પાકિસ્તાનમાં મોંંઘવારી પહોંચી આસમાને, ઘઉંના લોટ માટે લોકો કરી રહ્યા છે પડાપડી


  • Published By :
  • Published Date : 2023-01-10 10:30:30

પાકિસ્તાનની આર્થિક હાલત દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. આર્થિક મામલે પાકિસ્તાન એકદમ પાછળ ધકેલાઈ ગયું છે. ત્યાંથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં લોકો ઘઉંના લોટ માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. ઘઉંના લોટને લઈ ગંભીર સંકટ ઉભું થઈ ગયું છે. લોકો લોટ માટે લૂંટ કરી રહ્યા છે. લોટ લેવા ભાગદોડ થઈ ગઈ હતી જેમાં અનેક લોકોના મોત પણ થઈ ગયા હતા. ભાગદોડમાં વ્યક્તિઓના મોત થવાને કારણે ખાદ્ય વિભાગના અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ પણ કરી છે.  

पाकिस्तान में फूड डिपार्टमेंट सब्सिडी वाला आटा बेच रहा है। ओपन मार्केट में आटा अब दोगुना महंगा हो चुका है।

ઘઉંના લોટ માટે લોકો કરી રહ્યા છે પડાપડી 

પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ લથડી રહી છે. પાકિસ્તાનમાં લોટની માગ ઉઠી છે. ધી એક્સપ્રેસ ટ્રિબ્યૂનના જણાવ્યા મુજબ ઘઉંના ભાવ આસમાને પહોંચી ગયા છે. પ્રતિમણના ભાવ 5000 રુપિયે પહોંચ્યો છે. એક કિલોના ભાવ 150 જેટલો બોલાઈ રહ્યો છે. આ ભાવ રાવલપીંડીનો હતો. તે સિવાય પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શહેરમાં 15 કિલો ઘઉંનો ભાવ 2250 રુપિયા પર પહોચ્યો છે. ભાવ આસમાને હોવાને કારણે અને સ્ટોક ન હોવાને કારણે લોકો લોટ લેવા પડાપડી કરી રહ્યા છે.   

बलूचिस्तान के खाद्य मंत्री जमारक अचकजई ने बताया है कि राज्य में गेहूं का स्टॉक पूरी तरह से खत्म हो गया है।

મોંઘવારી પહોંચી આસમાને 

આટલી બધી મોંઘવારીને લઈ લોકો ત્રસ્ત થઈ ગયા છે અને રોડ પર આવી પ્રદર્શન કરી રહ્યા છે. મોઘવારી રોકવાની માગ કરી રહ્યા છે. આ મોંઘવારીએ જાણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર આ મોંઘવારી પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત જોવા મળી છે. મોઘવારીને લઈ આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું છે.  


મોંઘવારીને લઈ લોકો કરી રહ્યા છે વિરોધ 

એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ લોટનો સ્ટોક પણ ખતમ થઈ ગયો છે. બલૂચિસ્તાનમાં ઘઉંનો સ્ટોક ખતમ થઈ ગયો છે. ત્યાંના ખાદ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગેની માહિતી આપી હતી. એક તરફ લોટની અછત અને એક તરફ સ્ટોક નથી. જેને કારણે લોટ લેવા એકબીજા સાથે મારામારી કરવા પર પણ ઉતરી આવ્યા છે. હિંસાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ ભાગદોડમાં 40 વર્ષીય મજદૂરનું મોત થઈ ગયું છે.  



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .