આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.
હમણાં જ થયેલી , વિસાવદરની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થતા સમગ્ર આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનો માહોલ હતો . પરંતુ ત્યાં તો બોટાદના AAP MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પદેથી રાજીનામુ આપે છે . ઉમેશ મકવાણા કહે છે કે "ધારાસભ્યપદેથી રાજીનામાનો નિર્ણય જનતાને પૂછીને કરીશ. પછાત સમાજના નેતાને ચૂંટણી પૂરતા ઉપયોગમાં લેવાય છે. પછાત લોકોના મુદ્દા ઉપાડવામાં દરેક પાર્ટી નિષ્ફળ છે. દરેક પાર્ટીમાં જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો વધતા જાય છે. દંડક અને AAPના રાષ્ટ્રીય માળખામાં પણ સેવા આપી છે. રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી તરીકે પણ રાજીનામું આપ્યું છે. હવે માત્ર AAPના કાર્યકર તરીકે કાર્યરત રહીશ. ગોપાલ ઈટાલિયા માટે આખી પાર્ટી મેદાનમાં ઉતરી અને કડીના ઉમેદવારને એકલો મૂકી દીધો છે. કારણ કે એ દલિત સમાજના હતા. "
તો હવે આ બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્લેટફોર્મ એક્સ પર ટ્વીટ કરીને લખે છે કે ," ઉમેશ મકવાણાની પાર્ટી વિરોધી અને ગુજરાત વિરોધી ગતિવિધિઓના કારણે તેમને પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે." ઉમેશ મકવાણાની આ પ્રવૃત્તિને જોતા એવું લાગી રહ્યું છે કે , ભાજપ ગુજરાત વિધાનસભામાં પાંચ પાંડવ ભેગા નઈ થવા દે. વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત સાથે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્ય થઈ ગયા હતા . પરંતુ હવે જોઈએ ભવિષ્યમાં બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા શું કરે છે.