Gujaratમાં વધતો કુપોષિત બાળકોનો આંકડો! વર્ષ 2022માં આંકડો હતો 1 લાખને પાર જ્યારે 2023માં આ આંકડો પહોંચ્યો 5 લાખને પાર!


  • Published By :
  • Published Date : 2024-02-08 10:43:43

ગુજરાતને આપણે વિકસીત રાજ્ય કહીએ છીએ. દુનિયાભરમાં ગુજરાતના ગુણગાન ગાવામાં આવે છે. ગુજરાતનું ઉદાહરણ આપવામાં આવે છે. પરંતુ તે જ ગુજરાતમાં લાખોની સંખ્યામાં બાળકો કુપોષિત છે. આ વાક્ય વાંચીને કદાચ આંચકો લાગ્યો હશે પરંતુ વાત સાચી છે. બીજી મહત્વની વાત તો એ છે કે સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા છે. વર્ષ 2022માં કુપોષિતોનો આંકડો 1,25,907 હતો જે વર્ષ 2023માં વધીને 5 લાખ 70 હજાર 305 પર પહોંચ્યો છે. વર્ષ 2018માં રાજ્યમાં કુલ કુપોષિતોનો આંકડો 1,18,041 હતો, વર્ષ 2022માં આ આંકડો 1,25,907 પર પહોંચ્યો પરંતુ 2023માં આ આંકડો 5 લાખને પાર પહોંચી ગયો છે. એક જ વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યા ચાર ઘણી વધી ગઈ. 



કુપોષિત બાળકોનો આંકડો સાંભળી આંખો પહોળી થઈ જશે!

બાળકને દેશનું ભાવિ માનવામાં આવે છે. દેશનું ભવિષ્ય બાળકો પર નિર્ભર રહેલું હોય છે. પરંતુ ગુજરાતનું ભાવિ કુપોષણનો શિકાર બન્યો છે તેવું કહીએ તો કદાચ અતિશયોક્તિ નહીં કહેવાય કારણ કે 5 લાખ જેટલા બાળકો ગુજરાતમાં કુપોષણનો શિકાર છે. આ આંકડા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા છે. વાત જાણીને ચોંકી ગયા હશોને પરંતુ આ વાસ્તવિક્તા છે. બાળકોને પોષણયુક્ત ભોજન મળે તે માટે કરોડો ખર્ચવામાં આવે છે, કરોડો રૂપિયાના ધુમાડા થાય છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે તેવું લાગે છે. 




અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે કુપોષિત બાળકો નોંધાયા!

જો કુપોષિત બાળકોના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં 56941 બાળકો કુપોષણનો શિકાર છે. જૂનાગઢ જિલ્લામાં 7748 કુપોષિત બાળકો નોંધાયા છે. ભાવનગરમાં આ આંકડો 26,188 છે જ્યારે ગીર સોમનાથમાં આ આંકડો 10,907 છે. તે ઉપરાંત અમરેલીમાં કુપોષિત બાળકોનો આંકડો 10425 છે, બોટાદમાં આ આંકડો 6038 છે જ્યારે પંચમહાલમાં આંકડો 31,512 છે, મહીસાગરમાં આ આંકડો 13,160 છે, અરવલ્લીમાં 15,392 બાળકો કુપોષિત છે, સાબરકાંઠામાં 25,160 બાળકો કુપોષિત છે. બનાસકાઠામાં 48,866 બાળકો કુપોષણનો શિકાર છે. 


ક્યાં કેટલા કુપોષિત બાળકો નોંધાયા? 

દાહોદના 51,321 બાળકો કુપોષણનો શિકાર છે. છોટાઉદેપુરમાં 19,898 બાળકો કુપોષિત છે. ગાંધીનગર જિલ્લામાં 14,626 બાળકો કુપોષિત છે. રાજકોટમાં આ આંકડો 15,573 પર પહોંચ્યો છે. સુરતમાં 26,682 બાળકો કુપોષણનો શિકાર છે. નવસારીમાં 1548 બાળકો કુપોષણનો શિકાર છે. વલસાડમાં 15,802 પર પહોંચ્યો છે. ખેડામાં 28,880 પર આ આંકડો પહોંચ્યો છે. નર્મદા જિલ્લામાં કુપોષિતોનો આંકડો 13,997 પર પહોંચ્યો છે જ્યારે જામનગરમાં 9035 બાળકો કુપોષણનો શિકાર છે. મોરબીમાં આ આંકડો 4927 નોંધાયો છે જ્યારે પોરબંદરમાં આંકડો 1734 પર પહોંચ્યો છે. દ્વારકાના 5005 બાળકો કુપોષિત છે જ્યારે વડોદરાના 20,545 બાળકો કુપોષણનો શિકાર છે. તાપી જિલ્લામાં કુપોષિતોનો આંકડો 8339 પર પહોંચ્યો છે. ભરૂચનો આંકડો 19391 પર પહોંચ્યો છે. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટે કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. ગુજરાતનું ભાવિ કુપોષણનો શિકાર હોય તેવી પરિસ્થિતિ ખુબ દયનિય કહેવાય...  



ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .