નિલેશ રૈયાણીના કેસમાં જયરાજસિંહ જાડેજાએ જવું પડશે જેલમાં?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-01 21:12:23

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

Free photo : Jayrajsinh Jadeja Gondal

ગોંડલમાં ખુબ ચર્ચિત નિલેશ રૈયાણી કેસમાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાને વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા હતા. પરંતુ હવે , નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને આક્ષેપ કર્યા છે કે, જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ ધ્વરા જે શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા તેનું પાલન નથી કરી રહ્યા સાથે જ તેઓ અન્ય પાટીદાર આગેવાનોને ધમકીઓ આપતા રહે છે , જેનાથી ગોંડલનું વાતાવરણ ભયમુક્ત નથી. જગદીશ સાટોડિયાનું કહેવું છે કે , EX MLA જયરાજસિંહ જાડેજાને દર સોમવારે પોલીસ સ્ટેશનમાં જઈ હાજરી પુરાવાનો અને ગોંડલ સીટીની બહાર જતા પહેલા પોલીસને આખો કાર્યક્રમ જણાવવાની શરતો સાથે જામીન મળ્યા હતા.  જયરાજસિંહ જાડેજા આ તમામ શરતોનું ઉલ્લંઘન કરે છે.  માટે જગદીશ સાટોડિયાનું કહેવું છે કે , સુપ્રીમ કોર્ટમાં જે આ ક્રિમિનલ કેસ છે જેનો નંબર છે , ૧૫૩૭/૨૦૧૭ તેને ઝડપથી ચલાવવા અપીલ કરું છું. આ ઉપરાંત જયરાજસિંહ જાડેજાના જામીન રદ થવા જોઈએ. જો આગામી ૧૫ દિવસમાં ગુજરાત સરકાર આ બાબતે કોઈ પગલાં નથી લેતી તો સુપ્રીમ કોર્ટમાં PIL કરવામાં આવશે. 

હવે આપણે જાણીએ કે આ નિલેશ રૈયાણી કેસ છે શું તો? વર્ષ ૨૦૦૪માં નિલેશ રૈયાણીનું જમીનનાં ઝઘડાને લઈને જીવ લઇ લેવામાં આવ્યો હતો. જેમાં નિલેશ રૈયાણી ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ભાજપનાં નેતા જયંતિ ઢોલ સામેપણ ફરિયાદ થઈ હતી. રજવાડાની 35 એકર જમીનનાં કેસ મામલે આ થયું હોવાના આક્ષેપો થયા છે.  જેમાં કોર્ટે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આજીવન કેદની સજા સંભળાવી હતી.  પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાએ આ કેસમાં સરેન્ડર કર્યું હતું . ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.



ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.

"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.