વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની સભામાં થયો પથ્થરમારો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-09 11:36:33

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો . 

Gujarat By Election : AAP ने विसावदर उपचुनाव के लिए गोपाल इटालिया को  उम्मीदवार किया घोषित - Panchayat Times

આ સમગ્ર ઘટના મામલે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે , " આજની સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક, તેમજ વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસીર મેતરના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમાર્યો છે અને કોર્પોરેટર કમલેશ રીબડીયાના પુત્રે ગાળાગાળી કરી હતી છે. ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયાં ત્યારે પણ અધિકારી હાજર નહોતા. એક કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. એવું લાગે છે કે ભાજપમાંથી ફોન ન આવે ત્યાં સુધી અધિકારીઓ કામ પર નહીં આવે. સીએમ. સી.આર. પાટીલ અને ઉમેદવાર કિરીટ પટેલના નામે આક્ષેપ ઇટાલિયાએ પ્રશ્ન કર્યો કે, આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી? કિરીટ પટેલની દલાલી કરનારા લોકોને અમારો મેસેજ છે કે સુધરી જજો." આ ઘટનાને લઇને ગોપાલ ઈટાલીયાએ તેમના સોશ્યિલ મીડિયા પર એક વિડિઓ પણ બનાવ્યો છે . 

जानिए कौन हैं युवराज सिंह जडेजा? जिनकी एक आवाज पर हजारों छात्र हो जाते हैं  इकट्ठा, अब हुए गिरफ्तार - who is yuvraj singh jadeja arrested by gujarat  police ntc - AajTak

આ હુમલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ગોપાલ ઇટાલિયાને સમર્થન આપતાં જણાવ્યું કે, "જીવાપરાની સભામાં અસામાજિક તત્વો મનમાનીથી બોલી રહ્યાં હતાં અને કાકરીચાળો પણ કર્યો હતો. અહીં લોકશાહી ન ચાલતી હોવાનું લાગી રહ્યું છે. પરંતુ આવનાર દિવસોમાં વિસાવદરની જનતા આવી હરકતોનો જવાબ જરૂર આપશે." 

તો હવે આ બાબતે વિસાવદરના ACPની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે , " ૮ તારીખે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભા હતી . તે પછી સભા પતી આ પછી ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકર્તાના ઘરે ચા પાણી પીવા જતા હતા ત્યારે તેમને અપશબ્દો કહેવામાં આવ્યા હતા . જેમાં ત્રણ વ્યક્તિઓની ઓળખ થઇ છે જેમની વિરુદ્ધમાં તપાસ ચાલુ છે. "  

વિસાવદરની પેટાચૂંટણી માટે જોરદાર માહોલ ગરમાયો છે . થોડાક સમય પેહલા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા . હવે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ત્યાં જાહેરસભા કરી છે . આ બેઠક પર મતદાન ૧૯મી જૂનના રોજ થશે જયારે ૨૩મી જૂનના રોજ પરિણામ આવશે . તો હવે જોઈએ પરિણામ કોની ફેવરમાં આવશે . 




જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો .

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક અને મેહસાણા જિલ્લાની કડી બેઠક માટે ચૂંટણી પ્રચાર જોર પકડી રહ્યો છે. આ બંને બેઠકોની પેટાચૂંટણીના પાણીપતમાં હવે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ એકશન મોડમાં આવી ગયા છે. કેન્દ્રમાં જળ શક્તિ મંત્રી સી આર પાટીલ આવતીકાલથી ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરુ કરવા જઈ રહ્યા છે. જેનાથી વિપક્ષની ગણતરીઓ ઉંધી પડી શકે છે .

આધુનિક યુગમાં કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઈસનું હૃદય એવા સેમિકન્ડક્ટરની માંગ ખુબ જ જોરદાર રીતે વધી રહી છે. ત્યારે ભારત પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે પાછળ રહેવા માટે તૈયાર નથી . ભારત અને અમેરિકા વચ્ચે સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહકાર વધારે મજબૂત થઈ શકે તે માટે મુંબઈમાં યુએસ-ઇન્ડિયા સેમિકન્ડક્ટર રાઉન્ડટેબલ સિરીઝ યોજાઈ હતી . જેનું આયોજન યુએસ કોન્સ્યુલેટ જનરલ મુંબઈ દ્વારા ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ અને શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કો. સાથે સહયોગથી જીઓ વર્લ્ડ કન્વેનશન સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું .

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે જયારે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી બિહારની મુલાકાતે છે . આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ છે . વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં મહત્વના ઇન્ફ્રાસ્ટક્ચર પ્રોજેક્ટનું અનાવરણ કરવાના છે . તો આવો જાણીએ બેઉ નેતાઓની મુલાકાત વિશે.