પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિએ કર્યો વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો પ્રયાસ! શાળામાં બંદૂક લઈ ઘૂસ્યો અને બાળકોને ડરાવવાની કોશિશ કરી!


  • Published By :
  • Published Date : 2023-04-27 13:44:09

પશ્ચિમ બંગાળના એક સ્કૂલમાં એક એવી ઘટના બની હતી જેમાં વિદ્યાર્થીઓના જીવન પર જોખમ તોળાયું હતું. પશ્ચિમ બંગાળની એક સ્કૂલમાં એક વ્યક્તિ બંદૂક લઈને ઘૂસી ગયો હતો અને છોકરાઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્કૂલમાં જઈ આઠમાં ધોરણની ક્લાસ પહોંચી ગયો અને વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. બંદૂક સાથે પહોંચેલા વ્યક્તિ આવતા શાળામાં ભાગ દોડ મચી હતી. મહામહેનતે પોલીસે બાળકોને સનકી વ્યક્તિના સકંજામાંથી છોડાવ્યા હતા. 


વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો કર્યો પ્રયાસ!           

ઘર પછી છોકરાઓ સૌથી વધારે સમય મુખ્યત્વે શાળામાં પસાર કરતા હોય છે. વિદ્યાર્થીઓ માટે શાળા સેફ ગણાતી હોય છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં એક ઘટના બની કે જેમાં બંદૂક લઈને એક વ્યક્તિ શાળામાં પહોંચી ગયો હતો. આ ઘટના મુચિયા આંચલ ચંદ્રમોહન હાઈસ્કૂલની છે. જ્યાં બંદૂક ધારી એક વ્યક્તિ અચાનક આવી ગયો હતો. હાથમાં રિવોલ્વર અને એસિડ બોમ્બની બે બોટલો લઈને સ્કૂલ આવી પહોંચ્યો હતો અને વિદ્યાર્થીઓને બંધક બનાવવાની કોશિશ કરી હતી. 


રિવોલ્વર અને એસિડની બોટલ લઈ શાળા પહોંચ્યો હતો!  

શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો સનકી માણસે બંદૂક ચલાવી દીધી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પરંતુ કોઈ અનિચ્છનિય બનાવ બને તે પહેલા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે જણાવ્યું કે સ્કૂલના આઠમા ધોરણની ક્લાસમાં બંદૂક ધારી વ્યક્તિ ઘૂસી આવ્યો હતો. આ ક્લાસમાં 35-40 બાળકો બેઠા હતા. જ્યારે તે ક્લાસમાં એન્ટર થયો ત્યારે તેણે જાહેરાત કરી કે, વિદ્યાર્થીઓને બંધક બનાઉ છું. અને દરેક બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરવાની ધમકી મળતા બાળકો તેમજ શિક્ષક ડરી ગયા હતા. રિવોલ્વર તાણી અને બૂમો પાડવા લાગ્યો હતો,  


સનકી વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો!

આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જણાવ્યા અનુસાર પેરેન્ટ બનીને સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો અને તે બાદ પેપર વાંચવા લાગ્યો. સ્કૂલ દ્વારા આ માહિતી પોલીસને આપવામાં આવી હતી. જે બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તે સનકી વ્યક્તિને પકડી પાડ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં લોકોએ સ્કૂલની સામે પ્રદર્શન કર્યા હતા. 


પ્રશાસન પર પ્રેશર લાવવા કર્યું આવું!

આ મામલે ક્લાસ ટીચરે કહ્યું કે તે શખ્સ એવો લાગી રહ્યો હતો કે કોઈ બાળકના વાલી હોય. તેણે રિવોલ્વર કાઢી અને મને એક ખૂણામાં બેસી જવા કહ્યું. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. આ મામલે પોલીસને આરોપીએ કહ્યું કે તેનો દીકરો અને તેની પત્ની એક વર્ષથી ગુમ છે. પ્રશાસન પર પ્રેશર બનાવવા માટે તેણે આવું કર્યું હતું. મળતી માહિતી અનુસાર શાળમાં આખા દિવસની રજા જાહેર કરી દીધી હતી.       



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.