હિમાચલ પ્રદેશમાં કુદરતે ખોલી માનવીની પોલ! પૂર પછી બ્રિજ પર જોવા મળ્યો પ્લાસ્ટિકના કચરાનો ઢગલો, જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-12 13:50:26

કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ કહેવતનો મતલબ થાય છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુ વાસ કરે છે. ઘણા સમયથી સ્વચ્છ ભારતની વાતો પણ કરવામાં આવે છે. આજે સ્વચ્છતાની વાત એટલા માટે કરવી છે કારણ કે હિમાચલ પ્રદેશથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પુલ પર કચરો દેખાય છે. પુલ પર જે કચરો દેખાય છે તે કચરો સીધો નથી નાખવામાં આવ્યો પરંતુ આ એ કચરો છે જે આપણે નદીઓમાં નાખી દેતા હોઈએ છીએ. એવું માનીને કે નદીમાં પડેલો કચરો કોને દેખાવાનો છે. પરંતુ જ્યારે કુદરત પોતાનું રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે વાસ્તવિક્તા સામે આવતી હોય છે. 


અનેક લોકો નદીમાં નાખતા હોય છે કચરો   

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં મેઘમહેર મેઘકહેરમાં પરિવર્તિત થતી દેખાઈ રહી છે. એક સાથે એટલો બધો વરસાદ વરસયો કે જે વરસાદ લાંબા સમય સુધી વરસવો જોઈએ. અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક મકાનો ધોવાઈ ગયા, અનેક લોકોના મોત થઈ ગયા. પરંતુ આ વરસાદે માનવી દ્વારા કરવામાં આવતા કામોની પોલ ખોલી દીધી છે. તમને લાગતું હશે કે ભ્રષ્ટાચાર અંગે વાત કરવાની હશે.પરંતુ ના, વાત કરવી છે માનવો દ્વારા અપનાવવામાં આવતા શોર્ટકટની. મુખ્યત્વે દરેક જગ્યાઓ પર ડસ્ટબીન રાખવામાં આવતા હોય છે પરંતુ અનેક લોકો એવા હોય છે જે રસ્તા પર કચરો નાખી દેતા હોય છે. અનેક તો એવા લોકો હોય છે જે નદીને પણ દુષિત કરે છે. નદીને હિંદુ સંસ્કૃતિમાં માનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ અનેક લોકો નદીમાં જ કચરો નાખી તેને દુષિત કરે છે.


પુલ પર જોવા મળ્યો કચરાનો ઢગલો 

હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે ધીમે ધીમે અનેક જગ્યાઓ પરથી પાણી ઓસરી રહ્યું છે પરંતુ વાસ્તવિક્તા સામે આવી રહી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પુલ પર કચરો દેખાઈ રહ્યો છે. લોકો દ્વારા નદીમાં નખાતો કચરો પુલ પર આવી ગયો છે. ત્યારે કુદરતે જાણે પલટવાર કર્યો હોય તેવું લાગે છે. પ્લાસ્ટિકની થેલીઓ કચરાના ઢગલામાં દેખાઈ હતી. એવું પણ કહેવાય છે કે કુદરત જ્યારે આપે છે ત્યારે છપ્પડ ફાળ આપે છે અને જ્યારે પાછું લે છે ત્યારે આપણી પાસે કઈ રહેવા પણ નથી દેતી.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.