ACBના ઇતિહાસમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-07-25 20:54:57

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત . 

ACB Gujarat | Ahmedabad

આખી ઘટના એમ છે કે , કચ્છ જિલ્લાનું ભુજ જ્યાં , આરોપી તત્કાલીન પોલીસ કોન્સ્ટેબલ વર્ગ ૩ - મયુરસિંહ અજીતસિંહ સોઢાની થોડાક સમય પેહલા ભ્રષ્ટાચારના કેસમાં ACB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી . કેમ કે , આ મહાશય દ્વારા ફરિયાદી પાસેથી દેશીદારૂ ગાળવાની ભઠ્ઠીનો કેસ નહિ કરવાની અવેજીમાં ૪૦૦૦ રૂપિયા માંગવામાં આવ્યા હતા . પરંતુ આરોપી મયુરસિંહ તો ગુન્હામાં અગત્યનો પુરાવો તેવી ફિંનોપ્થેલીન પાવડરવાળી નોટો પોતાના મોઢામાં ચાવી કાઢેલ. આ પછી આ નોટોને આરોપી મયુરસિંહના મોઢામાંથી બહાર કઢાવેલ તે પછી DNA PROFILE પરીક્ષણ કરાવવામાં આવેલ. તે પછી હવે નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટે આરોપી મયુર સિંહને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ , ૧૯૮૮ અંતર્ગત પાંચ વર્ષની સખત કેદની સજા કરેલ છે. આમ હવે ACBના ઇતિહાસમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થયેલ  છે  જેનાથી અન્ય ભ્રષ્ટ કર્મીઓ સતર્ક થઇ જાય. 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.