ACBના ઇતિહાસમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-25 20:54:57

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત . 

ACB Gujarat | Ahmedabad

આખી ઘટના એમ છે કે , કચ્છ જિલ્લાનું ભુજ જ્યાં , આરોપી તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ૩ - મયુરસિંહ અજીતસિંહ સોઢાની થોડાક સમય પેહલા ભ્રષ્ટાચારના કેસમાં ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી . કેમ કે , આ મહાશય દ્વારા ફરિયાદી પાસેથી દેશીદારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ નહિ કરવાની અવેજીમાં ૪૦૦૦ રૂપિયા માંગવામાં આવ્યા હતા . પરંતુ આરોપી મયુરસિંહ તો ગુન્હામાં અગત્યનો પુરાવો તેવી ફિંનોપ્થેલીન પાવડરવાળી નોટો પોતાના મોઢામાં ચાવી કાઢેલ. આ પછી આ નોટોને આરોપી મયુરસિંહના મોઢામાંથી બહાર કઢાવેલ તે પછી DNA PROFILE પરીક્ષણ કરાવવામાં આવેલ. તે પછી હવે નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપી મયુર સિંહને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ , ૧૯૮૮ અંતર્ગત પાંચ વર્ષની સખત કેદની સજા કરેલ છે. આમ હવે ACBના ઇતિહાસમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થયેલ  છે  જેનાથી અન્ય ભ્રષ્ટ કર્મીઓ સતર્ક થઇ જાય. 




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી