મધ્ય પ્રદેશના કરહલમાં પીએમ મોદીએ સ્વસહાય જૂથની બહેનોને સંબોધન કર્યું , પીએમ મોદીએ માતાને કર્યા યાદ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-17 17:11:50

જન્મદિવસે PM મોદીએ માતાને યાદ કર્યા 


મધ્યપ્રદેશના કરહલમાં એક સ્વસહાય જૂથના કાર્યક્રમને સંબોધન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "આજે હું મારી માતા પાસે જઈ શક્યો નહીં, પણ માતાઓ-બહનોના આશીર્વાદ મળ્યા" PMએ કહ્યું કે, "શ્યોપુર અને કરહલના લોકોને આજથી હું 8 ચિત્તાની જવાબદારી સોંપીને આવ્યો છું". તેમણે કાર્યક્રમમાં હાજર રહેલી મહિલાઓને સંબોધતા કહ્યું કે, "કોઈ કાર્યક્રમ ન હોય તો હું વિચારુ છું કે, માતા પાસે જઈ આવું અને તેમના ચરણસ્પર્શ કરી લઉં અને આ વખતે હું ભલે મારા માતા પાસે નથી જઈ શક્યો પણ મારા માટે ખુશીની વાત છે અહીં લાખો માતા બહનોએ મને આશીર્વાદ આપ્યા છે."

PM મોદીએ કહ્યું કે, "કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડવાનું સૌભાગ્ય મળ્યું છે. દૂરના દેશથી મેહમાન આવ્યા છે. આ ચિત્તાના સન્માન માટે તાલિયો પાડો. હું મધ્યપ્રદેશ અને દેશના લોકોને શુભકામના આપું છું તેમણે વધુમાં કહ્યું હતું કે, દેશની દિકરીઓ ક્યારેય કોઈનાથી પાછળ નથી રહી. મધ્ય પ્રદેશમાં જળ પરિયોજનાનો સમૂહ હાથમાં છે. અમારો ટાર્ગેટ છે કે, ગ્રામીણ પરિવાર આ અભિયાન સાથે જોડાય. સ્વસહાય જૂથ અભિયાનમાં કેટલીય બહેનો જોડાઈ છે."  
પ્રધાનમંત્રી મોદીએ મહિલા સશક્તિકરણ પર કર્યું નિવેદન
આગળ મહિલા સશક્તિકારણ પર કહ્યું છેલ્લા 8 વર્ષમાં સ્વસહાય જૂથને સશક્ત બનાવવા માટે અમે દરેક પ્રકારની મદદ કરી છે. આજે સમગ્ર દેશમાં 8 કરોડથી વધારે બહેનો આ અભિયાન સાથે જોડાયેલી છે. અમારો ટાર્ગેટ છે કે ગ્રામિણ પરિવારમાંથી ઓછામાં ઓેછી એક બહેન આ અભિયાન સાથે જોડાય. જે પણ સેક્ટરમાં મહિલાઓનું પ્રતિનિધ્તવ વધ્યું છે. તે ક્ષેત્રમાં, તે કાર્યમાં આપની સફળતા નક્કી થઈ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા તેનું શાનદાર ઉદાહરણ છે, જેનું મહિલાઓએ નેતૃત્વ કર્યું છે.


ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .