પોતાની પોસ્ટમાં કંગના રનૌતે કોને દુર્યોધન અને કોને શકુનિ ગણાવ્યા? સુશાંતસિંહ રાજપૂત હત્યા વિશે કહી આ વાત! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-06-12 16:40:32

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના સ્ટેટમેન્ટને કારણે અનેક વખત ચર્ચામાં આવતી રહે છે. અભિનેત્રી દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે ઘણી વખત વિવાદો પણ સર્જાયા છે. થોડા સમય પહેલા નિતેશ તિવારીએ રામાયણ બનાવવાની જાહેરાત કરી હતી જેમાં રણબીર કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા છે. આ વાતને લઈ કંગનાએ નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ કંગનાએ રણબીર કપૂરની સરખામણી દુર્યોધન સાથે કરી જ્યારે અને કરન જોહરની સરખામણી શકુનિ સાથે કરી દીધી. 


રામાયણ ફિલ્મને લઈ કંગના નારાજ દેખાઈ! 

સોશિયલ મીડિયાના માધ્યમથી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના વિચાર પોતાના ફેન્સ સમક્ષ પહોંચાડતી રહે છે. જે વાતને લઈ નારાજગી હોય તેની પર પોતાના મંતવ્યો કંગના રનૌત રજૂ કરતી રહે છે. ત્યારે થોડા સમય પહેલા રામાયણ ફિલ્મ બનાવવામાં આવશે તેવી જાહેરાત નિતેશ તિવારી દ્વારા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર રણબીર કપૂર નિભાવતા જોવા મળશે જ્યારે સીતાજીનો રોલ આલિયા ભટ્ટ નિભાવશે. ત્યારે આ વાતને લઈ કંગના રણૌતે નારાજગી વ્યક્ત કરી છે. આ જાહેરાત બાદ કંગનાએ એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે કેવો કળયુગ આવી ગયો છે. ઐતિહાસિક ફિલ્મો માટે શું ખબર કેવા કલાકારોને લેવામાં આવી રહ્યા છે.       

 

સુશાંતસિંહ રાજપૂત કેસનો કર્યો ઉલ્લેખ! 

કંગનાએ પોતાની પોસ્ટમાં રણબીર કપૂર અને કરણ જોહર પર નિશાન સાધ્યું હતું. પોતાના પોસ્ટમાં સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસનો ઉલ્લેખ કરતા લખ્યું કે રણબીર કપૂર અને કરન જોહર સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસના અસલી ગુનેગાર છે. બંનેએ મળીને આ કેસમાં સુશાંત વિરુદ્ધ ખોટી અને નકામી વાતો ફેલાવી છે. તે સિવાય ઋતિક રોશન સાથેના સંબંધો તેમના કારણે વધારે ખરાબ થઈ ગયા. 


રણબીર કપુરને ગણાવ્યા દુર્યોધન!

પોતાની પોસ્ટમાં કંગનાએ લખ્યું કે  હું ગઈકાલે કરેલી વસ્તુઓને આગળ લઈ રહી છું. આ ઉદ્યોગમાં ઘણી બધી ખરાબીઓ છે પરંતુ તે બધામાં સૌથી ખરાબ છે દુર્યોધન (વ્હાઇટ રેટ) અને શકુનિ (પાપા જો)ની જોડી. તે લોકો પોતે માને છે કે તેઓ અન્ય લોકો માટે સૌથી વધુ ઈર્ષ્યા કરે છે, તેઓ સૌથી વધુ ગપસપ કરે છે અને પોતાને વિશે અસુરક્ષિત છે. તેઓ પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી ઓફ ગોસિપ કહે છે.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી