પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિએ કર્યો વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો પ્રયાસ! શાળામાં બંદૂક લઈ ઘૂસ્યો અને બાળકોને ડરાવવાની કોશિશ કરી!


  • Published By :
  • Published Date : 2023-04-27 13:44:09

પશ્ચિમ બંગાળના એક સ્કૂલમાં એક એવી ઘટના બની હતી જેમાં વિદ્યાર્થીઓના જીવન પર જોખમ તોળાયું હતું. પશ્ચિમ બંગાળની એક સ્કૂલમાં એક વ્યક્તિ બંદૂક લઈને ઘૂસી ગયો હતો અને છોકરાઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્કૂલમાં જઈ આઠમાં ધોરણની ક્લાસ પહોંચી ગયો અને વિદ્યાર્થીઓને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. બંદૂક સાથે પહોંચેલા વ્યક્તિ આવતા શાળામાં ભાગ દોડ મચી હતી. મહામહેનતે પોલીસે બાળકોને સનકી વ્યક્તિના સકંજામાંથી છોડાવ્યા હતા. 


વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો કર્યો પ્રયાસ!           

ઘર પછી છોકરાઓ સૌથી વધારે સમય મુખ્યત્વે શાળામાં પસાર કરતા હોય છે. વિદ્યાર્થીઓ માટે શાળા સેફ ગણાતી હોય છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં એક ઘટના બની કે જેમાં બંદૂક લઈને એક વ્યક્તિ શાળામાં પહોંચી ગયો હતો. આ ઘટના મુચિયા આંચલ ચંદ્રમોહન હાઈસ્કૂલની છે. જ્યાં બંદૂક ધારી એક વ્યક્તિ અચાનક આવી ગયો હતો. હાથમાં રિવોલ્વર અને એસિડ બોમ્બની બે બોટલો લઈને સ્કૂલ આવી પહોંચ્યો હતો અને વિદ્યાર્થીઓને બંધક બનાવવાની કોશિશ કરી હતી. 


રિવોલ્વર અને એસિડની બોટલ લઈ શાળા પહોંચ્યો હતો!  

શાળામાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જો સનકી માણસે બંદૂક ચલાવી દીધી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પરંતુ કોઈ અનિચ્છનિય બનાવ બને તે પહેલા વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે પોલીસે જણાવ્યું કે સ્કૂલના આઠમા ધોરણની ક્લાસમાં બંદૂક ધારી વ્યક્તિ ઘૂસી આવ્યો હતો. આ ક્લાસમાં 35-40 બાળકો બેઠા હતા. જ્યારે તે ક્લાસમાં એન્ટર થયો ત્યારે તેણે જાહેરાત કરી કે, વિદ્યાર્થીઓને બંધક બનાઉ છું. અને દરેક બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. મરવાની ધમકી મળતા બાળકો તેમજ શિક્ષક ડરી ગયા હતા. રિવોલ્વર તાણી અને બૂમો પાડવા લાગ્યો હતો,  


સનકી વ્યક્તિને પોલીસે ઝડપી પાડ્યો!

આ ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસને જણાવ્યા અનુસાર પેરેન્ટ બનીને સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો અને તે બાદ પેપર વાંચવા લાગ્યો. સ્કૂલ દ્વારા આ માહિતી પોલીસને આપવામાં આવી હતી. જે બાદ પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને તે સનકી વ્યક્તિને પકડી પાડ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. આ ઘટનાની જાણ થતાં લોકોએ સ્કૂલની સામે પ્રદર્શન કર્યા હતા. 


પ્રશાસન પર પ્રેશર લાવવા કર્યું આવું!

આ મામલે ક્લાસ ટીચરે કહ્યું કે તે શખ્સ એવો લાગી રહ્યો હતો કે કોઈ બાળકના વાલી હોય. તેણે રિવોલ્વર કાઢી અને મને એક ખૂણામાં બેસી જવા કહ્યું. મળતી માહિતી અનુસાર આ વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. આ મામલે પોલીસને આરોપીએ કહ્યું કે તેનો દીકરો અને તેની પત્ની એક વર્ષથી ગુમ છે. પ્રશાસન પર પ્રેશર બનાવવા માટે તેણે આવું કર્યું હતું. મળતી માહિતી અનુસાર શાળમાં આખા દિવસની રજા જાહેર કરી દીધી હતી.       



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.