Suratની બસમાં છોકરાએ કંડક્ટરનો કોલર પકડ્યોને દાદાગીરી કરી! પરંતુ મજાની વાત એ હતી કે...


  • Published By :
  • Published Date : 2024-06-27 19:06:03

અનેક વીડિયો આપણે જોયા હશે જેમાં બાપની ઓળખાણનો લાભ, તેમના પૈસાનો રોફ તેમનો દીકરો જમાવતો હોય.. ત્યારે સુરતથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ બસમાં કંટક્ટરનો કોલર પકડે છે. બાપા જ્યારે રાજનીતિમાં હોય ત્યારે તેમના છોકરાઓ રોફ જમાવતા હોય છે.. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

છોકરો બસમાં ચડ્યો અને કંડક્ટરનો કોલર પડકી..!

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સુમૂલ ડેરી રોડ ઉપરનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. બસના કંડક્ટર સાથે એક મુસાફરે ઉગ્ર બોલચાલી કરી, રોફ જમાવ્યો હતો. તેણે કન્ડક્ટરનો કોલર પકડી દાદાગીરી કરી હતી. કંડક્ટરને લાખો રૂપિયાનાં નોટનાં બંડલો દેખાડી ધારાસભ્યનો છોકરો છું, થાય એ કરી લે એવું પણ કહ્યું જેનો વીડિયો પણ વાયરલ થયો છે. છોકરો બસમાં ચડ્યો અને બસમાં ચડ્યા બાદ તેણે કંડક્ટર સાથે દરવાજા પાસે કેમ ઊભો છે કહી કોલર પકડી લીધો હતો.



બેગની ચેન ખોલી અને પછી...  

કંડક્ટરે જ્યારે તેને કોલર કેમ પકડે છે એમ કહ્યું ત્યારે હું ધારાસભ્યનો દીકરો છું એમ કહી રોફ જમાવ્યો. યુવાને કંડક્ટરની સામે રોફ જમાવવા માટે બેગની ચેઇન ખોલી અંદરથી રૂપિયા 500ની નોટનાં બંડલો બતાવ્યાં હતાં અને કહ્યું હતું કે તું મને શું ભિખારી સમજે છે? કંડક્ટરે પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યો અને આખી વાતની જાણ કરી.. 



જ્યારે કોર્પોરેટરને પૂછવામાં આવ્યું ત્યારે.. 

મજાની વાત તો એ છે કે યુવક વીડિયોમાં પોતાના મોબાઈલમાં ફોટો બતાવી કહે છે કે, ધારાસભ્યનો છોકરો છું પણ તે ફોટો તો કોર્પોરેટરનો નીકળ્યો.. આવી માહિતી સામે આવી છે. બામરોલી ઉધના નોર્થના કોર્પોરેટર પરેશ પટેલનો ફોટો એ હતો. આ વીડિયો વાયરલ થયા બાદ પરેશ પટેલે ખુલાસો કર્યો છે કે, બસ કંડકટર સાથે અશોભનીય વર્તન કરનાર યુવક સાથે મારે કોઈ સંબંધ નથી. આ વાયરલ વીડિયો મારી પાસે પણ આવ્યો હતો અને મારા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે કાર્યવાહી કરવા માટે પણ જાણ કરી દીધી છે. તો હવે આ યુવક સાથે શું થાય છે તે જોવાનું રહ્યું. 



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.