Gujaratમાં વધતો કુપોષિત બાળકોનો આંકડો! વર્ષ 2022માં આંકડો હતો 1 લાખને પાર જ્યારે 2023માં આ આંકડો પહોંચ્યો 5 લાખને પાર!


  • Published By :
  • Published Date : 2024-02-08 10:43:43

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય કહીએ છીએ. દુનિયાભરમાં ગુજરાતના ગુણગાન ગાવામાં આવે છે. ગુજરાતનું ઉદાહરણ આપવામાં આવે છે. પરંતુ તે જ ગુજરાતમાં લાખોની સંખ્યામાં બાળકો કુપોષિત છે. આ વાક્ય વાંચીને કદાચ આંચકો લાગ્યો હશે પરંતુ વાત સાચી છે. બીજી મહત્વની વાત તો એ છે કે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા છે. વર્ષ 2022માં કુપોષિતોનો આંકડો 1,25,907 હતો જે વર્ષ 2023માં વધીને 5 લાખ 70 હજાર 305 પર પહોંચ્યો છે. વર્ષ 2018માં રાજ્યમાં કુલ કુપોષિતોનો આંકડો 1,18,041 હતો, વર્ષ 2022માં આ આંકડો 1,25,907 પર પહોંચ્યો પરંતુ 2023માં આ આંકડો 5 લાખને પાર પહોંચી ગયો છે. એક જ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યા ચાર ઘણી વધી ગઈ. 



કુપોષિત બાળકોનો આંકડો સાંભળી આંખો પહોળી થઈ જશે!

બાળકને દેશનું ભાવિ માનવામાં આવે છે. દેશનું ભવિષ્ય બાળકો પર નિર્ભર રહેલું હોય છે. પરંતુ ગુજરાતનું ભાવિ કુપોષણનો શિકાર બન્યો છે તેવું કહીએ તો કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય કારણ કે 5 લાખ જેટલા બાળકો ગુજરાતમાં કુપોષણનો શિકાર છે. આ આંકડા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા છે. વાત જાણીને ચોંકી ગયા હશોને પરંતુ આ વાસ્તવિક્તા છે. બાળકોને પોષણયુક્ત ભોજન મળે તે માટે કરોડો ખર્ચવામાં આવે છે, કરોડો રૂપિયાના ધુમાડા થાય છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે તેવું લાગે છે. 




અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા!

જો કુપોષિત બાળકોના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં 56941 બાળકો કુપોષણનો શિકાર છે. જૂનાગઢ જિલ્લામાં 7748 કુપોષિત બાળકો નોંધાયા છે. ભાવનગરમાં આ આંકડો 26,188 છે જ્યારે ગીર સોમનાથમાં આ આંકડો 10,907 છે. તે ઉપરાંત અમરેલીમાં કુપોષિત બાળકોનો આંકડો 10425 છે, બોટાદમાં આ આંકડો 6038 છે જ્યારે પંચમહાલમાં આંકડો 31,512 છે, મહીસાગરમાં આ આંકડો 13,160 છે, અરવલ્લીમાં 15,392 બાળકો કુપોષિત છે, સાબરકાંઠામાં 25,160 બાળકો કુપોષિત છે. બનાસકાઠામાં 48,866 બાળકો કુપોષણનો શિકાર છે. 


ક્યાં કેટલા કુપોષિત બાળકો નોંધાયા? 

દાહોદના 51,321 બાળકો કુપોષણનો શિકાર છે. છોટાઉદેપુરમાં 19,898 બાળકો કુપોષિત છે. ગાંધીનગર જિલ્લામાં 14,626 બાળકો કુપોષિત છે. રાજકોટમાં આ આંકડો 15,573 પર પહોંચ્યો છે. સુરતમાં 26,682 બાળકો કુપોષણનો શિકાર છે. નવસારીમાં 1548 બાળકો કુપોષણનો શિકાર છે. વલસાડમાં 15,802 પર પહોંચ્યો છે. ખેડામાં 28,880 પર આ આંકડો પહોંચ્યો છે. નર્મદા જિલ્લામાં કુપોષિતોનો આંકડો 13,997 પર પહોંચ્યો છે જ્યારે જામનગરમાં 9035 બાળકો કુપોષણનો શિકાર છે. મોરબીમાં આ આંકડો 4927 નોંધાયો છે જ્યારે પોરબંદરમાં આંકડો 1734 પર પહોંચ્યો છે. દ્વારકાના 5005 બાળકો કુપોષિત છે જ્યારે વડોદરાના 20,545 બાળકો કુપોષણનો શિકાર છે. તાપી જિલ્લામાં કુપોષિતોનો આંકડો 8339 પર પહોંચ્યો છે. ભરૂચનો આંકડો 19391 પર પહોંચ્યો છે. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. ગુજરાતનું ભાવિ કુપોષણનો શિકાર હોય તેવી પરિસ્થિતિ ખુબ દયનિય કહેવાય...  



વિશ્વ યુદ્ધના ભયંકર સંકટ વચ્ચેથી પસાર થઈ રહ્યું છે. અનેક માણસો જે શિપ પર પોતાના કામ માટે સવાર થઈને નીકળ્યા હતા એમના મૃત્યુના સમાચાર છે. સનકી નેતાઓનું દુનિયાભરમાં ફેલાતુ શાસન માણસ જાતના અસ્તિત્વ સામે પડકાર બનીને ઉભુ છે. ગુજરાત જેવુ વૈશ્વિક રાજ્ય આની અસરથી બાકાત નથી. સામાન્ય માણસ જેની પાસે ગેસનું પાઈપ કનેક્શન નથી એ તો એજન્સીને કોલ કરીને બુક કરેલો ગેસનો બાટલો નથી મળતો તો એની લાઈનમાં લાગે છે. મોરબીથી માંડીને મહેસાણાના કારખાના બંધ છે. અનેક એક્સપોર્ટ ઉદ્યોગને અસર થઈ છે. ટુંકમાં મુદ્દા પર આવુ તો ચિંતા કરવા માટે, ચર્ચા કરવા માટે અનેક વિષયો છે.. પણ આપણે ધ ગ્રેટ ગુજરાતી સમાજો… આપણી ચર્ચાનો મુખ્ય મુદ્દો શું છે? છોકરીએ લગ્ન ક્યાં કરવા તે.

ગોંડલમાં આમ આદમી પાર્ટીના નેતા જિગીષા પટેલ પર હુમલો થયો હતો જેના કારણે , ત્યાંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. આ પછી ગોંડલની પોલીસ દ્વારા જિગીષા પટેલ પર હુમલો કરનાર બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે . આ ઉપરાંત , પોલીસ દ્વારા અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.