ક્યાં દેશમાં ટીવી ચેનલનના એંકરે મહારાણી એલિઝાબેથ દ્વિતિયના નિધન પર કરી ઉજવણી ?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-09 15:50:54

બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતિયનું ગુરુવારે નિધન થયું તેમના નિધન બાદથી દુનિયાભરના દેશોમાં  શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મોટાભાગના દેશોના રાષ્ટ્ર પ્રમુખોએ તેમના નિધનને મોટું નુકસાન ગણાવતા શોક વ્યક્ત કર્યો છે. આ બધા વચ્ચે એક એવો વ્યક્તિ પણ જોવા મળ્યો છે જે એલિઝાબેથના નિધનની ઉજવણી કરી રહ્યો છે. આ વ્યક્તિ આર્જેન્ટિનાની એક ટીવી ચેનલનો એંકર છે. જેણે ટીવી પર આ ઉજવણી કરી.


હાલ આ વિડિઓ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે

આ વ્યક્તિ આર્જેન્ટિનાની એક ટીવી ચેનલનો એંકર છે. જેણે ટીવી પર આ ઉજવણી કરી. આ સેલિબ્રેશનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ લોકો આ એંકરની ખુબ ટીકા કરી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ એંકરનું નામ સેન્ટિયાગો કુનેઓ છે. તે ટીવી શો દરમિયાન એલિઝાબેથના નિધનની ખબર મળ્યા બાદ ખુબ ખુશ થઈ જાય છે


બ્રિટનના મહારાણી એલિઝાબેથ દ્વિતીયના નિધનને પગલે ભારત સરકારે સમગ્ર દેશમાં 11 સપ્ટેમ્બરના રોજ એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.