ACBના ઇતિહાસમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-25 20:54:57

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત . 

ACB Gujarat | Ahmedabad

આખી ઘટના એમ છે કે , કચ્છ જિલ્લાનું ભુજ જ્યાં , આરોપી તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ૩ - મયુરસિંહ અજીતસિંહ સોઢાની થોડાક સમય પેહલા ભ્રષ્ટાચારના કેસમાં ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી . કેમ કે , આ મહાશય દ્વારા ફરિયાદી પાસેથી દેશીદારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ નહિ કરવાની અવેજીમાં ૪૦૦૦ રૂપિયા માંગવામાં આવ્યા હતા . પરંતુ આરોપી મયુરસિંહ તો ગુન્હામાં અગત્યનો પુરાવો તેવી ફિંનોપ્થેલીન પાવડરવાળી નોટો પોતાના મોઢામાં ચાવી કાઢેલ. આ પછી આ નોટોને આરોપી મયુરસિંહના મોઢામાંથી બહાર કઢાવેલ તે પછી DNA PROFILE પરીક્ષણ કરાવવામાં આવેલ. તે પછી હવે નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપી મયુર સિંહને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ , ૧૯૮૮ અંતર્ગત પાંચ વર્ષની સખત કેદની સજા કરેલ છે. આમ હવે ACBના ઇતિહાસમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થયેલ  છે  જેનાથી અન્ય ભ્રષ્ટ કર્મીઓ સતર્ક થઇ જાય. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.