આખરે ભાજપ આપના "પાંચ પાંડવ" થવા નહિ દે!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-26 18:54:26

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે. 

Gandhinagar Gupshup

હમણાં જ થયેલી , વિસાવદરની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થતા સમગ્ર આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ હતો . પરંતુ ત્યાં તો બોટાદના AAP MLA ઉમેશ મકવાણા  પ્રેસ કોન્ફરન્સ કરીને  વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પદેથી રાજીનામુ આપે છે . ઉમેશ મકવાણા કહે છે કે "ધારાસભ્યપદેથી રાજીનામાનો નિર્ણય જનતાને પૂછીને કરીશ. પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે. દંડક અને AAPના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે. રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે. હવે માત્ર AAPના કાર્યકર તરીકે કાર્યરત રહીશ. ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે. કારણ કે એ દલિત સમાજના હતા. "

તો હવે આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખે છે કે ," ઉમેશ મકવાણાની પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિઓના કારણે તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે." ઉમેશ મકવાણાની આ પ્રવૃત્તિને જોતા એવું લાગી રહ્યું છે કે , ભાજપ ગુજરાત વિધાનસભામાં પાંચ પાંડવ ભેગા નઈ થવા દે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય થઈ ગયા હતા . પરંતુ હવે જોઈએ ભવિષ્યમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા શું કરે છે.

 




રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજાના અમિત ખૂંટ કેસમાં બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. હવે આ કેસમાં ગોંડલ તાલુકા પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરશે. જૂનાગઢ જેલમાંથી કબ્જો લીધા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરાયા હતા. આમ હવે આજથી અનિરુદ્ધસિંહ જાડેજાની બે દિવસની પૂછપરછ શરુ થઇ રહી છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ આજે (૧૮મી ઓગસ્ટ) બપોરે ૩ વાગ્યે જૂનાગઢ જેલમાં EX MLA પોપટ સોરઠીયા કેસમાં સરેન્ડર કરશે. આ સમયે અમિત ખૂંટ કેસમાં પણ તેમની ધરપકડ થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજામાફી રદ કરી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પિટિશન ફગાવી દીધી હતી.

થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.