તો શું ભારત અને યુએસ વચ્ચે વ્યાપારી કરારો પાક્કા?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-27 14:44:43

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે.

Donald Trump: Presidency, Family, Education | HISTORY

 ભારતનું પ્રતિનિધિમંડળ ટ્રેડ ડીલને લઇને ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે. ૯મી જુલાઈ ડેડલાઈન છે . તો હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસ ખાતે જે "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમ યોજાયો હતો તેમાં નિવેદન આપ્યું છે કે , " દરેક વ્યક્તિ સોદો કરવા અને તેનો ભાગ બનવા માંગે છે. થોડા મહિના પહેલા પ્રેસવાર્તામાં કહ્યું હતું, 'શું તમારી પાસે કોઈ રસપ્રદ સોદા છે? સારું, અમે ગઈકાલે જ ચીન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. અમારી પાસે કેટલાક મહાન સોદા ચાલી રહ્યા છે. હવે અમારો ભારત સાથે એક કરાર થવા જઈ રહ્યો છે. ખૂબ જ મોટો સોદો. અમે બધા સાથે ડીલ નથી કરવાના. અમે ફક્ત કેટલાક લોકોને એક પત્ર મોકલીશું, જેમાં લખેલું હશે, ખૂબ ખૂબ આભાર. તમારે 25, 35, 45 ટકા ચૂકવવા પડશે. ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. અમેરિકાએ તાજેતરમાં ચીન સાથે વેપાર કરારો પર હસ્તાક્ષર કર્યા છે અને હવે ભારત સાથે પણ કંઈક આવું જ થવાનું છે. " ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલનો મુખ્ય ઉદ્દેશ 2030 સુધીમાં વ્યાપારને $ ૫૦૦ બિલિયન સુધી લઈ જવાનો છે. ભારતનું પ્રતિનિધિમંડળ ફરી એકવાર વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે અમેરિકા પહોંચી ચૂક્યું છે . લાગે છે કે , ૯મી જુલાઈ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થઈ શકે છે .બેઉ દેશો વચ્ચે કૃષિ ક્ષેત્રમાં માર્કેટ એક્સેસ એ ખુબ જ સ્ટીકી પોઇન્ટ છે. તેનું એક કારણ એ છે કે , અમેરિકાને ભારતમાં પોતાની કૃષિ પેદાશોની નિકાસ કરવી છે. તેમાં મુખ્યત્વે સોયા અને મકાઈનો સમાવેશ થાય છે. આ સોયા અને મકાઈની ખુબ મોટાપાયે અમેરિકા ચીનમાં નિકાસ કરે છે. એટલુંજ નહિ યુએસ ભારતમાં પોતાના સફરજનની નિકાસ કરવા પણ માંગે છે. 

India-US trade deal: New Delhi's trade surplus with Washington may shrink  as bilateral trade deal nears finalisation - Report - Times of India

આપને જણાવી દયિકે , ભારતમાં ૭૫ ટકા કરતા વધારે સફરજન જમ્મુ કાશ્મીર રાજ્યમાં પેદા થાય છે. જમ્મુ કાશ્મીરના સફરજનની ખુબ મોટા પાયે નિકાસ વિદેશોમાં પણ થાય છે.  ભારત દુનિયામાં સૌથી મોટું ખાદ્ય તેલની આયાત કરનારો દેશ છે. આપણે હાલમાં તે મલેશિયા અને ઇન્ડોનેશિયામાંથી આયાત કરીએ છીએ.  ભારત મોટી સંખ્યામાં ક્રૂડ ઓઇલની પણ આયાત કરે છે , તેમાં પણ હવે યુએસમાંથી ક્રૂડ ઓઈલની આયાત વધતી જાય છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે અમેરિકામાંથી થતી આયાતમાં ૧૧.૪૯ ટકા જેટલો વધારો નોંધાયો છે.  10 જૂનના રોજ વાટાઘાટોના સમાપન સમયે, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારત અને અમેરિકા એક વાજબી અને સમાન વેપાર કરાર પર પહોંચવાની પ્રક્રિયામાં છે જેનો લાભ બંને અર્થતંત્રોને થશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ , ૨જી એપ્રિલના રોજ ૧૦૦ દેશો પર પારસ્પરિક ટેરીફની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં  કહ્યું હતું કે ,  'આજે મુક્તિ દિવસ છે, જેની અમેરિકા લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું.' જોકે, 9 એપ્રિલના રોજ, તેમણે ચીન સિવાયના તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ 90 દિવસ માટે મુલતવી રાખ્યા. બાદમાં, ચીનને પણ ટેરિફમાંથી રાહત આપવામાં આવી હતી અને હવે ચીન સાથે લંડન ટોલ્ક્સના અંતે વ્યાપારી સોદાને અંતિમ સ્વરૂપ અપાયું છે . ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ક્વાડ દેશોની મિટિંગમાં ભાગ લેવા માટે ભારત આવી શકે છે. ક્વાડ દેશોમાં ભારત , ઓસ્ટ્રેલિયા , જાપાન અને અમેરિકા તેના સભ્યદેશો છે. ક્વાડ સંગઠનનો મુખ્ય ઉદ્દેશ ફ્રી એન્ડ ઓપન ઈન્ડો પેસીફીકનો છે. 




ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.

થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી