પોતાની પોસ્ટમાં કંગના રનૌતે કોને દુર્યોધન અને કોને શકુનિ ગણાવ્યા? સુશાંતસિંહ રાજપૂત હત્યા વિશે કહી આ વાત! જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2023-06-12 16:40:32

બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના સ્ટેટમેન્ટને કારણે અનેક વખત ચર્ચામાં આવતી રહે છે. અભિનેત્રી દ્વારા આપવામાં આવતા નિવેદનને કારણે ઘણી વખત વિવાદો પણ સર્જાયા છે. થોડા સમય પહેલા નિતેશ તિવારીએ રામાયણ બનાવવાની જાહેરાત કરી હતી જેમાં રણબીર કપૂરને કાસ્ટ કરવામાં આવ્યા છે. આ વાતને લઈ કંગનાએ નારાજગી વ્યક્ત કરી હતી. તે બાદ કંગનાએ રણબીર કપૂરની સરખામણી દુર્યોધન સાથે કરી જ્યારે અને કરન જોહરની સરખામણી શકુનિ સાથે કરી દીધી. 


રામાયણ ફિલ્મને લઈ કંગના નારાજ દેખાઈ! 

સોશિયલ મીડિયાના માધ્યમથી બોલિવુડ અભિનેત્રી કંગના રનૌત પોતાના વિચાર પોતાના ફેન્સ સમક્ષ પહોંચાડતી રહે છે. જે વાતને લઈ નારાજગી હોય તેની પર પોતાના મંતવ્યો કંગના રનૌત રજૂ કરતી રહે છે. ત્યારે થોડા સમય પહેલા રામાયણ ફિલ્મ બનાવવામાં આવશે તેવી જાહેરાત નિતેશ તિવારી દ્વારા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં ભગવાન રામનું પાત્ર રણબીર કપૂર નિભાવતા જોવા મળશે જ્યારે સીતાજીનો રોલ આલિયા ભટ્ટ નિભાવશે. ત્યારે આ વાતને લઈ કંગના રણૌતે નારાજગી વ્યક્ત કરી છે. આ જાહેરાત બાદ કંગનાએ એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે કેવો કળયુગ આવી ગયો છે. ઐતિહાસિક ફિલ્મો માટે શું ખબર કેવા કલાકારોને લેવામાં આવી રહ્યા છે.       

 

સુશાંતસિંહ રાજપૂત કેસનો કર્યો ઉલ્લેખ! 

કંગનાએ પોતાની પોસ્ટમાં રણબીર કપૂર અને કરણ જોહર પર નિશાન સાધ્યું હતું. પોતાના પોસ્ટમાં સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસનો ઉલ્લેખ કરતા લખ્યું કે રણબીર કપૂર અને કરન જોહર સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસના અસલી ગુનેગાર છે. બંનેએ મળીને આ કેસમાં સુશાંત વિરુદ્ધ ખોટી અને નકામી વાતો ફેલાવી છે. તે સિવાય ઋતિક રોશન સાથેના સંબંધો તેમના કારણે વધારે ખરાબ થઈ ગયા. 


રણબીર કપુરને ગણાવ્યા દુર્યોધન!

પોતાની પોસ્ટમાં કંગનાએ લખ્યું કે  હું ગઈકાલે કરેલી વસ્તુઓને આગળ લઈ રહી છું. આ ઉદ્યોગમાં ઘણી બધી ખરાબીઓ છે પરંતુ તે બધામાં સૌથી ખરાબ છે દુર્યોધન (વ્હાઇટ રેટ) અને શકુનિ (પાપા જો)ની જોડી. તે લોકો પોતે માને છે કે તેઓ અન્ય લોકો માટે સૌથી વધુ ઈર્ષ્યા કરે છે, તેઓ સૌથી વધુ ગપસપ કરે છે અને પોતાને વિશે અસુરક્ષિત છે. તેઓ પોતાને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઈન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રી ઓફ ગોસિપ કહે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .