વિધાનસભામાં અરવિંદ કેજરીવાલે કહ્યું 'ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં કાલે અમારી સરકાર હશે'


  • Published By :
  • Published Date : 2023-01-17 14:53:40

દિલ્હી વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું છે. ત્રણ દિવસીય સત્રનો આજે બીજો દિવસ છે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભામાં હંગામો થયો હતો જે બાદ કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી. ગઈકાલે પણ ભાજપના વિધાયકોએ વિરોધ કર્યો હતો ત્યારે આજે વિધાનસભામાં કાળી પટ્ટી પહેરીને વિરોધ નોંધાવ્યો હતો. સત્ર દરમિયાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે ભગવાન ઈચ્છશેતો કેન્દ્રમાં અમારી સરકાર હશે.

  

દિલ્હીમાં સરકાર અને એલજી વચ્ચે ચાલતો વિવાદ 

દિલ્હીમાં સરકાર અને એલજી વચ્ચે ચાલતો વિવાદ ફરી એક વખત બહાર આવ્યો છે. ટ્રેનિંગ લેવા શિક્ષકોને ફિનલેન્ડ જવાની પરવાનગી એલજી દ્વારા ન આપવામાં આવતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રસ્તા પર ઉતરી વિરોધ કર્યો હતો. સદનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે સદનમાં ભારી મનથી આજે આ વાત કરી રહ્યું છું. કોઈ પણ રાજ્યની ચૂંટાયેલી સરકાર, સરકારને ચલાવી જોઈએ કે પછી એલજી સાહેબથી ચાલવી જોઈએ. આ એક ગંભીર મુદ્દો છે. 


એલજી પર અરવિંદ કેજરીવાલે કર્યા પ્રહાર 

ટીચર્સના ચાલતા વિવાદને લઈને અરવિંદ કેજરીવાલ એકદમ આક્રામક દેખાયા હતા. એલજી પર પ્રહાર કરતા તેમણે પૂછ્યું કે બેગાની શાદીમેં અબ્દુલા દીવાના. આ એલજી ક્યાંથી આવ્યા છે? કોણ છે એલજી કઈ વાતનો એલજી?   


ભગવાન ઈચ્છશે તો કેન્દ્રમાં અમારી સરકાર હશે - કેજરીવાલ 

વધુમાં તેમણે કહ્યું કે સમય બહુ બલવાન છે. કોઈ પણ વસ્તુ પરમનેંટ નથી રહેતી. બહુ બધી સરકાર આવી અને બહુ બધી સરકાર જતી પણ રહી. પરિસ્થિતિ એક સરખી નથી રહેતી. શું ખબર દિલ્હીમાં અમારી સરકાર ન હોય અને કેન્દ્રમાં અમારી સરકાર હોય, પરંતુ અમારા એલજી આવી રીતે દિલ્હી સરકારને હેરાન ન કરતા.  



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.