ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો ધબડકો, આખી ટીમ 26 ઓવરમાં માત્ર 117 રન બનાવી ઓલઆઉટ


  • Published By :
  • Published Date : 2023-03-19 18:09:28

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ આજે રવિવાર, 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. ઓસ્ટ્રેલિયન ટીમની ભયંકર બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહોતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. સીન એબોટે 3 વિકેટ જ્યારે નાથન એલિસે 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે 11 ઓવરમાં 118 રનનો ટાર્ગેટ ચેઝ કરી મેચ જીતી લીધી હતી.


26 ઓવરમાં 117 રન બનાવી ઓલઆઉટ


ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર રહી હતી. ભારતની બેટિંગ તદ્દન કંગાળ રહી હતી. વિરાટ કોહલી સિવાય એક પણ બેટર 30નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરતી વખતે પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ માત્ર 26 ઓવરમાં 117 રન બનાવીઓલઆઉટ થઈ ગઈ હતી. આ નિરાશાજનક બેટિંગ દરમિયાન ભારતીય ટીમે એક અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે.


મિચેલ સ્ટાર્ક સામે ટીમ ઈન્ડિયા ધરાશાઈ


ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી વનડેમાં અડધી ભારતીય ટીમ 10 ઓવર અને 50 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ભારતની પ્રથમ પાંચ વિકેટ કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાના રૂપમાં પડી હતી. આ શરમજનક બેટિંગ સાથે ભારતે ફરી એકવાર ચેન્નાઈ સ્ટેડિયમમાં 11 વર્ષ પહેલા બનાવેલા અનિચ્છનીય રેકોર્ડનું પુનરાવર્તન કર્યું હતું. ભારત સામે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું હતું. તેણે 8 ઓવરમાં 53 રન આપીને 5 કીમતી વિકેટ લીધી હતી.


2012માં પાકિસ્તાન સામે નોંધાયેલા રેકોર્ડનું પુનરાવર્તન


આજથી બરાબર 11 વર્ષ પહેલા ચેન્નાઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ODI મેચમાં પણ ભારતીય ટીમની બેટિંગ આવી જ રીતે ફ્લોપ રહી હતી. તે મેચમાં પણ ટીમ ઈન્ડિયા માત્ર 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર જુનૈદ ખાને ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.