આદિજાતી અને અંતરીયાળ વિસ્તારોમાં લોકોને તેમના દ્વારે મળશે મેડિકલ સુવિધા


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-25 20:14:51

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે. 

ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય શાખા સમાજ કલ્યાણ અને જન સમુદાયના ઉત્થાન માટે ઘણા બધા આરોગ્યલક્ષી માનવતાવાદી કાર્યક્રમો ચાલી રહ્યા છે.ગુજરાત રાજ્ય શાખા દ્વારા આજરોજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટે મોબાઈલ મેડિકલ યુનિટના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિજાતી અને અંતરીયાળ વિસ્તારના ચાર જિલ્લાઓમાં ડાંગ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં REC Foundation Delhiના સહયોગથી મોબાઈલ મેડિકલ વાન કે જેમાં ડોક્ટર, નર્સ , ફાર્માસીસ્ટ તથા ડ્રાઈવરની સહિતની ટીમ તૈનાત હશે. આ ટીમ દરેક ફળિયા તથા મહોલ્લામાં મોબાઈલ મેડિકલ વાન લઈને બિમાર અને જરુરિયાતમંદ લોકોનું મેડિકલ ચેકઅપ કરી વિનામુલ્યે દવા તથા સારવાર આપવામાં આપશે. 

એક મોબાઈલ મેડિકલ વાન મારફતે રોજના 100 કરતા વધારે દર્દીઓને આવરી લેવાનું આયોજન છે. જેના દ્વારા એકમાસમાં 10 હજારથી વધારે જરુરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ તેમના દ્વારે જ ઉપલબ્ધ થઈ રહે તેવી વ્યવસ્થા ગુજરાત રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવી છે. અને આ ઉમદા સેવાકાર્યમાં REC Foundation Delhiનો પણ સહયોગ પ્રાપ્ત થયો છે. લોકસેવા માટે તૈયાર કરાયેલા આ મેડિકલ યુનિટનું નિયંત્રણ GPRS દ્વારા કરવામાં આવનાર છે.  આ વાન મારફતે બિમાર અને જરુરિયાતમંદ દર્દીઓની સારાવરની કામગીરી તો થશે જ ઉપરાંત આરોગ્યની સંભાળ માટે જરુરી માર્ગદર્શન તથા વિવિધ જીવલેણ બિમારીઓ જેવી કે સર્વાઈકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, થેલેસેમીયા-સિકલસેલ અટકાવવાની કામગીરી કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.



ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.