હાય રે કુદરત... દેશના એક રાજ્યમાં લૂને કારણે લોકો મુશ્કેલીમાં તો બીજા રાજ્યના લોકો વરસાદને કારણે પરેશાન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 12:05:14

દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લૂ લાગવાને કારણે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં લોકોના મોત થઈ રહ્યા છે. અનેક લોકોએ વધતી ગરમીને લઈ કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વધતી ગરમીના પ્રકોપને લઈ કેન્દ્ર સરકારે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરી દીધું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે ઉચ્ચ સ્તરિય બેઠક કરી છે. આ બેઠકમાં લૂથી બચવા માટે કયા પગલા લેવા જોઈએ તે અંગેની ચર્ચાઓ થશે.મહત્વનું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદને કારણે તબાહી મચી છે. આસામમાં પૂરને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે મોસમ વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 



વધતી ગરમીને લઈ બોલાવાઈ ઉચ્ચસ્તરીય બેઠક!  

ગરમીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. અનેક રાજ્યો એવા છે જ્યાં ગરમીથી લોકો બેહાલ બન્યા છે તો કોઈ રાજ્યની પરિસ્થિતિ વરસાદને કારણે બગડી ગઈ છે. ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીને કારણે અનેક લોકોના મોત થયા છે. ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હીટવેવ ખતરનાક સાબિત થઈ રહ્યું છે જેને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. માત્ર ઉત્તર પ્રદેશના બલિયા સ્થિત જિલ્લા હોસ્પિટલમાં જ 15થી 18 જૂનની વચ્ચે અંદાજીત 68 લોકોના મોત થઈ ગયા છે. ગરમીને કારણે લોકોના આરોગ્ય પર ખરાબ અસર થઈ રહી છે. ત્યારે મોતના આંકડાને જોતા તેમજ તેની ગંભીરતાને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક બોલાવી છે. 


આસામમાં પૂરને કારણે જનજીવન થયું પ્રભાવિત 

એક તરફ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યો ગરમીને કારણે બેહાલ બન્યા છે તો બીજી તરફ આસામમાં પુરને કારણે સ્થિતિ બેકાબુ બની છે. પુરને કારણે આસામની સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદને કારણે લગભગ 10 જિલ્લાના લોકો પ્રભાવિત થયા છે. અંદાજીત 31 હજાર લોકો આનાથી પ્રભાવિત થયા છે. મોસમ વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસો પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે તે પછીના બે દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરૂવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. પાણીમાં અનેક ગામડાઓ ડૂબી ગયા છે. 20 હજાર જેટલા લોકો પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે.      



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.