વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની સભામાં થયો પથ્થરમારો!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-09 11:36:33

જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠકમાં અત્યારસુધીમાં માત્ર ને માત્ર નેતાઓ નિવેદનબાજીઓ કરતા હતા પરંતુ હવે થયું છે એવું કે , જયારે વિસાવદરના જીવાપરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જયારે સભા કરી રહ્યા હતા ત્યારે રાત્રી દરમ્યાન ભાજપના સમર્થકો દ્વારા તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો . 

Gujarat By Election : AAP ने विसावदर उपचुनाव के लिए गोपाल इटालिया को  उम्मीदवार किया घोषित - Panchayat Times

આ સમગ્ર ઘટના મામલે ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું છે , " આજની સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક, તેમજ વિસાવદરના ભાજપ કોર્પોરેટર નાસીર મેતરના ભાઈ અને તેમના ગુંડાઓએ તેમના પર પથ્થરમાર્યો છે અને કોર્પોરેટર કમલેશ રીબડીયાના પુત્રે ગાળાગાળી કરી હતી છે. ઇટાલિયાએ જણાવ્યું કે, ભાજપના ગુંડાઓ બેફામ બન્યા છે.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયાં ત્યારે પણ અધિકારી હાજર નહોતા. એક કલાકથી રાહ જોઈ રહ્યા છીએ. એવું લાગે છે કે ભાજપમાંથી ફોન ન આવે ત્યાં સુધી અધિકારીઓ કામ પર નહીં આવે. સીએમ. સી.આર. પાટીલ અને ઉમેદવાર કિરીટ પટેલના નામે આક્ષેપ ઇટાલિયાએ પ્રશ્ન કર્યો કે, આ લોકશાહીથી ચાલતું રાજ્ય છે કે કિરીટશાહીથી? કિરીટ પટેલની દલાલી કરનારા લોકોને અમારો મેસેજ છે કે સુધરી જજો." આ ઘટનાને લઇને ગોપાલ ઈટાલીયાએ તેમના સોશ્યિલ મીડિયા પર એક વિડિઓ પણ બનાવ્યો છે . 

जानिए कौन हैं युवराज सिंह जडेजा? जिनकी एक आवाज पर हजारों छात्र हो जाते हैं  इकट्ठा, अब हुए गिरफ्तार - who is yuvraj singh jadeja arrested by gujarat  police ntc - AajTak

આ હુમલાને લઈને આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ ગોપાલ ઇટાલિયાને સમર્થન આપતાં જણાવ્યું કે, "જીવાપરાની સભામાં અસામાજિક તત્વો મનમાનીથી બોલી રહ્યાં હતાં અને કાકરીચાળો પણ કર્યો હતો. અહીં લોકશાહી ન ચાલતી હોવાનું લાગી રહ્યું છે. પરંતુ આવનાર દિવસોમાં વિસાવદરની જનતા આવી હરકતોનો જવાબ જરૂર આપશે." 

તો હવે આ બાબતે વિસાવદરના ACPની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેમણે કહ્યું છે કે , " ૮ તારીખે વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની સભા હતી . તે પછી સભા પતી આ પછી ગોપાલ ઇટાલિયા પોતાના કાર્યકર્તાના ઘરે ચા પાણી પીવા જતા હતા ત્યારે તેમને અપશબ્દો કહેવામાં આવ્યા હતા . જેમાં ત્રણ વ્યક્તિઓની ઓળખ થઇ છે જેમની વિરુદ્ધમાં તપાસ ચાલુ છે. "  

વિસાવદરની પેટાચૂંટણી માટે જોરદાર માહોલ ગરમાયો છે . થોડાક સમય પેહલા પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા . હવે આજે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલે ત્યાં જાહેરસભા કરી છે . આ બેઠક પર મતદાન ૧૯મી જૂનના રોજ થશે જયારે ૨૩મી જૂનના રોજ પરિણામ આવશે . તો હવે જોઈએ પરિણામ કોની ફેવરમાં આવશે . 




વિસાવદરની પેટાચૂંટણીમાં વિજય પછી આમ આદમી પાર્ટીમાં ભારે ઉત્સાહનો માહોલ છે. થોડાક સમય પેહલા , આપ સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ ગુજરાત આવ્યા હતા . તેમણે સદસ્યતા અભિયાનની શરૂઆત કરાવડાવી હતી . આમ આદમી પાર્ટીની રણનીતિ છે કે , આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ પેહલા , પોતાનું સંગઠન મજબૂત કરે. હવે , BJP અને કોંગ્રેસમાંથી ગાબડાં પડવાની શરૂઆત થઈ ચુકી છે. જૂનાગઢ જિલ્લામાં કેશોદ ખાતે, MLA ગોપાલ ઇટાલિયાની હાજરીમાં BJP અને કોંગ્રેસના હોદ્દેદારો ખુબ મોટા પાયે , આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તે પેહલા , આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની હાજરીમાં મહેસાણામાં BJP અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

દાહોદમાં ખુબ ગાજેલું મનરેગા કૌભાંડ જેમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના બંને દીકરા કિરણ અને બળવંત ખાબડ જેલવાસ ભોગવીને હાલમાં જામીન પર બહાર છે. ત્યારે મંત્રી બચુ ખાબડ છેલ્લી ૧૧ કેબિનેટની બેઠકોમાં ગેરહાજર રહ્યા છે. તો હવે અહીં સવાલ છે કે, શું મંત્રી બચુ ખાબડની આગામી મંત્રી મંડળના વિસ્તરણ વખતે વિકેટ પડવા જઈ રહી છે. છેલ્લે , ૨૩મી એપ્રિલની કેબિનેટની મિટિંગમાં મંત્રી બચુ ખાબડે હાજરી આપી હતી .

ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.