હિમાચલ પ્રદેશમાં કુદરતે ખોલી માનવીની પોલ! પૂર પછી બ્રિજ પર જોવા મળ્યો પ્લાસ્ટિકના કચરાનો ઢગલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-12 13:50:26

કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ કહેવતનો મતલબ થાય છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુ વાસ કરે છે. ઘણા સમયથી સ્વચ્છ ભારતની વાતો પણ કરવામાં આવે છે. આજે સ્વચ્છતાની વાત એટલા માટે કરવી છે કારણ કે હિમાચલ પ્રદેશથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પુલ પર કચરો દેખાય છે. પુલ પર જે કચરો દેખાય છે તે કચરો સીધો નથી નાખવામાં આવ્યો પરંતુ આ એ કચરો છે જે આપણે નદીઓમાં નાખી દેતા હોઈએ છીએ. એવું માનીને કે નદીમાં પડેલો કચરો કોને દેખાવાનો છે. પરંતુ જ્યારે કુદરત પોતાનું રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે વાસ્તવિક્તા સામે આવતી હોય છે. 


અનેક લોકો નદીમાં નાખતા હોય છે કચરો   

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં મેઘમહેર મેઘકહેરમાં પરિવર્તિત થતી દેખાઈ રહી છે. એક સાથે એટલો બધો વરસાદ વરસયો કે જે વરસાદ લાંબા સમય સુધી વરસવો જોઈએ. અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક મકાનો ધોવાઈ ગયા, અનેક લોકોના મોત થઈ ગયા. પરંતુ આ વરસાદે માનવી દ્વારા કરવામાં આવતા કામોની પોલ ખોલી દીધી છે. તમને લાગતું હશે કે ભ્રષ્ટાચાર અંગે વાત કરવાની હશે.પરંતુ ના, વાત કરવી છે માનવો દ્વારા અપનાવવામાં આવતા શોર્ટકટની. મુખ્યત્વે દરેક જગ્યાઓ પર ડસ્ટબીન રાખવામાં આવતા હોય છે પરંતુ અનેક લોકો એવા હોય છે જે રસ્તા પર કચરો નાખી દેતા હોય છે. અનેક તો એવા લોકો હોય છે જે નદીને પણ દુષિત કરે છે. નદીને હિંદુ સંસ્કૃતિમાં માનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ અનેક લોકો નદીમાં જ કચરો નાખી તેને દુષિત કરે છે.


પુલ પર જોવા મળ્યો કચરાનો ઢગલો 

હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે ધીમે ધીમે અનેક જગ્યાઓ પરથી પાણી ઓસરી રહ્યું છે પરંતુ વાસ્તવિક્તા સામે આવી રહી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પુલ પર કચરો દેખાઈ રહ્યો છે. લોકો દ્વારા નદીમાં નખાતો કચરો પુલ પર આવી ગયો છે. ત્યારે કુદરતે જાણે પલટવાર કર્યો હોય તેવું લાગે છે. પ્લાસ્ટિકની થેલીઓ કચરાના ઢગલામાં દેખાઈ હતી. એવું પણ કહેવાય છે કે કુદરત જ્યારે આપે છે ત્યારે છપ્પડ ફાળ આપે છે અને જ્યારે પાછું લે છે ત્યારે આપણી પાસે કઈ રહેવા પણ નથી દેતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.