જયારે પત્નીએ કોફીમાં ઝેર ભેળવીને પતિને આપ્યું!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-28 17:58:17

જેમ રથને ચલાવવા માટે બે પૈડાના સંતુલનની જરૂર પડે છે તેમ સાંસારિક રથને ચલાવવા માટે પતિ અને પત્નીના સંબંધોમાં સંતુલન ની જરૂર પડે છે . પરંતુ હાલમાં જ એક એવો કિસ્સો બહાર આવ્યો છે કે જેમાં પત્નીએ પતિની કોફીમાં ઝેર ભેળવીને આપી દીધું . આ પછી પતિને હોસ્પિટલ લઈ જવાયો . હવે પત્ની પર  પોલીસ કેસ નોંધવામાં આવ્યો છે . આ ઘટના છે ઉત્તરપ્રદેશ રાજ્યના મુજફ્ફરનગરના ખતોલીની.  

यूपी में हैरान करने वाली घटना, पत्नी ने पति को कॉफी में दिया जहर, सामने आई  वजह - Shocking incident in Muzaffarnagar, wife gave poison to husband in  coffee, reason revealed -

દેશનું સૌથી મોટું રાજ્ય ઉત્તરપ્રદેશ તેનો જિલ્લો મુઝફ્ફરનગર ત્યાંનું ખતોલી શહેર કે જ્યાં ખુબ ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. વાત એવી છે કે, બે વર્ષ પેહલા અનુજ શર્મા નામના યુવકના લગ્ન ગાઝીયાબાદની યુવતી પિંકી સાથે થયા હતા . લગ્નના થોડાક સમયમાંજ એટલેકે બે મહિના પછી અનુજ અને પિંકી વચ્ચે વિવાદો થવા લાગ્યા . પિંકી પર આરોપ લગાવવામાં આવ્યો કે તે ફોન પર બીજા કોઈ છોકરા સાથે વાત કરતી હતી . આ લઇને પિંકી અને અનુજ વચ્ચે દર વખત ઝગડો થતો હતો . અનુજ મેરઠ જિલ્લાની એક હોસ્પિટલમાં નોકરી કરે છે.   અનુજની બહેન મીનાક્ષીની કેહવું છે કે, જયારે અનુજ નોકરી પર હોય ત્યારે પિંકી એક છોકરા સાથે કલાકોના કલાકો ફોન પર વાત કરતી હતી .  અનુજની બહેન મીનાક્ષીએ કહ્યું કે , એક દિવસ અનુજે પિંકીનો ફોન છીનવી લીધો ને તે છોકરાનો ફોટો અને મેસેજ જોયા. આ પછી અનુજને ખબર પડી કે , પિંકી જે છોકરા સાથે ફોન પર સતત વાત કરતી હતી તે તેનો ભાણિયો હતો . આ પછી પિંકીએ અનુજને જણાવ્યું કે લગન પેહલા તે છોકરાને પ્રેમ કરતી હતી. જોકે લગન પછી આ સબંધ માત્ર દોસ્તીનો રહી ગયો. હવે તે તેની સાથે માત્ર  વાત કરે છે . આ બાબતને લઇને પિંકી અને અનુજ વચ્ચે મારામારી થવા લાગી . સાથે જ અનુજના પરિવારનો આરોપ છે કે , પિંકી બે ત્રણ મહિના પેહલા પોતાના પિયરમાં જતી રહી હતી . તે દરમ્યાન પિંકીએ અનુજની વિરુદ્ધમાં મારપીટની ફરિયાદ પણ દાખલ કરી હતી . આ પછી મહિલા પોલીસ સ્ટેશનમાં બેઉ પતિ અને પત્નીનું કાઉન્સેલિંગ થયું હતું . 

Muzaffarnagar Poisonous Coffee Case: क्योंकि अपने भांजे से प्यार करती थी  पिंकी इसलिए उसने पति अनुज की कॉफी में मिलाया जहर, मामले को जान चौंक जाएंगे  - Because Pinky ...

હવે પિંકી પર આરોપ છે કે , ૨૫ માર્ચના દિવસે ઘરે આવી . આ પછી તેણે કઈંક ઝેર કોફીમાં મિલાવીને અનુજને પીવડાવી દીધું . આ પછી અનુજની હાલત નાજુક થઇ ગઈ અને પછી તેમને મેરઠની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા . અનુજની મોટી બહેન મીનાક્ષીનું કેહવું છે કે , પિંકીએ મેરઠના સૌરભ હત્યાકાંડને જોઇને આ ગુનાખોરી આચરી છે.  જોકે હવે પોલીસે પત્નીની વિરુદ્ધમાં એફઆઈઆર નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. એક વસ્તુ ચોક્કસ છે કે , દામ્પત્ય જીવનમાં સહનશક્તિ હોવી જ જોઈએ . એકબીજાને સમજવા જરૂરી છે . સિવાય કે ઉગ્ર બોલાચાલી કે પછી હિંસા કરવી .  આ કેસમાં જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું . 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .