ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમનો ધબડકો, આખી ટીમ 26 ઓવરમાં માત્ર 117 રન બનાવી ઓલઆઉટ


  • Published By :
  • Published Date : 2023-03-19 18:09:28

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વનડે મેચ આજે રવિવાર, 19 માર્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણ રીતે ફ્લોપ રહી હતી. ઓસ્ટ્રેલિયન ટીમની ભયંકર બોલિંગ સામે ભારતીય બેટ્સમેનો ટકી શક્યા નહોતો. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે 5 વિકેટ ઝડપી હતી. સીન એબોટે 3 વિકેટ જ્યારે નાથન એલિસે 2 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન ટીમે 11 ઓવરમાં 118 રનનો ટાર્ગેટ ચેઝ કરી મેચ જીતી લીધી હતી.


26 ઓવરમાં 117 રન બનાવી ઓલઆઉટ


ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ શરૂઆતથી જ બેકફૂટ પર રહી હતી. ભારતની બેટિંગ તદ્દન કંગાળ રહી હતી. વિરાટ કોહલી સિવાય એક પણ બેટર 30નો આંકડો પણ પાર કરી શક્યો નહોતો. ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરતી વખતે પૂરી 50 ઓવર પણ રમી શકી નહોતી. આખી ટીમ માત્ર 26 ઓવરમાં 117 રન બનાવીઓલઆઉટ થઈ ગઈ હતી. આ નિરાશાજનક બેટિંગ દરમિયાન ભારતીય ટીમે એક અનિચ્છનીય રેકોર્ડ પણ પોતાના નામે નોંધાવ્યો છે.


મિચેલ સ્ટાર્ક સામે ટીમ ઈન્ડિયા ધરાશાઈ


ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી વનડેમાં અડધી ભારતીય ટીમ 10 ઓવર અને 50 રનમાં જ પેવેલિયન પરત ફરી ગઈ હતી. ભારતની પ્રથમ પાંચ વિકેટ કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાના રૂપમાં પડી હતી. આ શરમજનક બેટિંગ સાથે ભારતે ફરી એકવાર ચેન્નાઈ સ્ટેડિયમમાં 11 વર્ષ પહેલા બનાવેલા અનિચ્છનીય રેકોર્ડનું પુનરાવર્તન કર્યું હતું. ભારત સામે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિચેલ સ્ટાર્કનું પ્રદર્શન જબરદસ્ત રહ્યું હતું. તેણે 8 ઓવરમાં 53 રન આપીને 5 કીમતી વિકેટ લીધી હતી.


2012માં પાકિસ્તાન સામે નોંધાયેલા રેકોર્ડનું પુનરાવર્તન


આજથી બરાબર 11 વર્ષ પહેલા ચેન્નાઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ODI મેચમાં પણ ભારતીય ટીમની બેટિંગ આવી જ રીતે ફ્લોપ રહી હતી. તે મેચમાં પણ ટીમ ઈન્ડિયા માત્ર 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તે મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર જુનૈદ ખાને ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.