મધ્યપ્રદેશમાં એક જ પરિવારના ચાર સભ્યોએ આ કારણે ટૂંકાવ્યું જીવન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-13 17:37:52

એક નાનકડી ભૂલની સજા પરિવારને ઘણી વખત બહુ મોંઘી પડી જતી હોય છે. એટલી મોંઘી કે આત્મહત્યા કરવા પરિવાર મજબૂર બની જતા હોય છે. અમે વાત કરી રહ્યા છે એ ઘટનાની જે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલથી સામે આવી છે. બે બાળકો સહિત પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. આત્મહત્યા કરવાની પાછળનું કારણ દેવું બતાવવામાં આવી રહ્યું છે. એ દેવું જે એમણે ઓનલાઈન કંપનીથી લીધું હતું. કંપની પાસેથી લીધેલી લોનનું દેવું એટલું બધું વધી ગયું કે લોનની રકમ સમય પર જમા કરાવી શકતા ન હતા. ધીરે ધીરે દેવું બહુ વધી ગયું અને અંતે પરિવારના સભ્યોએ આત્મહત્યા જેવું ગંભીર પગલું ભર્યું.

अमेरिका

પરિવારના ચાર સભ્યોએ કરી આત્મહત્યા 

खुशी-खुशी हम अपने परिवार के साथ जी रहे थे. कोई परेशानी या किसी बात की चिंता नहीं थी. लेकिन अप्रैल में मेरे वाट्सऐप पर एक मैसेज आया. इसमें ऑनलाइन काम करने का ऑफर था. यही मैसेज दोबारा टेलीग्राम पर आया. थोड़े से पैसे और अपनी  रूरतों के चलते मैं इसके लिए तैयार हो गया. ज्यादा समय भी नहीं देना था, इसलिए काम शुरू कर दिया. शुरू में थोड़ा फायदा हुआ, लेकिन धीरे-धीरे दलदल में फंसता चला गया. આ વાક્ય છે મૃતકે પોતાના સ્યુસાઈડ નોટમાં લખેલા છે. પરિવારના ચાર સભ્યોએ આત્મહત્યા કરી લીધી. આ મામલે મળતી માહિતી અનુસાર કોલંબિયા બેસ્ડ ઓનલાઈન કંપની માટે કામ કરવા લાગ્યા, નુકસાન થતા એ જ કંપનીથી લોન લીધી. લોનનું પેમેન્ટ સમય પર તે કરી શકતા ન હતા. જેને લઈ દેવું વધતું જઈ રહ્યું હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે વધતી લોનના રકમને કારણે પરિવારના સભ્યોએ આ પગલું ઉઠાવ્યું. 

अमेरिका

अमेरिका

अमेरिका

લોનની ચૂકવણી ન કરાતા મળતી હતી ધમકી 

આ મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકોના ઘરેથી એક પત્ર પણ મળ્યો છે. પત્રમાં અનેક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે આ મામલે માહિતી આપતા જણાવ્યું કે પરિવારના મુખ્યસદસ્યને વોટ્સએપ પર એક મેસેજ આવ્યો જેમાં કંપનીમાં કામ કરવા માટે ઓફર આપવામાં આવી હતી. તે બાદ આવો મેસેજ તેને ટેલીગ્રામ પર પણ આવ્યો જેને લઈ તે કામ કરવા તૈયાર થઈ ગયા. કંપની માટે કામ કરવાનું શરૂ કરી દીધું. પહેલા થોડો ફાયદો થયો પરંતુ તે ધીરે ધીરે આ દલદલમાં ફસાતો ગયો. પૈસા ખતમ થઈ જતા કંપનીએ તેને લોનની ઓફર કરી. એક પછી એક અનેક લોન આપી. ધીરે ધીરે કંપની પાસેથી લોનની મોટી જાળમાં ફસાતો ગયો. જ્યારે લોનની ચૂકવણી ન થઈ તો તેને ધમકી મળવા લાગી. તેમના ફોટોનો દુરૂપયોગ કરવામાં આવ્યો, જ્યારે આમાં બચવાના રસ્તો ન મળ્યો ત્યારે પરિવારના મુખ્ય સદસ્યે, પત્ની તેમજ બે બાળકો સાથે આત્મહત્યા કરી લીધી. આ મામલે પોલીસે કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.         



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .