તો શું ભારત અને યુએસ વચ્ચે વ્યાપારી કરારો પાક્કા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-27 14:44:43

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે.

Donald Trump: Presidency, Family, Education | HISTORY

 ભારતનું પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલને લઇને ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે. ૯મી જુલાઈ ડેડલાઈન છે . તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસ ખાતે જે "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમ યોજાયો હતો તેમાં નિવેદન આપ્યું છે કે , " દરેક વ્યક્તિ સોદો કરવા અને તેનો ભાગ બનવા માંગે છે. થોડા મહિના પહેલા પ્રેસવાર્તામાં કહ્યું હતું, 'શું તમારી પાસે કોઈ રસપ્રદ સોદા છે? સારું, અમે ગઈકાલે જ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમારી પાસે કેટલાક મહાન સોદા ચાલી રહ્યા છે. હવે અમારો ભારત સાથે એક કરાર થવા જઈ રહ્યો છે. ખૂબ જ મોટો સોદો. અમે બધા સાથે ડીલ નથી કરવાના. અમે ફક્ત કેટલાક લોકોને એક પત્ર મોકલીશું, જેમાં લખેલું હશે, ખૂબ ખૂબ આભાર. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. અમેરિકાએ તાજેતરમાં ચીન સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે ભારત સાથે પણ કંઈક આવું જ થવાનું છે. " ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલનો મુખ્ય ઉદ્દેશ 2030 સુધીમાં વ્યાપારને $ ૫૦૦ બિલિયન સુધી લઈ જવાનો છે. ભારતનું પ્રતિનિધિમંડળ ફરી એકવાર વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે . લાગે છે કે , ૯મી જુલાઈ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થઈ શકે છે .બેઉ દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં માર્કેટ એક્સેસ એ ખુબ જ સ્ટીકી પોઇન્ટ છે. તેનું એક કારણ એ છે કે , અમેરિકાને ભારતમાં પોતાની કૃષિ પેદાશોની નિકાસ કરવી છે. તેમાં મુખ્યત્વે સોયા અને મકાઈનો સમાવેશ થાય છે. આ સોયા અને મકાઈની ખુબ મોટાપાયે અમેરિકા ચીનમાં નિકાસ કરે છે. એટલુંજ નહિ યુએસ ભારતમાં પોતાના સફરજનની નિકાસ કરવા પણ માંગે છે. 

India-US trade deal: New Delhi's trade surplus with Washington may shrink  as bilateral trade deal nears finalisation - Report - Times of India

આપને જણાવી દયિકે , ભારતમાં ૭૫ ટકા કરતા વધારે સફરજન જમ્મુ કાશ્મીર રાજ્યમાં પેદા થાય છે. જમ્મુ કાશ્મીરના સફરજનની ખુબ મોટા પાયે નિકાસ વિદેશોમાં પણ થાય છે.  ભારત દુનિયામાં સૌથી મોટું ખાદ્ય તેલની આયાત કરનારો દેશ છે. આપણે હાલમાં તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત કરીએ છીએ.  ભારત મોટી સંખ્યામાં ક્રૂડ ઓઇલની પણ આયાત કરે છે , તેમાં પણ હવે યુએસમાંથી ક્રૂડ ઓઈલની આયાત વધતી જાય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમેરિકામાંથી થતી આયાતમાં ૧૧.૪૯ ટકા જેટલો વધારો નોંધાયો છે.  10 જૂનના રોજ વાટાઘાટોના સમાપન સમયે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા એક વાજબી અને સમાન વેપાર કરાર પર પહોંચવાની પ્રક્રિયામાં છે જેનો લાભ બંને અર્થતંત્રોને થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ , ૨જી એપ્રિલના રોજ ૧૦૦ દેશો પર પારસ્પરિક ટેરીફની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં  કહ્યું હતું કે ,  'આજે મુક્તિ દિવસ છે, જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું.' જોકે, 9 એપ્રિલના રોજ, તેમણે ચીન સિવાયના તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખ્યા. બાદમાં, ચીનને પણ ટેરિફમાંથી રાહત આપવામાં આવી હતી અને હવે ચીન સાથે લંડન ટોલ્ક્સના અંતે વ્યાપારી સોદાને અંતિમ સ્વરૂપ અપાયું છે . ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ દેશોની મિટિંગમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. ક્વાડ દેશોમાં ભારત , ઓસ્ટ્રેલિયા , જાપાન અને અમેરિકા તેના સભ્યદેશો છે. ક્વાડ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ ફ્રી એન્ડ ઓપન ઈન્ડો પેસીફીકનો છે. 




ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.