વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની સભામાં થયો પથ્થરમારો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-09 11:36:33

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો . 

Gujarat By Election : AAP ने विसावदर उपचुनाव के लिए गोपाल इटालिया को  उम्मीदवार किया घोषित - Panchayat Times

આ સમગ્ર ઘટના મામલે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે , " આજની સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક, તેમજ વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસીર મેતરના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમાર્યો છે અને કોર્પોરેટર કમલેશ રીબડીયાના પુત્રે ગાળાગાળી કરી હતી છે. ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયાં ત્યારે પણ અધિકારી હાજર નહોતા. એક કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. એવું લાગે છે કે ભાજપમાંથી ફોન ન આવે ત્યાં સુધી અધિકારીઓ કામ પર નહીં આવે. સીએમ. સી.આર. પાટીલ અને ઉમેદવાર કિરીટ પટેલના નામે આક્ષેપ ઇટાલિયાએ પ્રશ્ન કર્યો કે, આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી? કિરીટ પટેલની દલાલી કરનારા લોકોને અમારો મેસેજ છે કે સુધરી જજો." આ ઘટનાને લઇને ગોપાલ ઈટાલીયાએ તેમના સોશ્યિલ મીડિયા પર એક વિડિઓ પણ બનાવ્યો છે . 

जानिए कौन हैं युवराज सिंह जडेजा? जिनकी एक आवाज पर हजारों छात्र हो जाते हैं  इकट्ठा, अब हुए गिरफ्तार - who is yuvraj singh jadeja arrested by gujarat  police ntc - AajTak

આ હુમલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ગોપાલ ઇટાલિયાને સમર્થન આપતાં જણાવ્યું કે, "જીવાપરાની સભામાં અસામાજિક તત્વો મનમાનીથી બોલી રહ્યાં હતાં અને કાકરીચાળો પણ કર્યો હતો. અહીં લોકશાહી ન ચાલતી હોવાનું લાગી રહ્યું છે. પરંતુ આવનાર દિવસોમાં વિસાવદરની જનતા આવી હરકતોનો જવાબ જરૂર આપશે." 

તો હવે આ બાબતે વિસાવદરના ACPની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે , " ૮ તારીખે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભા હતી . તે પછી સભા પતી આ પછી ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકર્તાના ઘરે ચા પાણી પીવા જતા હતા ત્યારે તેમને અપશબ્દો કહેવામાં આવ્યા હતા . જેમાં ત્રણ વ્યક્તિઓની ઓળખ થઇ છે જેમની વિરુદ્ધમાં તપાસ ચાલુ છે. "  

વિસાવદરની પેટાચૂંટણી માટે જોરદાર માહોલ ગરમાયો છે . થોડાક સમય પેહલા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા . હવે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ત્યાં જાહેરસભા કરી છે . આ બેઠક પર મતદાન ૧૯મી જૂનના રોજ થશે જયારે ૨૩મી જૂનના રોજ પરિણામ આવશે . તો હવે જોઈએ પરિણામ કોની ફેવરમાં આવશે . 




૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.