વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું 'ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં કાલે અમારી સરકાર હશે'


  • Published By :
  • Published Date : 2023-01-17 14:53:40

દિલ્હી વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. ત્રણ દિવસીય સત્રનો આજે બીજો દિવસ છે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભામાં હંગામો થયો હતો જે બાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ગઈકાલે પણ ભાજપના વિધાયકોએ વિરોધ કર્યો હતો ત્યારે આજે વિધાનસભામાં કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. સત્ર દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભગવાન ઈચ્છશેતો કેન્દ્રમાં અમારી સરકાર હશે.

  

દિલ્હીમાં સરકાર અને એલજી વચ્ચે ચાલતો વિવાદ 

દિલ્હીમાં સરકાર અને એલજી વચ્ચે ચાલતો વિવાદ ફરી એક વખત બહાર આવ્યો છે. ટ્રેનિંગ લેવા શિક્ષકોને ફિનલેન્ડ જવાની પરવાનગી એલજી દ્વારા ન આપવામાં આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. સદનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે સદનમાં ભારી મનથી આજે આ વાત કરી રહ્યું છું. કોઈ પણ રાજ્યની ચૂંટાયેલી સરકાર, સરકારને ચલાવી જોઈએ કે પછી એલજી સાહેબથી ચાલવી જોઈએ. આ એક ગંભીર મુદ્દો છે. 


એલજી પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર 

ટીચર્સના ચાલતા વિવાદને લઈને અરવિંદ કેજરીવાલ એકદમ આક્રામક દેખાયા હતા. એલજી પર પ્રહાર કરતા તેમણે પૂછ્યું કે બેગાની શાદીમેં અબ્દુલા દીવાના. આ એલજી ક્યાંથી આવ્યા છે? કોણ છે એલજી કઈ વાતનો એલજી?   


ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં અમારી સરકાર હશે - કેજરીવાલ 

વધુમાં તેમણે કહ્યું કે સમય બહુ બલવાન છે. કોઈ પણ વસ્તુ પરમનેંટ નથી રહેતી. બહુ બધી સરકાર આવી અને બહુ બધી સરકાર જતી પણ રહી. પરિસ્થિતિ એક સરખી નથી રહેતી. શું ખબર દિલ્હીમાં અમારી સરકાર ન હોય અને કેન્દ્રમાં અમારી સરકાર હોય, પરંતુ અમારા એલજી આવી રીતે દિલ્હી સરકારને હેરાન ન કરતા.  



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.