અબુ ધાબીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટમાં મહિલાએ કર્યું ગેરવર્તન, કપડા ઉતાર્યા તેમજ ક્રૂ-મેમ્બર સાથે કરી મારામારી!!


  • Published By :
  • Published Date : 2023-01-31 11:01:33

ઘણા સમયથી ફ્લાઈટમાં એવા એવા કિસ્સાઓ બની રહ્યા છે જે વિચારવા પર મજબૂર કરી દે છે. ફ્લાઈટમાં બોલાચાલી થવી, માારમારી થવી જેવી વાતો આજકાલ જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે અબુ-ધાબીથી મુંબઈ આવી રહેલી વિસ્તારા ફ્લાઈટથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ ફ્લાઈટમાં કપડા ઉતાર્યા તેમજ ક્રૂ મેંબર સાથે ગેરવર્તન કર્યું હતું.


નશામાં ઘૂત મહિલાએ ક્રૂ-મેમ્બર સાથે કર્યું ગેરવર્તન 

નશામાં ઘૃત વ્યક્તિ અનેક વખત ક્યાં બેઠો છે, શું કરી રહ્યો છે જેવી વાતો ભૂલી જતો હોય છે. થોડા સમય પહેલા એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વ્યક્તિએ નશાની હાલતમાં મહિલા પર પેશાબ કરી લીધો હતો. તે સિવાય અનેક કિસ્સાઓ સામે આવે છે જેમાં ફ્લાઈટમાં મારા-મારી કરવી, ક્રૂ-મેમ્બર સાથે ગેરવર્તન કરવામાં આવતું હોય છે. પરંતુ હદ ત્યારે પાર થઈ જ્યારે અબુ ધાબીથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટમાં ઈટલીની મહિલાએ નશાની હાલતમાં પોતાના કપડા ઉતારી દીધા. નિર્વસ્ત્ર થઈ મહિલા આમ-તેમ ફરવા લાગી. જ્યારે ક્રૂ મેમ્બરે રોકવાની કોશિશ કરી તે દરમિયાન તેની સાથે મારામારી કરી હતી.


નિર્વસ્ત્ર થઈ ફ્લાઈટમાં ફરી મહિલા

આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ મહિલાની ઓળખાણ કરી લેવામાં આવી છે. ફ્લાઈટમાંએ નશામાં હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મહિલા વિરુદ્ધ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જસીટ દાખલ કરવામાં આવી છે. તે સિવાય 25 હજાર રુપિયાનો દંડ પણ આપવામાં આવ્યો છે. મહિલા ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં જઈને બેસી હતી જ્યારે તેની ઈકોનોમી ક્લાસની ટિકીટ હતી. જ્યારે ક્રૂ મેમ્બરે તેને પોતાની સીટ પર જવા કહ્યું ત્યારે ક્રૂ મેમ્બરના ચહેરા પર તેણે મુક્કો માર્યો. જ્યારે બીજા ક્રૂ મેમ્બરે રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે મહિલાએ તેના પર થૂંક્યુ અને પોતાના કપડા ઉતારીને ફ્લાઈટમાં ફરવા લાગી. 


મહિલાને ફટકાર્યો 25 હજાર રુપિયાનો દંડ

આ ઘટના અંગે વધુમાં પોલીસે જણાવ્યું કે નશામાં ઘૂત મહિલા પેસેન્જરે ક્રૂ મેમ્બર સાથે દુર્વ્યવહાર કર્યો હતો જેની જાણ ફ્લાઈટના કેપ્ટનને કરવામાં આવી. ક્રૂ મેમ્બરોએ મહિલા પેસેન્જરને પકડી અને તેને કપડા પહેરાવ્યા અને પછી મહિલાને સીટ સાથે બાંધી દીધી. પાસપોર્ટ જપ્ત કરી પોલીસે અંધેરી કોર્ટમાં રજૂ કર્યા બાદ ચાર્જશીટ દાખલ કરી હતી પરંતુ મહિલાને જામીન મળી ગયા હતા. તે સિવાય મહિલાને 25 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.            




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.