ઉત્તરભારતના રાજ્યોમાં વધતો ઠંડીનો કહેર, વધતી ઠંડીને કારણે ઘટતી વિઝિબિલિટી


  • Published By :
  • Published Date : 2023-01-09 10:29:51

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાજધાની દિલ્હી સહિત પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વધતી ઠંડીને કારણે ધુમ્મસભર્યુ વાતાવરણ સર્જાયું છે. ઠંડીનું પ્રમાણ વધવાને કારણે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં એલર્ટ જાહેર કરી દીધા છે. ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી પણ એકદમ ઘટી ગઈ છે. જેને લઈ વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.


હવામાન વિભાગે અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું 

સમગ્ર દેશમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. અનેક રાજ્યોમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. ઉત્તર ભારતના રાજ્યોમાં હાડકા થીજવી દે તેવી ઠંડી પડી રહી છે. રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોના લોકો સખત ઠંડી સહન કરવા મજબૂર બન્યા છે. વધતી ઠંડીને કારણે હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તરપ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે રાજસ્થાન, બિહારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં  આવ્યું છે. 


ધુમ્મસભર્યા વાતાવરણને કારણે ઘટતી વિઝિબિલિટી

એક તરફ ઠંડીને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે તો બીજી તરફ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટી એકદમ ઓછી થઈ ગઈ છે. વધતા ધુમ્મસને કારણે એડવાઈઝરી પણ જાહેર કરવામાં આવી છે. ધુમ્મસને કારણે લોકો લાઈટ ચલાવી ડ્રાઈવિંગ કરી રહ્યા છે. દિલ્હીમાં તાપમાનની વાત કરીએ તો તાપમાનનો પારો 1.9 ડિગ્રી નોંધાયો હતો જ્યારે પંજાબનું તાપમાન 3.3 ડિગ્રી નોંધાયું હતું. વિઝિબિલિટી ન હોવાને કારણે અનેક ફ્લાઈટને ડાઈવટ પણ કરવામાં આવી છે. ઉપરાંત અનેક ટ્રેનો નિર્ધારિત સમય કરતા મોડી આવી રહી છે અનેક ટ્રેનો તો કેન્સલ કરવામાં આવી છે. 


શાળાઓમાં રજા જાહેર કરાઈ 

હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર થોડા દિવસો આવા જ રહેશે. ઉત્તરભારતમાં શીત લહેરનો અનુભવ થશે. ઠંડીને કારણે અનેક રાજ્યોએ શાળાઓમાં વેકેશન જાહેર કરી દીધું છે. ઉત્તરભારતમાં ઠંડીનું પ્રમાણ વધતા તેની અસર બીજા રાજ્યો પર પણ પડી રહી છે.    



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.