હિમાચલ પ્રદેશમાં કુદરતે ખોલી માનવીની પોલ! પૂર પછી બ્રિજ પર જોવા મળ્યો પ્લાસ્ટિકના કચરાનો ઢગલો, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-12 13:50:26

કહેવાય છે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. આ કહેવતનો મતલબ થાય છે કે જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં પ્રભુ વાસ કરે છે. ઘણા સમયથી સ્વચ્છ ભારતની વાતો પણ કરવામાં આવે છે. આજે સ્વચ્છતાની વાત એટલા માટે કરવી છે કારણ કે હિમાચલ પ્રદેશથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં પુલ પર કચરો દેખાય છે. પુલ પર જે કચરો દેખાય છે તે કચરો સીધો નથી નાખવામાં આવ્યો પરંતુ આ એ કચરો છે જે આપણે નદીઓમાં નાખી દેતા હોઈએ છીએ. એવું માનીને કે નદીમાં પડેલો કચરો કોને દેખાવાનો છે. પરંતુ જ્યારે કુદરત પોતાનું રૌદ્ર રૂપ બતાવે છે ત્યારે વાસ્તવિક્તા સામે આવતી હોય છે. 


અનેક લોકો નદીમાં નાખતા હોય છે કચરો   

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં મેઘમહેર મેઘકહેરમાં પરિવર્તિત થતી દેખાઈ રહી છે. એક સાથે એટલો બધો વરસાદ વરસયો કે જે વરસાદ લાંબા સમય સુધી વરસવો જોઈએ. અનેક રાજ્યોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક મકાનો ધોવાઈ ગયા, અનેક લોકોના મોત થઈ ગયા. પરંતુ આ વરસાદે માનવી દ્વારા કરવામાં આવતા કામોની પોલ ખોલી દીધી છે. તમને લાગતું હશે કે ભ્રષ્ટાચાર અંગે વાત કરવાની હશે.પરંતુ ના, વાત કરવી છે માનવો દ્વારા અપનાવવામાં આવતા શોર્ટકટની. મુખ્યત્વે દરેક જગ્યાઓ પર ડસ્ટબીન રાખવામાં આવતા હોય છે પરંતુ અનેક લોકો એવા હોય છે જે રસ્તા પર કચરો નાખી દેતા હોય છે. અનેક તો એવા લોકો હોય છે જે નદીને પણ દુષિત કરે છે. નદીને હિંદુ સંસ્કૃતિમાં માનો દરજ્જો આપવામાં આવ્યો છે પરંતુ અનેક લોકો નદીમાં જ કચરો નાખી તેને દુષિત કરે છે.


પુલ પર જોવા મળ્યો કચરાનો ઢગલો 

હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પર નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે ધીમે ધીમે અનેક જગ્યાઓ પરથી પાણી ઓસરી રહ્યું છે પરંતુ વાસ્તવિક્તા સામે આવી રહી છે. એક વીડિયો સામે આવ્યો છે જેમાં પુલ પર કચરો દેખાઈ રહ્યો છે. લોકો દ્વારા નદીમાં નખાતો કચરો પુલ પર આવી ગયો છે. ત્યારે કુદરતે જાણે પલટવાર કર્યો હોય તેવું લાગે છે. પ્લાસ્ટિકની થેલીઓ કચરાના ઢગલામાં દેખાઈ હતી. એવું પણ કહેવાય છે કે કુદરત જ્યારે આપે છે ત્યારે છપ્પડ ફાળ આપે છે અને જ્યારે પાછું લે છે ત્યારે આપણી પાસે કઈ રહેવા પણ નથી દેતી.  



કમોસમી વરસાદ અનેક જગ્યાઓ પર વરસ્યો જેને કારણે ઠંડક થઈ પરંતુ હવે તે બાદ હીટવેવની આગાહી કરવામાં આવી... રાજ્યના અનેક વિસ્તારો માટે હીટવેવની આગાહી કરાઈ છે જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે.. અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે....

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.

ઘણા લોકો એવા હોય છે જેમને મૌન રહેવું ગમે છે.. જ્યારે કવિને પૂછવામાં આવે કે તમને સૌથી વધારે કોની સાથે રહેવાનું પસંદ છે તો તે કહે છે મૌન સાથે ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે આદિલ મન્સુરીની રચના .

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.