પાકિસ્તાનમાં મોંંઘવારી પહોંચી આસમાને, ઘઉંના લોટ માટે લોકો કરી રહ્યા છે પડાપડી


  • Published By :
  • Published Date : 2023-01-10 10:30:30

પાકિસ્તાનની આર્થિક હાલત દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે. આર્થિક મામલે પાકિસ્તાન એકદમ પાછળ ધકેલાઈ ગયું છે. ત્યાંથી એવા દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં લોકો ઘઉંના લોટ માટે પડાપડી કરતા નજરે પડ્યા હતા. ઘઉંના લોટને લઈ ગંભીર સંકટ ઉભું થઈ ગયું છે. લોકો લોટ માટે લૂંટ કરી રહ્યા છે. લોટ લેવા ભાગદોડ થઈ ગઈ હતી જેમાં અનેક લોકોના મોત પણ થઈ ગયા હતા. ભાગદોડમાં વ્યક્તિઓના મોત થવાને કારણે ખાદ્ય વિભાગના અધિકારી વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગ પણ કરી છે.  

पाकिस्तान में फूड डिपार्टमेंट सब्सिडी वाला आटा बेच रहा है। ओपन मार्केट में आटा अब दोगुना महंगा हो चुका है।

ઘઉંના લોટ માટે લોકો કરી રહ્યા છે પડાપડી 

પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ લથડી રહી છે. પાકિસ્તાનમાં લોટની માગ ઉઠી છે. ધી એક્સપ્રેસ ટ્રિબ્યૂનના જણાવ્યા મુજબ ઘઉંના ભાવ આસમાને પહોંચી ગયા છે. પ્રતિમણના ભાવ 5000 રુપિયે પહોંચ્યો છે. એક કિલોના ભાવ 150 જેટલો બોલાઈ રહ્યો છે. આ ભાવ રાવલપીંડીનો હતો. તે સિવાય પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શહેરમાં 15 કિલો ઘઉંનો ભાવ 2250 રુપિયા પર પહોચ્યો છે. ભાવ આસમાને હોવાને કારણે અને સ્ટોક ન હોવાને કારણે લોકો લોટ લેવા પડાપડી કરી રહ્યા છે.   

बलूचिस्तान के खाद्य मंत्री जमारक अचकजई ने बताया है कि राज्य में गेहूं का स्टॉक पूरी तरह से खत्म हो गया है।

મોંઘવારી પહોંચી આસમાને 

આટલી બધી મોંઘવારીને લઈ લોકો ત્રસ્ત થઈ ગયા છે અને રોડ પર આવી પ્રદર્શન કરી રહ્યા છે. મોઘવારી રોકવાની માગ કરી રહ્યા છે. આ મોંઘવારીએ જાણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક મીડિયા દ્વારા મળતી માહિતી અનુસાર આ મોંઘવારી પાકિસ્તાનના ઈતિહાસમાં પહેલી વખત જોવા મળી છે. મોઘવારીને લઈ આંદોલન પણ શરૂ કરવામાં આવ્યું છે.  


મોંઘવારીને લઈ લોકો કરી રહ્યા છે વિરોધ 

એક તરફ મોંઘવારી વધી રહી છે તો બીજી તરફ લોટનો સ્ટોક પણ ખતમ થઈ ગયો છે. બલૂચિસ્તાનમાં ઘઉંનો સ્ટોક ખતમ થઈ ગયો છે. ત્યાંના ખાદ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરી આ અંગેની માહિતી આપી હતી. એક તરફ લોટની અછત અને એક તરફ સ્ટોક નથી. જેને કારણે લોટ લેવા એકબીજા સાથે મારામારી કરવા પર પણ ઉતરી આવ્યા છે. હિંસાના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. આ ભાગદોડમાં 40 વર્ષીય મજદૂરનું મોત થઈ ગયું છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.