હાય રે કુદરત... દેશના એક રાજ્યમાં લૂને કારણે લોકો મુશ્કેલીમાં તો બીજા રાજ્યના લોકો વરસાદને કારણે પરેશાન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 12:05:14

દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લૂ લાગવાને કારણે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં લોકોના મોત થઈ રહ્યા છે. અનેક લોકોએ વધતી ગરમીને લઈ કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વધતી ગરમીના પ્રકોપને લઈ કેન્દ્ર સરકારે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરી દીધું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે ઉચ્ચ સ્તરિય બેઠક કરી છે. આ બેઠકમાં લૂથી બચવા માટે કયા પગલા લેવા જોઈએ તે અંગેની ચર્ચાઓ થશે.મહત્વનું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદને કારણે તબાહી મચી છે. આસામમાં પૂરને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે મોસમ વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 



વધતી ગરમીને લઈ બોલાવાઈ ઉચ્ચસ્તરીય બેઠક!  

ગરમીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. અનેક રાજ્યો એવા છે જ્યાં ગરમીથી લોકો બેહાલ બન્યા છે તો કોઈ રાજ્યની પરિસ્થિતિ વરસાદને કારણે બગડી ગઈ છે. ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીને કારણે અનેક લોકોના મોત થયા છે. ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હીટવેવ ખતરનાક સાબિત થઈ રહ્યું છે જેને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. માત્ર ઉત્તર પ્રદેશના બલિયા સ્થિત જિલ્લા હોસ્પિટલમાં જ 15થી 18 જૂનની વચ્ચે અંદાજીત 68 લોકોના મોત થઈ ગયા છે. ગરમીને કારણે લોકોના આરોગ્ય પર ખરાબ અસર થઈ રહી છે. ત્યારે મોતના આંકડાને જોતા તેમજ તેની ગંભીરતાને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક બોલાવી છે. 


આસામમાં પૂરને કારણે જનજીવન થયું પ્રભાવિત 

એક તરફ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યો ગરમીને કારણે બેહાલ બન્યા છે તો બીજી તરફ આસામમાં પુરને કારણે સ્થિતિ બેકાબુ બની છે. પુરને કારણે આસામની સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદને કારણે લગભગ 10 જિલ્લાના લોકો પ્રભાવિત થયા છે. અંદાજીત 31 હજાર લોકો આનાથી પ્રભાવિત થયા છે. મોસમ વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસો પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે તે પછીના બે દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરૂવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. પાણીમાં અનેક ગામડાઓ ડૂબી ગયા છે. 20 હજાર જેટલા લોકો પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.