વિધાનસભામાં સરકારે કહ્યું અમદાવાદ અને ગાંધીનગરમાંથી કેટલો દારૂ પકડાયો, આંકડો વાંચી તમે પણ ચોંકી જશો!


  • Published By :
  • Published Date : 2023-03-03 15:12:53

વિધાનસભા સત્ર હાલ ચાલી રહ્યું છે. સત્રમાં વિવિધ મુદ્દે સરકારને પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે વિધાનસભામાં શિક્ષિત બેરોજગારો તેમજ કુપોષિત બાળકોને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે આજે કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેટલો દારૂ ઝડપાયો તે અંગે માહિતી માગવામાં આવી હતી. જેના જવાબમાં જણાવ્યું હતું કે અમદાવાદમાં વર્ષ 2021માં 14,64,666નો દેશી દારૂ જ્યારે વર્ષ 2022માં 15,40,134નો દેશી દારૂ ઝડપાયો હતો. 


સરકારે વિધાનસભામાં રજૂ કર્યો આંકડો 

ગુજરાતમાં દારૂબંધી હોવાના દાવા કરવામાં આવે છે. પરંતુ અનેક વખત અનેક જગ્યાઓ પર દારૂની રેલમછેલ જોવા મળે છે. જેને જોતા એવું લાગે કે દારૂબંધી માત્ર નામ માટે જ છે. ત્યારે વિધાનસભામાં ચાલતા સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેટલો દારૂ ઝડપાયો તે અંગે માહિતી માગી હતી. જેના જવાબમાં સરકાર દ્વારા આંકડા બહાર પાડવામાં આવ્યા હતા. બંને જિલ્લા તેમજ શહેરી વિસ્તાર અને ગ્રામીણ વિસ્તાર માટેની માહિતી આપવામાં આવી હતી. 


2021માં ઝડપાયેલા દારૂની વિગતો

જવાબમાં સરકારે કહ્યું કે વર્ષ 2021માં અમદાવાદ શહેરમાં 14,64,666નો દેશી દારૂ ઝપ્ત કરવામાં આવ્યો છે જ્યારે અમદાવાદ ગ્રામ્યમાંથી 6,81,990નો દેશી દારૂ મળી આવ્યો છે. ગાંધીનગર શહેરમાંથી 24,560નો દેશી દારૂ જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 5,68,880 રુપિયાનો દેશી દારૂ પકડાયો છે. વિદેશી દારૂનો આંકડો પણ આપ્યો હતો જે મુજબ વર્ષ 2021માં અમદાવાદ શહેરમાં 27198267નો વિદેશી દારૂ પકડાયો હતો. અમદાવાદ ગ્રામ્યમાંથી 131628,975નો જ્યારે ગાંધીનગર શહેરમાં 1313567નો વિદેશી દારૂ જપ્ત થયો હતો જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 28352029નો વિદેશી દારૂ પકડાયો હતો. 2021માં પકડાયેલા બિયરના જથ્થાની વાત કરીએ તો અમદાવાદ શહેરમાંથી 1181084નો, અમદાવાદ ગ્રામ્યમાંથી 3521050 રુપિયાનો, ગાંધીનગર શહેરમાંથી 3000નો જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 82093 રૂપિયાની બીયર પકડાઈ હતી. 


2022માં આટલા રુપિયાનો દારૂ ઝડપાયો  

વર્ષ 2022માં મળી આવેલા વિદેશી દારૂની વાત કરીએ તો અમદાવાદ શહેરમાંથી 1540134નો, અમદાવાદ ગ્રામ્યમાંથી 6,71,520નો દેશી દારૂ મળી આવ્યો છે. ગાંધીનગર શહેરમાંથી 30780નો જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 5,85,420 રુપિયાનો દેશી દારૂ પકડાયો છે. વિદેશી દારૂનો આંકડો આ પ્રમાણે છે - અમદાવાદ શહેરમાંથી 53499739નો, અમદાવાદ ગ્રામ્યમાંથી 70007403નો, ગાંધીનગરશહેરમાંથી 1027402નો, જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 45842437 રુપિયાનો જપ્ત કરવામાં આવ્યો હતો. પકડાયેલા બીયરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાંથી 2648288નો, અમદાવાદ ગ્રામ્યમાંથી 2955074નો, ગાંધીનગર શહેરમાંથી 4745નો જ્યારે ગાંધીનગર જિલ્લામાંથી 240395 રુપિયાનો બીયર જપ્ત કરવામાં આવ્યો છે. 




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.