વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું 'ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં કાલે અમારી સરકાર હશે'


  • Published By :
  • Published Date : 2023-01-17 14:53:40

દિલ્હી વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. ત્રણ દિવસીય સત્રનો આજે બીજો દિવસ છે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભામાં હંગામો થયો હતો જે બાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ગઈકાલે પણ ભાજપના વિધાયકોએ વિરોધ કર્યો હતો ત્યારે આજે વિધાનસભામાં કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. સત્ર દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભગવાન ઈચ્છશેતો કેન્દ્રમાં અમારી સરકાર હશે.

  

દિલ્હીમાં સરકાર અને એલજી વચ્ચે ચાલતો વિવાદ 

દિલ્હીમાં સરકાર અને એલજી વચ્ચે ચાલતો વિવાદ ફરી એક વખત બહાર આવ્યો છે. ટ્રેનિંગ લેવા શિક્ષકોને ફિનલેન્ડ જવાની પરવાનગી એલજી દ્વારા ન આપવામાં આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. સદનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે સદનમાં ભારી મનથી આજે આ વાત કરી રહ્યું છું. કોઈ પણ રાજ્યની ચૂંટાયેલી સરકાર, સરકારને ચલાવી જોઈએ કે પછી એલજી સાહેબથી ચાલવી જોઈએ. આ એક ગંભીર મુદ્દો છે. 


એલજી પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર 

ટીચર્સના ચાલતા વિવાદને લઈને અરવિંદ કેજરીવાલ એકદમ આક્રામક દેખાયા હતા. એલજી પર પ્રહાર કરતા તેમણે પૂછ્યું કે બેગાની શાદીમેં અબ્દુલા દીવાના. આ એલજી ક્યાંથી આવ્યા છે? કોણ છે એલજી કઈ વાતનો એલજી?   


ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં અમારી સરકાર હશે - કેજરીવાલ 

વધુમાં તેમણે કહ્યું કે સમય બહુ બલવાન છે. કોઈ પણ વસ્તુ પરમનેંટ નથી રહેતી. બહુ બધી સરકાર આવી અને બહુ બધી સરકાર જતી પણ રહી. પરિસ્થિતિ એક સરખી નથી રહેતી. શું ખબર દિલ્હીમાં અમારી સરકાર ન હોય અને કેન્દ્રમાં અમારી સરકાર હોય, પરંતુ અમારા એલજી આવી રીતે દિલ્હી સરકારને હેરાન ન કરતા.  



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.