ઉત્તરભારતના રાજ્યોમાં વધતો ઠંડીનો કહેર, વધતી ઠંડીને કારણે ઘટતી વિઝિબિલિટી


  • Published By :
  • Published Date : 2023-01-09 10:29:51

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું છે. ઠંડીનું પ્રમાણ વધવાને કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી પણ એકદમ ઘટી ગઈ છે. જેને લઈ વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.


હવામાન વિભાગે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું 

સમગ્ર દેશમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોના લોકો સખત ઠંડી સહન કરવા મજબૂર બન્યા છે. વધતી ઠંડીને કારણે હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં  આવ્યું છે. 


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘટતી વિઝિબિલિટી

એક તરફ ઠંડીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. વધતા ધુમ્મસને કારણે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. ધુમ્મસને કારણે લોકો લાઈટ ચલાવી ડ્રાઈવિંગ કરી રહ્યા છે. દિલ્હીમાં તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો 1.9 ડિગ્રી નોંધાયો હતો જ્યારે પંજાબનું તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું હતું. વિઝિબિલિટી ન હોવાને કારણે અનેક ફ્લાઈટને ડાઈવટ પણ કરવામાં આવી છે. ઉપરાંત અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી આવી રહી છે અનેક ટ્રેનો તો કેન્સલ કરવામાં આવી છે. 


શાળાઓમાં રજા જાહેર કરાઈ 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર થોડા દિવસો આવા જ રહેશે. ઉત્તરભારતમાં શીત લહેરનો અનુભવ થશે. ઠંડીને કારણે અનેક રાજ્યોએ શાળાઓમાં વેકેશન જાહેર કરી દીધું છે. ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા તેની અસર બીજા રાજ્યો પર પણ પડી રહી છે.    



અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.