હિમાચલ પ્રદેશમાં કુદરતે ખોલી માનવીની પોલ! પૂર પછી બ્રિજ પર જોવા મળ્યો પ્લાસ્ટિકના કચરાનો ઢગલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-12 13:50:26

કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ કહેવતનો મતલબ થાય છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુ વાસ કરે છે. ઘણા સમયથી સ્વચ્છ ભારતની વાતો પણ કરવામાં આવે છે. આજે સ્વચ્છતાની વાત એટલા માટે કરવી છે કારણ કે હિમાચલ પ્રદેશથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પુલ પર કચરો દેખાય છે. પુલ પર જે કચરો દેખાય છે તે કચરો સીધો નથી નાખવામાં આવ્યો પરંતુ આ એ કચરો છે જે આપણે નદીઓમાં નાખી દેતા હોઈએ છીએ. એવું માનીને કે નદીમાં પડેલો કચરો કોને દેખાવાનો છે. પરંતુ જ્યારે કુદરત પોતાનું રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે વાસ્તવિક્તા સામે આવતી હોય છે. 


અનેક લોકો નદીમાં નાખતા હોય છે કચરો   

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં મેઘમહેર મેઘકહેરમાં પરિવર્તિત થતી દેખાઈ રહી છે. એક સાથે એટલો બધો વરસાદ વરસયો કે જે વરસાદ લાંબા સમય સુધી વરસવો જોઈએ. અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક મકાનો ધોવાઈ ગયા, અનેક લોકોના મોત થઈ ગયા. પરંતુ આ વરસાદે માનવી દ્વારા કરવામાં આવતા કામોની પોલ ખોલી દીધી છે. તમને લાગતું હશે કે ભ્રષ્ટાચાર અંગે વાત કરવાની હશે.પરંતુ ના, વાત કરવી છે માનવો દ્વારા અપનાવવામાં આવતા શોર્ટકટની. મુખ્યત્વે દરેક જગ્યાઓ પર ડસ્ટબીન રાખવામાં આવતા હોય છે પરંતુ અનેક લોકો એવા હોય છે જે રસ્તા પર કચરો નાખી દેતા હોય છે. અનેક તો એવા લોકો હોય છે જે નદીને પણ દુષિત કરે છે. નદીને હિંદુ સંસ્કૃતિમાં માનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ અનેક લોકો નદીમાં જ કચરો નાખી તેને દુષિત કરે છે.


પુલ પર જોવા મળ્યો કચરાનો ઢગલો 

હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે ધીમે ધીમે અનેક જગ્યાઓ પરથી પાણી ઓસરી રહ્યું છે પરંતુ વાસ્તવિક્તા સામે આવી રહી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પુલ પર કચરો દેખાઈ રહ્યો છે. લોકો દ્વારા નદીમાં નખાતો કચરો પુલ પર આવી ગયો છે. ત્યારે કુદરતે જાણે પલટવાર કર્યો હોય તેવું લાગે છે. પ્લાસ્ટિકની થેલીઓ કચરાના ઢગલામાં દેખાઈ હતી. એવું પણ કહેવાય છે કે કુદરત જ્યારે આપે છે ત્યારે છપ્પડ ફાળ આપે છે અને જ્યારે પાછું લે છે ત્યારે આપણી પાસે કઈ રહેવા પણ નથી દેતી.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .