હાય રે કુદરત... દેશના એક રાજ્યમાં લૂને કારણે લોકો મુશ્કેલીમાં તો બીજા રાજ્યના લોકો વરસાદને કારણે પરેશાન! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-06-20 12:05:14

દેશના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. લૂ લાગવાને કારણે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં લોકોના મોત થઈ રહ્યા છે. અનેક લોકોએ વધતી ગરમીને લઈ કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે વધતી ગરમીના પ્રકોપને લઈ કેન્દ્ર સરકારે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કરી દીધું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ મામલે ઉચ્ચ સ્તરિય બેઠક કરી છે. આ બેઠકમાં લૂથી બચવા માટે કયા પગલા લેવા જોઈએ તે અંગેની ચર્ચાઓ થશે.મહત્વનું છે કે દેશના અનેક રાજ્યો એવા છે જ્યાં ભારે વરસાદને કારણે તબાહી મચી છે. આસામમાં પૂરને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદને કારણે મોસમ વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 



વધતી ગરમીને લઈ બોલાવાઈ ઉચ્ચસ્તરીય બેઠક!  

ગરમીનો પ્રકોપ સતત વધતો જઈ રહ્યો છે. અનેક રાજ્યો એવા છે જ્યાં ગરમીથી લોકો બેહાલ બન્યા છે તો કોઈ રાજ્યની પરિસ્થિતિ વરસાદને કારણે બગડી ગઈ છે. ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ગરમીને કારણે અનેક લોકોના મોત થયા છે. ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ પહોંચી ગયો છે. હીટવેવ ખતરનાક સાબિત થઈ રહ્યું છે જેને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. માત્ર ઉત્તર પ્રદેશના બલિયા સ્થિત જિલ્લા હોસ્પિટલમાં જ 15થી 18 જૂનની વચ્ચે અંદાજીત 68 લોકોના મોત થઈ ગયા છે. ગરમીને કારણે લોકોના આરોગ્ય પર ખરાબ અસર થઈ રહી છે. ત્યારે મોતના આંકડાને જોતા તેમજ તેની ગંભીરતાને જોતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ બેઠક બોલાવી છે. 


આસામમાં પૂરને કારણે જનજીવન થયું પ્રભાવિત 

એક તરફ ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યો ગરમીને કારણે બેહાલ બન્યા છે તો બીજી તરફ આસામમાં પુરને કારણે સ્થિતિ બેકાબુ બની છે. પુરને કારણે આસામની સ્થિતિ વણસી રહી છે. ભારે વરસાદને કારણે લગભગ 10 જિલ્લાના લોકો પ્રભાવિત થયા છે. અંદાજીત 31 હજાર લોકો આનાથી પ્રભાવિત થયા છે. મોસમ વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી પાંચ દિવસો પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે તે પછીના બે દિવસો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરૂવારે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે ભારે વરસાદને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. પાણીમાં અનેક ગામડાઓ ડૂબી ગયા છે. 20 હજાર જેટલા લોકો પૂરને કારણે અસરગ્રસ્ત થયા છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.