પોતાની પોસ્ટમાં કંગના રનૌતે કોને દુર્યોધન અને કોને શકુનિ ગણાવ્યા? સુશાંતસિંહ રાજપૂત હત્યા વિશે કહી આ વાત! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-06-12 16:40:32

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના સ્ટેટમેન્ટને કારણે અનેક વખત ચર્ચામાં આવતી રહે છે. અભિનેત્રી દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે ઘણી વખત વિવાદો પણ સર્જાયા છે. થોડા સમય પહેલા નિતેશ તિવારીએ રામાયણ બનાવવાની જાહેરાત કરી હતી જેમાં રણબીર કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા છે. આ વાતને લઈ કંગનાએ નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ કંગનાએ રણબીર કપૂરની સરખામણી દુર્યોધન સાથે કરી જ્યારે અને કરન જોહરની સરખામણી શકુનિ સાથે કરી દીધી. 


રામાયણ ફિલ્મને લઈ કંગના નારાજ દેખાઈ! 

સોશિયલ મીડિયાના માધ્યમથી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના વિચાર પોતાના ફેન્સ સમક્ષ પહોંચાડતી રહે છે. જે વાતને લઈ નારાજગી હોય તેની પર પોતાના મંતવ્યો કંગના રનૌત રજૂ કરતી રહે છે. ત્યારે થોડા સમય પહેલા રામાયણ ફિલ્મ બનાવવામાં આવશે તેવી જાહેરાત નિતેશ તિવારી દ્વારા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર રણબીર કપૂર નિભાવતા જોવા મળશે જ્યારે સીતાજીનો રોલ આલિયા ભટ્ટ નિભાવશે. ત્યારે આ વાતને લઈ કંગના રણૌતે નારાજગી વ્યક્ત કરી છે. આ જાહેરાત બાદ કંગનાએ એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે કેવો કળયુગ આવી ગયો છે. ઐતિહાસિક ફિલ્મો માટે શું ખબર કેવા કલાકારોને લેવામાં આવી રહ્યા છે.       

 

સુશાંતસિંહ રાજપૂત કેસનો કર્યો ઉલ્લેખ! 

કંગનાએ પોતાની પોસ્ટમાં રણબીર કપૂર અને કરણ જોહર પર નિશાન સાધ્યું હતું. પોતાના પોસ્ટમાં સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસનો ઉલ્લેખ કરતા લખ્યું કે રણબીર કપૂર અને કરન જોહર સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસના અસલી ગુનેગાર છે. બંનેએ મળીને આ કેસમાં સુશાંત વિરુદ્ધ ખોટી અને નકામી વાતો ફેલાવી છે. તે સિવાય ઋતિક રોશન સાથેના સંબંધો તેમના કારણે વધારે ખરાબ થઈ ગયા. 


રણબીર કપુરને ગણાવ્યા દુર્યોધન!

પોતાની પોસ્ટમાં કંગનાએ લખ્યું કે  હું ગઈકાલે કરેલી વસ્તુઓને આગળ લઈ રહી છું. આ ઉદ્યોગમાં ઘણી બધી ખરાબીઓ છે પરંતુ તે બધામાં સૌથી ખરાબ છે દુર્યોધન (વ્હાઇટ રેટ) અને શકુનિ (પાપા જો)ની જોડી. તે લોકો પોતે માને છે કે તેઓ અન્ય લોકો માટે સૌથી વધુ ઈર્ષ્યા કરે છે, તેઓ સૌથી વધુ ગપસપ કરે છે અને પોતાને વિશે અસુરક્ષિત છે. તેઓ પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી ઓફ ગોસિપ કહે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.