Suratની બસમાં છોકરાએ કંડક્ટરનો કોલર પકડ્યોને દાદાગીરી કરી! પરંતુ મજાની વાત એ હતી કે...


  • Published By :
  • Published Date : 2024-06-27 19:06:03

અનેક વીડિયો આપણે જોયા હશે જેમાં બાપની ઓળખાણનો લાભ, તેમના પૈસાનો રોફ તેમનો દીકરો જમાવતો હોય.. ત્યારે સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ બસમાં કંટક્ટરનો કોલર પકડે છે. બાપા જ્યારે રાજનીતિમાં હોય ત્યારે તેમના છોકરાઓ રોફ જમાવતા હોય છે.. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

છોકરો બસમાં ચડ્યો અને કંડક્ટરનો કોલર પડકી..!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સુમૂલ ડેરી રોડ ઉપરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બસના કંડક્ટર સાથે એક મુસાફરે ઉગ્ર બોલચાલી કરી, રોફ જમાવ્યો હતો. તેણે કન્ડક્ટરનો કોલર પકડી દાદાગીરી કરી હતી. કંડક્ટરને લાખો રૂપિયાનાં નોટનાં બંડલો દેખાડી ધારાસભ્યનો છોકરો છું, થાય એ કરી લે એવું પણ કહ્યું જેનો વીડિયો પણ વાયરલ થયો છે. છોકરો બસમાં ચડ્યો અને બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો હતો.



બેગની ચેન ખોલી અને પછી...  

કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે એમ કહ્યું ત્યારે હું ધારાસભ્યનો દીકરો છું એમ કહી રોફ જમાવ્યો. યુવાને કંડક્ટરની સામે રોફ જમાવવા માટે બેગની ચેઇન ખોલી અંદરથી રૂપિયા 500ની નોટનાં બંડલો બતાવ્યાં હતાં અને કહ્યું હતું કે તું મને શું ભિખારી સમજે છે? કંડક્ટરે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો અને આખી વાતની જાણ કરી.. 



જ્યારે કોર્પોરેટરને પૂછવામાં આવ્યું ત્યારે.. 

મજાની વાત તો એ છે કે યુવક વીડિયોમાં પોતાના મોબાઈલમાં ફોટો બતાવી કહે છે કે, ધારાસભ્યનો છોકરો છું પણ તે ફોટો તો કોર્પોરેટરનો નીકળ્યો.. આવી માહિતી સામે આવી છે. બામરોલી ઉધના નોર્થના કોર્પોરેટર પરેશ પટેલનો ફોટો એ હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પરેશ પટેલે ખુલાસો કર્યો છે કે, બસ કંડકટર સાથે અશોભનીય વર્તન કરનાર યુવક સાથે મારે કોઈ સંબંધ નથી. આ વાયરલ વીડિયો મારી પાસે પણ આવ્યો હતો અને મારા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે કાર્યવાહી કરવા માટે પણ જાણ કરી દીધી છે. તો હવે આ યુવક સાથે શું થાય છે તે જોવાનું રહ્યું. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.