નિલેશ રૈયાણીના કેસમાં જયરાજસિંહ જાડેજાએ જવું પડશે જેલમાં?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2026-05-01 21:12:23

રાજકોટના ગોંડલમાં નિલેશ રૈયાણીના કેસમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની મુશ્કેલીઓ વધી શકે છે. કેમ કે, નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે જેમાં તેમના દ્વારા નિલેશ રૈયાણી કેસ જે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે તેને ગુજરાત સરકાર તરફથી ઝડપથી ચલાવવા અપીલ કરી કરી છે. આ બાબતે કોઈ કાર્યવાહી ના થવા પર આગામી ૧૫ દિવસમાં જગદીશ સાટોડિયાએ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવાની ચીમકી ઉચ્ચારી છે. 

Free photo : Jayrajsinh Jadeja Gondal

ગોંડલમાં ખુબ ચર્ચિત નિલેશ રૈયાણી કેસમાં પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાને વર્ષ 2017માં સુપ્રીમ કોર્ટ તરફથી જામીન મળ્યા હતા. પરંતુ હવે , નિલેશ રૈયાણી કેસમાં ફરિયાદી જયેશ સાટોડિયાના નાનાં ભાઈ જગદીશ સાટોડિયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને આક્ષેપ કર્યા છે કે, જયરાજસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટ ધ્વરા જે શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા તેનું પાલન નથી કરી રહ્યા સાથે જ તેઓ અન્ય પાટીદાર આગેવાનોને ધમકીઓ આપતા રહે છે , જેનાથી ગોંડલનું વાતાવરણ ભયમુક્ત નથી. જગદીશ સાટોડિયાનું કહેવું છે કે , EX MLA જયરાજસિંહ જાડેજાને દર સોમવારે પોલીસ સ્ટેશનમાં જઈ હાજરી પુરાવાનો અને ગોંડલ સીટીની બહાર જતા પહેલા પોલીસને આખો કાર્યક્રમ જણાવવાની શરતો સાથે જામીન મળ્યા હતા.  જયરાજસિંહ જાડેજા આ તમામ શરતોનું ઉલ્લંઘન કરે છે.  માટે જગદીશ સાટોડિયાનું કહેવું છે કે , સુપ્રીમ કોર્ટમાં જે આ ક્રિમિનલ કેસ છે જેનો નંબર છે , ૧૫૩૭/૨૦૧૭ તેને ઝડપથી ચલાવવા અપીલ કરું છું. આ ઉપરાંત જયરાજસિંહ જાડેજાના જામીન રદ થવા જોઈએ. જો આગામી ૧૫ દિવસમાં ગુજરાત સરકાર આ બાબતે કોઈ પગલાં નથી લેતી તો સુપ્રીમ કોર્ટમાં PIL કરવામાં આવશે. 

હવે આપણે જાણીએ કે આ નિલેશ રૈયાણી કેસ છે શું તો? વર્ષ ૨૦૦૪માં નિલેશ રૈયાણીનું જમીનનાં ઝઘડાને લઈને જીવ લઇ લેવામાં આવ્યો હતો. જેમાં નિલેશ રૈયાણી ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. ભાજપનાં નેતા જયંતિ ઢોલ સામેપણ ફરિયાદ થઈ હતી. રજવાડાની 35 એકર જમીનનાં કેસ મામલે આ થયું હોવાના આક્ષેપો થયા છે.  જેમાં કોર્ટે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને આજીવન કેદની સજા સંભળાવી હતી.  પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાએ આ કેસમાં સરેન્ડર કર્યું હતું . ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે પરિણામ આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ ૧૦,૦૦૫ બેઠક પર 26,196 ઉમેદવારના ચૂંટણી પરિણામો જાહેર થઈ રહ્યા છે. 26 એપ્રિલે આ બેઠકો પર સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાઓ , નગરપાલિકાઓ , જિલ્લા પંચાયત , તાલુકા પંચાયતોમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.