ઉત્તરભારતના રાજ્યોમાં વધતો ઠંડીનો કહેર, વધતી ઠંડીને કારણે ઘટતી વિઝિબિલિટી


  • Published By :
  • Published Date : 2023-01-09 10:29:51

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું છે. ઠંડીનું પ્રમાણ વધવાને કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી પણ એકદમ ઘટી ગઈ છે. જેને લઈ વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.


હવામાન વિભાગે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું 

સમગ્ર દેશમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોના લોકો સખત ઠંડી સહન કરવા મજબૂર બન્યા છે. વધતી ઠંડીને કારણે હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં  આવ્યું છે. 


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘટતી વિઝિબિલિટી

એક તરફ ઠંડીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. વધતા ધુમ્મસને કારણે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. ધુમ્મસને કારણે લોકો લાઈટ ચલાવી ડ્રાઈવિંગ કરી રહ્યા છે. દિલ્હીમાં તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો 1.9 ડિગ્રી નોંધાયો હતો જ્યારે પંજાબનું તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું હતું. વિઝિબિલિટી ન હોવાને કારણે અનેક ફ્લાઈટને ડાઈવટ પણ કરવામાં આવી છે. ઉપરાંત અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી આવી રહી છે અનેક ટ્રેનો તો કેન્સલ કરવામાં આવી છે. 


શાળાઓમાં રજા જાહેર કરાઈ 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર થોડા દિવસો આવા જ રહેશે. ઉત્તરભારતમાં શીત લહેરનો અનુભવ થશે. ઠંડીને કારણે અનેક રાજ્યોએ શાળાઓમાં વેકેશન જાહેર કરી દીધું છે. ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા તેની અસર બીજા રાજ્યો પર પણ પડી રહી છે.    



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.