ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો ધબડકો, આખી ટીમ 26 ઓવરમાં માત્ર 117 રન બનાવી ઓલઆઉટ


  • Published By :
  • Published Date : 2023-03-19 18:09:28

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ આજે રવિવાર, 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. ઓસ્ટ્રેલિયન ટીમની ભયંકર બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહોતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. સીન એબોટે 3 વિકેટ જ્યારે નાથન એલિસે 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે 11 ઓવરમાં 118 રનનો ટાર્ગેટ ચેઝ કરી મેચ જીતી લીધી હતી.


26 ઓવરમાં 117 રન બનાવી ઓલઆઉટ


ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર રહી હતી. ભારતની બેટિંગ તદ્દન કંગાળ રહી હતી. વિરાટ કોહલી સિવાય એક પણ બેટર 30નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરતી વખતે પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ માત્ર 26 ઓવરમાં 117 રન બનાવીઓલઆઉટ થઈ ગઈ હતી. આ નિરાશાજનક બેટિંગ દરમિયાન ભારતીય ટીમે એક અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે.


મિચેલ સ્ટાર્ક સામે ટીમ ઈન્ડિયા ધરાશાઈ


ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી વનડેમાં અડધી ભારતીય ટીમ 10 ઓવર અને 50 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ભારતની પ્રથમ પાંચ વિકેટ કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાના રૂપમાં પડી હતી. આ શરમજનક બેટિંગ સાથે ભારતે ફરી એકવાર ચેન્નાઈ સ્ટેડિયમમાં 11 વર્ષ પહેલા બનાવેલા અનિચ્છનીય રેકોર્ડનું પુનરાવર્તન કર્યું હતું. ભારત સામે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું હતું. તેણે 8 ઓવરમાં 53 રન આપીને 5 કીમતી વિકેટ લીધી હતી.


2012માં પાકિસ્તાન સામે નોંધાયેલા રેકોર્ડનું પુનરાવર્તન


આજથી બરાબર 11 વર્ષ પહેલા ચેન્નાઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ODI મેચમાં પણ ભારતીય ટીમની બેટિંગ આવી જ રીતે ફ્લોપ રહી હતી. તે મેચમાં પણ ટીમ ઈન્ડિયા માત્ર 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર જુનૈદ ખાને ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.