જયારે પત્નીએ કોફીમાં ઝેર ભેળવીને પતિને આપ્યું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-28 17:58:17

જેમ રથને ચલાવવા માટે બે પૈડાના સંતુલનની જરૂર પડે છે તેમ સાંસારિક રથને ચલાવવા માટે પતિ અને પત્નીના સંબંધોમાં સંતુલન ની જરૂર પડે છે . પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં પત્નીએ પતિની કોફીમાં ઝેર ભેળવીને આપી દીધું . આ પછી પતિને હોસ્પિટલ લઈ જવાયો . હવે પત્ની પર  પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે . આ ઘટના છે ઉત્તરપ્રદેશ રાજ્યના મુજફ્ફરનગરના ખતોલીની.  

यूपी में हैरान करने वाली घटना, पत्नी ने पति को कॉफी में दिया जहर, सामने आई  वजह - Shocking incident in Muzaffarnagar, wife gave poison to husband in  coffee, reason revealed -

દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ તેનો જિલ્લો મુઝફ્ફરનગર ત્યાંનું ખતોલી શહેર કે જ્યાં ખુબ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. વાત એવી છે કે, બે વર્ષ પેહલા અનુજ શર્મા નામના યુવકના લગ્ન ગાઝીયાબાદની યુવતી પિંકી સાથે થયા હતા . લગ્નના થોડાક સમયમાંજ એટલેકે બે મહિના પછી અનુજ અને પિંકી વચ્ચે વિવાદો થવા લાગ્યા . પિંકી પર આરોપ લગાવવામાં આવ્યો કે તે ફોન પર બીજા કોઈ છોકરા સાથે વાત કરતી હતી . આ લઇને પિંકી અને અનુજ વચ્ચે દર વખત ઝગડો થતો હતો . અનુજ મેરઠ જિલ્લાની એક હોસ્પિટલમાં નોકરી કરે છે.   અનુજની બહેન મીનાક્ષીની કેહવું છે કે, જયારે અનુજ નોકરી પર હોય ત્યારે પિંકી એક છોકરા સાથે કલાકોના કલાકો ફોન પર વાત કરતી હતી .  અનુજની બહેન મીનાક્ષીએ કહ્યું કે , એક દિવસ અનુજે પિંકીનો ફોન છીનવી લીધો ને તે છોકરાનો ફોટો અને મેસેજ જોયા. આ પછી અનુજને ખબર પડી કે , પિંકી જે છોકરા સાથે ફોન પર સતત વાત કરતી હતી તે તેનો ભાણિયો હતો . આ પછી પિંકીએ અનુજને જણાવ્યું કે લગન પેહલા તે છોકરાને પ્રેમ કરતી હતી. જોકે લગન પછી આ સબંધ માત્ર દોસ્તીનો રહી ગયો. હવે તે તેની સાથે માત્ર  વાત કરે છે . આ બાબતને લઇને પિંકી અને અનુજ વચ્ચે મારામારી થવા લાગી . સાથે જ અનુજના પરિવારનો આરોપ છે કે , પિંકી બે ત્રણ મહિના પેહલા પોતાના પિયરમાં જતી રહી હતી . તે દરમ્યાન પિંકીએ અનુજની વિરુદ્ધમાં મારપીટની ફરિયાદ પણ દાખલ કરી હતી . આ પછી મહિલા પોલીસ સ્ટેશનમાં બેઉ પતિ અને પત્નીનું કાઉન્સેલિંગ થયું હતું . 

Muzaffarnagar Poisonous Coffee Case: क्योंकि अपने भांजे से प्यार करती थी  पिंकी इसलिए उसने पति अनुज की कॉफी में मिलाया जहर, मामले को जान चौंक जाएंगे  - Because Pinky ...

હવે પિંકી પર આરોપ છે કે , ૨૫ માર્ચના દિવસે ઘરે આવી . આ પછી તેણે કઈંક ઝેર કોફીમાં મિલાવીને અનુજને પીવડાવી દીધું . આ પછી અનુજની હાલત નાજુક થઇ ગઈ અને પછી તેમને મેરઠની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા . અનુજની મોટી બહેન મીનાક્ષીનું કેહવું છે કે , પિંકીએ મેરઠના સૌરભ હત્યાકાંડને જોઇને આ ગુનાખોરી આચરી છે.  જોકે હવે પોલીસે પત્નીની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. એક વસ્તુ ચોક્કસ છે કે , દામ્પત્ય જીવનમાં સહનશક્તિ હોવી જ જોઈએ . એકબીજાને સમજવા જરૂરી છે . સિવાય કે ઉગ્ર બોલાચાલી કે પછી હિંસા કરવી .  આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું . 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.