ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો ધબડકો, આખી ટીમ 26 ઓવરમાં માત્ર 117 રન બનાવી ઓલઆઉટ


  • Published By :
  • Published Date : 2023-03-19 18:09:28

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ આજે રવિવાર, 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. ઓસ્ટ્રેલિયન ટીમની ભયંકર બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહોતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. સીન એબોટે 3 વિકેટ જ્યારે નાથન એલિસે 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે 11 ઓવરમાં 118 રનનો ટાર્ગેટ ચેઝ કરી મેચ જીતી લીધી હતી.


26 ઓવરમાં 117 રન બનાવી ઓલઆઉટ


ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર રહી હતી. ભારતની બેટિંગ તદ્દન કંગાળ રહી હતી. વિરાટ કોહલી સિવાય એક પણ બેટર 30નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરતી વખતે પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ માત્ર 26 ઓવરમાં 117 રન બનાવીઓલઆઉટ થઈ ગઈ હતી. આ નિરાશાજનક બેટિંગ દરમિયાન ભારતીય ટીમે એક અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે.


મિચેલ સ્ટાર્ક સામે ટીમ ઈન્ડિયા ધરાશાઈ


ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી વનડેમાં અડધી ભારતીય ટીમ 10 ઓવર અને 50 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ભારતની પ્રથમ પાંચ વિકેટ કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાના રૂપમાં પડી હતી. આ શરમજનક બેટિંગ સાથે ભારતે ફરી એકવાર ચેન્નાઈ સ્ટેડિયમમાં 11 વર્ષ પહેલા બનાવેલા અનિચ્છનીય રેકોર્ડનું પુનરાવર્તન કર્યું હતું. ભારત સામે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું હતું. તેણે 8 ઓવરમાં 53 રન આપીને 5 કીમતી વિકેટ લીધી હતી.


2012માં પાકિસ્તાન સામે નોંધાયેલા રેકોર્ડનું પુનરાવર્તન


આજથી બરાબર 11 વર્ષ પહેલા ચેન્નાઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ODI મેચમાં પણ ભારતીય ટીમની બેટિંગ આવી જ રીતે ફ્લોપ રહી હતી. તે મેચમાં પણ ટીમ ઈન્ડિયા માત્ર 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર જુનૈદ ખાને ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા.



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.