પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિએ કર્યો વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો પ્રયાસ! શાળામાં બંદૂક લઈ ઘૂસ્યો અને બાળકોને ડરાવવાની કોશિશ કરી!


  • Published By :
  • Published Date : 2023-04-27 13:44:09

પશ્ચિમ બંગાળના એક સ્કૂલમાં એક એવી ઘટના બની હતી જેમાં વિદ્યાર્થીઓના જીવન પર જોખમ તોળાયું હતું. પશ્ચિમ બંગાળની એક સ્કૂલમાં એક વ્યક્તિ બંદૂક લઈને ઘૂસી ગયો હતો અને છોકરાઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્કૂલમાં જઈ આઠમાં ધોરણની ક્લાસ પહોંચી ગયો અને વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. બંદૂક સાથે પહોંચેલા વ્યક્તિ આવતા શાળામાં ભાગ દોડ મચી હતી. મહામહેનતે પોલીસે બાળકોને સનકી વ્યક્તિના સકંજામાંથી છોડાવ્યા હતા. 


વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો કર્યો પ્રયાસ!           

ઘર પછી છોકરાઓ સૌથી વધારે સમય મુખ્યત્વે શાળામાં પસાર કરતા હોય છે. વિદ્યાર્થીઓ માટે શાળા સેફ ગણાતી હોય છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં એક ઘટના બની કે જેમાં બંદૂક લઈને એક વ્યક્તિ શાળામાં પહોંચી ગયો હતો. આ ઘટના મુચિયા આંચલ ચંદ્રમોહન હાઈસ્કૂલની છે. જ્યાં બંદૂક ધારી એક વ્યક્તિ અચાનક આવી ગયો હતો. હાથમાં રિવોલ્વર અને એસિડ બોમ્બની બે બોટલો લઈને સ્કૂલ આવી પહોંચ્યો હતો અને વિદ્યાર્થીઓને બંધક બનાવવાની કોશિશ કરી હતી. 


રિવોલ્વર અને એસિડની બોટલ લઈ શાળા પહોંચ્યો હતો!  

શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો સનકી માણસે બંદૂક ચલાવી દીધી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પરંતુ કોઈ અનિચ્છનિય બનાવ બને તે પહેલા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે જણાવ્યું કે સ્કૂલના આઠમા ધોરણની ક્લાસમાં બંદૂક ધારી વ્યક્તિ ઘૂસી આવ્યો હતો. આ ક્લાસમાં 35-40 બાળકો બેઠા હતા. જ્યારે તે ક્લાસમાં એન્ટર થયો ત્યારે તેણે જાહેરાત કરી કે, વિદ્યાર્થીઓને બંધક બનાઉ છું. અને દરેક બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરવાની ધમકી મળતા બાળકો તેમજ શિક્ષક ડરી ગયા હતા. રિવોલ્વર તાણી અને બૂમો પાડવા લાગ્યો હતો,  


સનકી વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો!

આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જણાવ્યા અનુસાર પેરેન્ટ બનીને સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો અને તે બાદ પેપર વાંચવા લાગ્યો. સ્કૂલ દ્વારા આ માહિતી પોલીસને આપવામાં આવી હતી. જે બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તે સનકી વ્યક્તિને પકડી પાડ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં લોકોએ સ્કૂલની સામે પ્રદર્શન કર્યા હતા. 


પ્રશાસન પર પ્રેશર લાવવા કર્યું આવું!

આ મામલે ક્લાસ ટીચરે કહ્યું કે તે શખ્સ એવો લાગી રહ્યો હતો કે કોઈ બાળકના વાલી હોય. તેણે રિવોલ્વર કાઢી અને મને એક ખૂણામાં બેસી જવા કહ્યું. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. આ મામલે પોલીસને આરોપીએ કહ્યું કે તેનો દીકરો અને તેની પત્ની એક વર્ષથી ગુમ છે. પ્રશાસન પર પ્રેશર બનાવવા માટે તેણે આવું કર્યું હતું. મળતી માહિતી અનુસાર શાળમાં આખા દિવસની રજા જાહેર કરી દીધી હતી.       



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.