IND vs AUS: કાલે ખરાખરીનો જંગ, ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દાવ પર, ભારત માટે અમદાવાદ ટેસ્ટ જીતવી અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-03-08 18:42:55

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પહોંચવા માટે ભારત માટે અમદાવાદમાં યોજાઈ રહેલી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ અનિવાર્ય બનશે. ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની ગઈ છે. જો કે ભારત આ સિરીઝમાં  2-1થી આગળ છે.  ટીમ ઈન્ડિયા 2016-17થી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ રમાયેલી સતત ત્રણ ટેસ્ટ સીરીઝ જીતી ચુક્યું છે.


સ્મિથની કેપ્ટનશીપ બનશે એક પડકાર 


સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપ પણ ભારત સામે એક પડકાર હશે. તેણે ઈન્દોર ટેસ્ટમાં શાનદાર કેપ્ટનશિપનું પ્રદર્શન કર્યું હતું. તે નિયમિત કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરીમાં કપ્તાની કરી રહ્યો છે. તેણે ઈન્દોરમાં નાથન લિયોનનો શાનદાર ઉપયોગ કર્યો. ભારતીય ટીમમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને રમાડવામાં આવી શકે છે.


અમદાવાદમાં ભારતનો દબદબો


અમદાવાદમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 14 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેને 6માં જીત અને 2માં હાર મળી છે. જ્યારે 6 મેચ ડ્રો રહી છે. અગાઉ આ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું.


ઈશાન કિશનને તક મળી શકે


ભારતીય ટીમ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ માટે ઝારખંડના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બેટથી KS ભરતનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. અમદાવાદની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે.


સૌથી વધુ દર્શકોનો વિશ્વ રેકોર્ડ રચવાની તક


આ ટેસ્ટ મેચ ઘણી રીતે ઐતિહાસિક બનવા જઈ રહી છે. આ ટેસ્ટ  જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનેસ સ્ટેડિયમમાં આવશે. પીએમ મોદી તો અમદાવાદ પહોંચી પણ ગયા છે. આ કારણે પણ આ ટ્સેટ મેટ ખુબ જ મહત્વની છે. તે ઉપરાંત એક ટેસ્ટમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકો હાજર રહેવાનો રેકોર્ડ ભારત પોતાના નામે કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં સૌથી વધુ દર્શકો જોવાનો રેકોર્ડ છે. 26 ડિસેમ્બર 2013ના રોજ આ મેદાન પર કુલ દર્શકોની સંખ્યા 91,092 હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ બન્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કુલ ક્ષમતા 1 લાખ 32 હજાર છે, જેમાં એક સાથે 1 લાખ 10 હજાર દર્શકો બેસી શકશે. આ ટેસ્ટના પ્રથમ દિવસે 85 હજાર ટિકિટ વેચાઈ છે. આવી સ્થિતિમાં જો વિદ્યાર્થીઓને પણ સ્થાન મળે તો 10 વર્ષ પહેલા MCGમાં બનેલો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.