હાય રે કુદરત... દેશના એક રાજ્યમાં લૂને કારણે લોકો મુશ્કેલીમાં તો બીજા રાજ્યના લોકો વરસાદને કારણે પરેશાન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 12:05:14

દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લૂ લાગવાને કારણે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં લોકોના મોત થઈ રહ્યા છે. અનેક લોકોએ વધતી ગરમીને લઈ કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વધતી ગરમીના પ્રકોપને લઈ કેન્દ્ર સરકારે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરી દીધું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે ઉચ્ચ સ્તરિય બેઠક કરી છે. આ બેઠકમાં લૂથી બચવા માટે કયા પગલા લેવા જોઈએ તે અંગેની ચર્ચાઓ થશે.મહત્વનું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદને કારણે તબાહી મચી છે. આસામમાં પૂરને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે મોસમ વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 



વધતી ગરમીને લઈ બોલાવાઈ ઉચ્ચસ્તરીય બેઠક!  

ગરમીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. અનેક રાજ્યો એવા છે જ્યાં ગરમીથી લોકો બેહાલ બન્યા છે તો કોઈ રાજ્યની પરિસ્થિતિ વરસાદને કારણે બગડી ગઈ છે. ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીને કારણે અનેક લોકોના મોત થયા છે. ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હીટવેવ ખતરનાક સાબિત થઈ રહ્યું છે જેને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. માત્ર ઉત્તર પ્રદેશના બલિયા સ્થિત જિલ્લા હોસ્પિટલમાં જ 15થી 18 જૂનની વચ્ચે અંદાજીત 68 લોકોના મોત થઈ ગયા છે. ગરમીને કારણે લોકોના આરોગ્ય પર ખરાબ અસર થઈ રહી છે. ત્યારે મોતના આંકડાને જોતા તેમજ તેની ગંભીરતાને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક બોલાવી છે. 


આસામમાં પૂરને કારણે જનજીવન થયું પ્રભાવિત 

એક તરફ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યો ગરમીને કારણે બેહાલ બન્યા છે તો બીજી તરફ આસામમાં પુરને કારણે સ્થિતિ બેકાબુ બની છે. પુરને કારણે આસામની સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદને કારણે લગભગ 10 જિલ્લાના લોકો પ્રભાવિત થયા છે. અંદાજીત 31 હજાર લોકો આનાથી પ્રભાવિત થયા છે. મોસમ વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસો પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે તે પછીના બે દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરૂવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. પાણીમાં અનેક ગામડાઓ ડૂબી ગયા છે. 20 હજાર જેટલા લોકો પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે.      



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.