના સારણ જિલ્લાના ઈસુઆપુર ક્ષેત્રના ડોઈલા ગામમાં લઠ્ઠાકાંડનો મામલો સામે આવ્યો છે. દારુબંધીવાળા બિહાર રાજ્યમાં લઠ્ઠાકાંડથી 12 લોકોના મોત થઈ ગયા છે. મૃતકોના પરિજનો ઝેરી દારુ પીવાથી મોત થયાનો દાવો કરી રહ્યા છે ત્યારે અધિકારીઓ સમગ્ર મામલે કંઈ પણ બોલવાની મનાહી કરી રહ્યા છે. 

यूपी के आजमगढ़ में जहरीली शराब से 2 लोगों की मौत, 1 आरोपी हिरासत में, UP  Azamgarh 2 people died allegedly due to consumption of spurious liquor

કેવી રીતે 12 લોકોના થયા મોત? 

બિહારના છપરા જિલ્લાના ડોઈલા ગામમાં મંગળવારે રાત્રે ઝેરી દારુ પીવાથી લોકોની તબીયત બગડવાનો મામલે સામે આવ્યો હતો. ઝેરી દારુ પીવાથી સંજયસિંહ મશરક, કૃણાલ કુમાર, હરેન્દ્ર રામ, વિચેંન્દ્ર રાય, અમિત રંજન, રામજી શાહ, મશરક શાસ્ત્રી ટોલા નામના વ્યક્તિના મોત થઈ ગયા છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં બિહાર પોલીસ છપરાની હોસ્પિટલ પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ જ લોકોના મોત કઈ રીતે થયા તે સામે આવશે. જો કે સારવાર લઈ રહેલા લોકોની ગંભીર હાલતને જોતા મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Nitish Kumar: बिहार विधानसभा में शराबबंदी पर चर्चा के दौरान जब नीतीश कुमार को BJP विधायकों पर आया गुस्‍सा

લઠ્ઠાકાંડનો મામલો બિહાર વિધાનસભામાં ગુંજ્યો

પોલીસે સમગ્ર મામલે તપાસ  શરૂ કરી દીધી છે. ડોઈલા સહિત કુનબે ગામના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઝેરી દારુ વેચનારથી જલદીથી પકડવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે તેવું સમાચારો મારફતે બહાર આવી રહ્યું છે. બિહારમાં ઝેરી દારુ પીવાથી લોકોના મોત થયા છે તે મામલે બિહારના વિધાનસભા ગૃહમાં પણ ગુંજ્યો છે. વિરોધ પક્ષે લઠ્ઠાકાંડ મામલે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષે સમ નીતિશ કુમાર સરકાર પર આક્ષેપો કર્યા હતા. 




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે