તો શું ભારત અને યુએસ વચ્ચે વ્યાપારી કરારો પાક્કા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-27 14:44:43

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે.

Donald Trump: Presidency, Family, Education | HISTORY

 ભારતનું પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલને લઇને ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે. ૯મી જુલાઈ ડેડલાઈન છે . તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસ ખાતે જે "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમ યોજાયો હતો તેમાં નિવેદન આપ્યું છે કે , " દરેક વ્યક્તિ સોદો કરવા અને તેનો ભાગ બનવા માંગે છે. થોડા મહિના પહેલા પ્રેસવાર્તામાં કહ્યું હતું, 'શું તમારી પાસે કોઈ રસપ્રદ સોદા છે? સારું, અમે ગઈકાલે જ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમારી પાસે કેટલાક મહાન સોદા ચાલી રહ્યા છે. હવે અમારો ભારત સાથે એક કરાર થવા જઈ રહ્યો છે. ખૂબ જ મોટો સોદો. અમે બધા સાથે ડીલ નથી કરવાના. અમે ફક્ત કેટલાક લોકોને એક પત્ર મોકલીશું, જેમાં લખેલું હશે, ખૂબ ખૂબ આભાર. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. અમેરિકાએ તાજેતરમાં ચીન સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે ભારત સાથે પણ કંઈક આવું જ થવાનું છે. " ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલનો મુખ્ય ઉદ્દેશ 2030 સુધીમાં વ્યાપારને $ ૫૦૦ બિલિયન સુધી લઈ જવાનો છે. ભારતનું પ્રતિનિધિમંડળ ફરી એકવાર વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે . લાગે છે કે , ૯મી જુલાઈ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થઈ શકે છે .બેઉ દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં માર્કેટ એક્સેસ એ ખુબ જ સ્ટીકી પોઇન્ટ છે. તેનું એક કારણ એ છે કે , અમેરિકાને ભારતમાં પોતાની કૃષિ પેદાશોની નિકાસ કરવી છે. તેમાં મુખ્યત્વે સોયા અને મકાઈનો સમાવેશ થાય છે. આ સોયા અને મકાઈની ખુબ મોટાપાયે અમેરિકા ચીનમાં નિકાસ કરે છે. એટલુંજ નહિ યુએસ ભારતમાં પોતાના સફરજનની નિકાસ કરવા પણ માંગે છે. 

India-US trade deal: New Delhi's trade surplus with Washington may shrink  as bilateral trade deal nears finalisation - Report - Times of India

આપને જણાવી દયિકે , ભારતમાં ૭૫ ટકા કરતા વધારે સફરજન જમ્મુ કાશ્મીર રાજ્યમાં પેદા થાય છે. જમ્મુ કાશ્મીરના સફરજનની ખુબ મોટા પાયે નિકાસ વિદેશોમાં પણ થાય છે.  ભારત દુનિયામાં સૌથી મોટું ખાદ્ય તેલની આયાત કરનારો દેશ છે. આપણે હાલમાં તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત કરીએ છીએ.  ભારત મોટી સંખ્યામાં ક્રૂડ ઓઇલની પણ આયાત કરે છે , તેમાં પણ હવે યુએસમાંથી ક્રૂડ ઓઈલની આયાત વધતી જાય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમેરિકામાંથી થતી આયાતમાં ૧૧.૪૯ ટકા જેટલો વધારો નોંધાયો છે.  10 જૂનના રોજ વાટાઘાટોના સમાપન સમયે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા એક વાજબી અને સમાન વેપાર કરાર પર પહોંચવાની પ્રક્રિયામાં છે જેનો લાભ બંને અર્થતંત્રોને થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ , ૨જી એપ્રિલના રોજ ૧૦૦ દેશો પર પારસ્પરિક ટેરીફની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં  કહ્યું હતું કે ,  'આજે મુક્તિ દિવસ છે, જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું.' જોકે, 9 એપ્રિલના રોજ, તેમણે ચીન સિવાયના તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખ્યા. બાદમાં, ચીનને પણ ટેરિફમાંથી રાહત આપવામાં આવી હતી અને હવે ચીન સાથે લંડન ટોલ્ક્સના અંતે વ્યાપારી સોદાને અંતિમ સ્વરૂપ અપાયું છે . ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ દેશોની મિટિંગમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. ક્વાડ દેશોમાં ભારત , ઓસ્ટ્રેલિયા , જાપાન અને અમેરિકા તેના સભ્યદેશો છે. ક્વાડ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ ફ્રી એન્ડ ઓપન ઈન્ડો પેસીફીકનો છે. 




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .