તો શું ભારત અને યુએસ વચ્ચે વ્યાપારી કરારો પાક્કા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-27 14:44:43

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે.

Donald Trump: Presidency, Family, Education | HISTORY

 ભારતનું પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલને લઇને ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે. ૯મી જુલાઈ ડેડલાઈન છે . તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસ ખાતે જે "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમ યોજાયો હતો તેમાં નિવેદન આપ્યું છે કે , " દરેક વ્યક્તિ સોદો કરવા અને તેનો ભાગ બનવા માંગે છે. થોડા મહિના પહેલા પ્રેસવાર્તામાં કહ્યું હતું, 'શું તમારી પાસે કોઈ રસપ્રદ સોદા છે? સારું, અમે ગઈકાલે જ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમારી પાસે કેટલાક મહાન સોદા ચાલી રહ્યા છે. હવે અમારો ભારત સાથે એક કરાર થવા જઈ રહ્યો છે. ખૂબ જ મોટો સોદો. અમે બધા સાથે ડીલ નથી કરવાના. અમે ફક્ત કેટલાક લોકોને એક પત્ર મોકલીશું, જેમાં લખેલું હશે, ખૂબ ખૂબ આભાર. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. અમેરિકાએ તાજેતરમાં ચીન સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે ભારત સાથે પણ કંઈક આવું જ થવાનું છે. " ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલનો મુખ્ય ઉદ્દેશ 2030 સુધીમાં વ્યાપારને $ ૫૦૦ બિલિયન સુધી લઈ જવાનો છે. ભારતનું પ્રતિનિધિમંડળ ફરી એકવાર વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે . લાગે છે કે , ૯મી જુલાઈ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થઈ શકે છે .બેઉ દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં માર્કેટ એક્સેસ એ ખુબ જ સ્ટીકી પોઇન્ટ છે. તેનું એક કારણ એ છે કે , અમેરિકાને ભારતમાં પોતાની કૃષિ પેદાશોની નિકાસ કરવી છે. તેમાં મુખ્યત્વે સોયા અને મકાઈનો સમાવેશ થાય છે. આ સોયા અને મકાઈની ખુબ મોટાપાયે અમેરિકા ચીનમાં નિકાસ કરે છે. એટલુંજ નહિ યુએસ ભારતમાં પોતાના સફરજનની નિકાસ કરવા પણ માંગે છે. 

India-US trade deal: New Delhi's trade surplus with Washington may shrink  as bilateral trade deal nears finalisation - Report - Times of India

આપને જણાવી દયિકે , ભારતમાં ૭૫ ટકા કરતા વધારે સફરજન જમ્મુ કાશ્મીર રાજ્યમાં પેદા થાય છે. જમ્મુ કાશ્મીરના સફરજનની ખુબ મોટા પાયે નિકાસ વિદેશોમાં પણ થાય છે.  ભારત દુનિયામાં સૌથી મોટું ખાદ્ય તેલની આયાત કરનારો દેશ છે. આપણે હાલમાં તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત કરીએ છીએ.  ભારત મોટી સંખ્યામાં ક્રૂડ ઓઇલની પણ આયાત કરે છે , તેમાં પણ હવે યુએસમાંથી ક્રૂડ ઓઈલની આયાત વધતી જાય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમેરિકામાંથી થતી આયાતમાં ૧૧.૪૯ ટકા જેટલો વધારો નોંધાયો છે.  10 જૂનના રોજ વાટાઘાટોના સમાપન સમયે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા એક વાજબી અને સમાન વેપાર કરાર પર પહોંચવાની પ્રક્રિયામાં છે જેનો લાભ બંને અર્થતંત્રોને થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ , ૨જી એપ્રિલના રોજ ૧૦૦ દેશો પર પારસ્પરિક ટેરીફની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં  કહ્યું હતું કે ,  'આજે મુક્તિ દિવસ છે, જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું.' જોકે, 9 એપ્રિલના રોજ, તેમણે ચીન સિવાયના તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખ્યા. બાદમાં, ચીનને પણ ટેરિફમાંથી રાહત આપવામાં આવી હતી અને હવે ચીન સાથે લંડન ટોલ્ક્સના અંતે વ્યાપારી સોદાને અંતિમ સ્વરૂપ અપાયું છે . ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ દેશોની મિટિંગમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. ક્વાડ દેશોમાં ભારત , ઓસ્ટ્રેલિયા , જાપાન અને અમેરિકા તેના સભ્યદેશો છે. ક્વાડ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ ફ્રી એન્ડ ઓપન ઈન્ડો પેસીફીકનો છે. 




ગુજરાતમાં કોંગ્રેસે અત્યારથી જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીઓ શરુ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. એકલા આ ૨૦૨૫ના વર્ષમા તેઓ પાંચમી વાર ગુજરાતની મુલાકાત લઇ ચુક્યા છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે રાજધાની દિલ્હીની મુલાકાતે છે. જેનાથી ગુજરાતના રાજકારણમાં અને તેમાંય સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં નવાજૂનીનાં એંધાણ લાગી રહ્યા છે. આજે સવારે સ્ટાર્ટઅપ કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થઇ ગયા છે. જોકે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે , મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો આ પ્રવાસ માત્રને માત્ર સરકારી બાબતોને લઇને છે અને તે સંપૂર્ણપણે બિનરાજકીય છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજાના અમિત ખૂંટ કેસમાં બે દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. હવે આ કેસમાં ગોંડલ તાલુકા પોલીસ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ કરશે. જૂનાગઢ જેલમાંથી કબ્જો લીધા બાદ અનિરુદ્ધસિંહ જાડેજાને ગોંડલ કોર્ટમાં રજૂ કરાયા હતા. આમ હવે આજથી અનિરુદ્ધસિંહ જાડેજાની બે દિવસની પૂછપરછ શરુ થઇ રહી છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ આજે (૧૮મી ઓગસ્ટ) બપોરે ૩ વાગ્યે જૂનાગઢ જેલમાં EX MLA પોપટ સોરઠીયા કેસમાં સરેન્ડર કરશે. આ સમયે અમિત ખૂંટ કેસમાં પણ તેમની ધરપકડ થઇ શકે છે. ગુજરાત હાઇકોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની સજામાફી રદ કરી હતી. આ પછી અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા પરંતુ સુપ્રીમ કોર્ટે પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પિટિશન ફગાવી દીધી હતી.