IND vs AUS: કાલે ખરાખરીનો જંગ, ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દાવ પર, ભારત માટે અમદાવાદ ટેસ્ટ જીતવી અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-03-08 18:42:55

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ચોથી અને છેલ્લી ટેસ્ટ મેચ આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલમાં પહોંચવા માટે ભારત માટે અમદાવાદમાં યોજાઈ રહેલી ટેસ્ટ મેચ જીતવી ખૂબ જ અનિવાર્ય બનશે. ટીમ ઈન્ડિયાને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT)ની ઈન્દોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે 9 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારથી ટીમ ઈન્ડિયાના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની ગઈ છે. જો કે ભારત આ સિરીઝમાં  2-1થી આગળ છે.  ટીમ ઈન્ડિયા 2016-17થી ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ રમાયેલી સતત ત્રણ ટેસ્ટ સીરીઝ જીતી ચુક્યું છે.


સ્મિથની કેપ્ટનશીપ બનશે એક પડકાર 


સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપ પણ ભારત સામે એક પડકાર હશે. તેણે ઈન્દોર ટેસ્ટમાં શાનદાર કેપ્ટનશિપનું પ્રદર્શન કર્યું હતું. તે નિયમિત કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરીમાં કપ્તાની કરી રહ્યો છે. તેણે ઈન્દોરમાં નાથન લિયોનનો શાનદાર ઉપયોગ કર્યો. ભારતીય ટીમમાં મોહમ્મદ સિરાજની જગ્યાએ મોહમ્મદ શમીને રમાડવામાં આવી શકે છે.


અમદાવાદમાં ભારતનો દબદબો


અમદાવાદમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 14 ટેસ્ટ મેચ રમી છે, જેમાં તેને 6માં જીત અને 2માં હાર મળી છે. જ્યારે 6 મેચ ડ્રો રહી છે. અગાઉ આ સ્ટેડિયમ સરદાર પટેલ સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું.


ઈશાન કિશનને તક મળી શકે


ભારતીય ટીમ ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ માટે ઝારખંડના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકે છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં બેટથી KS ભરતનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. અમદાવાદની પીચ બેટ્સમેનો માટે અનુકૂળ માનવામાં આવે છે.


સૌથી વધુ દર્શકોનો વિશ્વ રેકોર્ડ રચવાની તક


આ ટેસ્ટ મેચ ઘણી રીતે ઐતિહાસિક બનવા જઈ રહી છે. આ ટેસ્ટ  જોવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બાનેસ સ્ટેડિયમમાં આવશે. પીએમ મોદી તો અમદાવાદ પહોંચી પણ ગયા છે. આ કારણે પણ આ ટ્સેટ મેટ ખુબ જ મહત્વની છે. તે ઉપરાંત એક ટેસ્ટમાં સૌથી વધુ સંખ્યામાં દર્શકો હાજર રહેવાનો રેકોર્ડ ભારત પોતાના નામે કરી શકે છે. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટેસ્ટ ક્રિકેટમાં એક દિવસમાં સૌથી વધુ દર્શકો જોવાનો રેકોર્ડ છે. 26 ડિસેમ્બર 2013ના રોજ આ મેદાન પર કુલ દર્શકોની સંખ્યા 91,092 હતી. ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે એશિઝ શ્રેણીની ચોથી ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ બન્યો હતો. નરેન્દ્ર મોદી સ્ટેડિયમની કુલ ક્ષમતા 1 લાખ 32 હજાર છે, જેમાં એક સાથે 1 લાખ 10 હજાર દર્શકો બેસી શકશે. આ ટેસ્ટના પ્રથમ દિવસે 85 હજાર ટિકિટ વેચાઈ છે. આવી સ્થિતિમાં જો વિદ્યાર્થીઓને પણ સ્થાન મળે તો 10 વર્ષ પહેલા MCGમાં બનેલો વર્લ્ડ રેકોર્ડ તોડી શકે છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.