Gujaratમાં વધતો કુપોષિત બાળકોનો આંકડો! વર્ષ 2022માં આંકડો હતો 1 લાખને પાર જ્યારે 2023માં આ આંકડો પહોંચ્યો 5 લાખને પાર!


  • Published By :
  • Published Date : 2024-02-08 10:43:43

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય કહીએ છીએ. દુનિયાભરમાં ગુજરાતના ગુણગાન ગાવામાં આવે છે. ગુજરાતનું ઉદાહરણ આપવામાં આવે છે. પરંતુ તે જ ગુજરાતમાં લાખોની સંખ્યામાં બાળકો કુપોષિત છે. આ વાક્ય વાંચીને કદાચ આંચકો લાગ્યો હશે પરંતુ વાત સાચી છે. બીજી મહત્વની વાત તો એ છે કે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા છે. વર્ષ 2022માં કુપોષિતોનો આંકડો 1,25,907 હતો જે વર્ષ 2023માં વધીને 5 લાખ 70 હજાર 305 પર પહોંચ્યો છે. વર્ષ 2018માં રાજ્યમાં કુલ કુપોષિતોનો આંકડો 1,18,041 હતો, વર્ષ 2022માં આ આંકડો 1,25,907 પર પહોંચ્યો પરંતુ 2023માં આ આંકડો 5 લાખને પાર પહોંચી ગયો છે. એક જ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યા ચાર ઘણી વધી ગઈ. 



કુપોષિત બાળકોનો આંકડો સાંભળી આંખો પહોળી થઈ જશે!

બાળકને દેશનું ભાવિ માનવામાં આવે છે. દેશનું ભવિષ્ય બાળકો પર નિર્ભર રહેલું હોય છે. પરંતુ ગુજરાતનું ભાવિ કુપોષણનો શિકાર બન્યો છે તેવું કહીએ તો કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય કારણ કે 5 લાખ જેટલા બાળકો ગુજરાતમાં કુપોષણનો શિકાર છે. આ આંકડા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા છે. વાત જાણીને ચોંકી ગયા હશોને પરંતુ આ વાસ્તવિક્તા છે. બાળકોને પોષણયુક્ત ભોજન મળે તે માટે કરોડો ખર્ચવામાં આવે છે, કરોડો રૂપિયાના ધુમાડા થાય છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે તેવું લાગે છે. 




અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા!

જો કુપોષિત બાળકોના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં 56941 બાળકો કુપોષણનો શિકાર છે. જૂનાગઢ જિલ્લામાં 7748 કુપોષિત બાળકો નોંધાયા છે. ભાવનગરમાં આ આંકડો 26,188 છે જ્યારે ગીર સોમનાથમાં આ આંકડો 10,907 છે. તે ઉપરાંત અમરેલીમાં કુપોષિત બાળકોનો આંકડો 10425 છે, બોટાદમાં આ આંકડો 6038 છે જ્યારે પંચમહાલમાં આંકડો 31,512 છે, મહીસાગરમાં આ આંકડો 13,160 છે, અરવલ્લીમાં 15,392 બાળકો કુપોષિત છે, સાબરકાંઠામાં 25,160 બાળકો કુપોષિત છે. બનાસકાઠામાં 48,866 બાળકો કુપોષણનો શિકાર છે. 


ક્યાં કેટલા કુપોષિત બાળકો નોંધાયા? 

દાહોદના 51,321 બાળકો કુપોષણનો શિકાર છે. છોટાઉદેપુરમાં 19,898 બાળકો કુપોષિત છે. ગાંધીનગર જિલ્લામાં 14,626 બાળકો કુપોષિત છે. રાજકોટમાં આ આંકડો 15,573 પર પહોંચ્યો છે. સુરતમાં 26,682 બાળકો કુપોષણનો શિકાર છે. નવસારીમાં 1548 બાળકો કુપોષણનો શિકાર છે. વલસાડમાં 15,802 પર પહોંચ્યો છે. ખેડામાં 28,880 પર આ આંકડો પહોંચ્યો છે. નર્મદા જિલ્લામાં કુપોષિતોનો આંકડો 13,997 પર પહોંચ્યો છે જ્યારે જામનગરમાં 9035 બાળકો કુપોષણનો શિકાર છે. મોરબીમાં આ આંકડો 4927 નોંધાયો છે જ્યારે પોરબંદરમાં આંકડો 1734 પર પહોંચ્યો છે. દ્વારકાના 5005 બાળકો કુપોષિત છે જ્યારે વડોદરાના 20,545 બાળકો કુપોષણનો શિકાર છે. તાપી જિલ્લામાં કુપોષિતોનો આંકડો 8339 પર પહોંચ્યો છે. ભરૂચનો આંકડો 19391 પર પહોંચ્યો છે. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. ગુજરાતનું ભાવિ કુપોષણનો શિકાર હોય તેવી પરિસ્થિતિ ખુબ દયનિય કહેવાય...  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.