વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું 'ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં કાલે અમારી સરકાર હશે'


  • Published By :
  • Published Date : 2023-01-17 14:53:40

દિલ્હી વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. ત્રણ દિવસીય સત્રનો આજે બીજો દિવસ છે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભામાં હંગામો થયો હતો જે બાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ગઈકાલે પણ ભાજપના વિધાયકોએ વિરોધ કર્યો હતો ત્યારે આજે વિધાનસભામાં કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. સત્ર દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભગવાન ઈચ્છશેતો કેન્દ્રમાં અમારી સરકાર હશે.

  

દિલ્હીમાં સરકાર અને એલજી વચ્ચે ચાલતો વિવાદ 

દિલ્હીમાં સરકાર અને એલજી વચ્ચે ચાલતો વિવાદ ફરી એક વખત બહાર આવ્યો છે. ટ્રેનિંગ લેવા શિક્ષકોને ફિનલેન્ડ જવાની પરવાનગી એલજી દ્વારા ન આપવામાં આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. સદનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે સદનમાં ભારી મનથી આજે આ વાત કરી રહ્યું છું. કોઈ પણ રાજ્યની ચૂંટાયેલી સરકાર, સરકારને ચલાવી જોઈએ કે પછી એલજી સાહેબથી ચાલવી જોઈએ. આ એક ગંભીર મુદ્દો છે. 


એલજી પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર 

ટીચર્સના ચાલતા વિવાદને લઈને અરવિંદ કેજરીવાલ એકદમ આક્રામક દેખાયા હતા. એલજી પર પ્રહાર કરતા તેમણે પૂછ્યું કે બેગાની શાદીમેં અબ્દુલા દીવાના. આ એલજી ક્યાંથી આવ્યા છે? કોણ છે એલજી કઈ વાતનો એલજી?   


ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં અમારી સરકાર હશે - કેજરીવાલ 

વધુમાં તેમણે કહ્યું કે સમય બહુ બલવાન છે. કોઈ પણ વસ્તુ પરમનેંટ નથી રહેતી. બહુ બધી સરકાર આવી અને બહુ બધી સરકાર જતી પણ રહી. પરિસ્થિતિ એક સરખી નથી રહેતી. શું ખબર દિલ્હીમાં અમારી સરકાર ન હોય અને કેન્દ્રમાં અમારી સરકાર હોય, પરંતુ અમારા એલજી આવી રીતે દિલ્હી સરકારને હેરાન ન કરતા.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.