IND vs AUS: ચેન્નાઈમાં 36 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ, કાંગારુઓ સામે કેવો રહ્યો છે રેકોર્ડ? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-08 13:32:00

ભારતીય ક્રિકેટ ટીમ આજે રવિવારે (8 ઓક્ટોબર)ના રોજ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચમાં પાંચ વખતની વિજેતા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બંને ટીમો ગયા મહિને ત્રણ મેચની વનડે શ્રેણીમાં સામસામે આવી હતી. ત્યારબાદ ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. હવે બંને ટીમો ODI ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં સામસામે આવશે. વર્લ્ડ કપમાં બંને વચ્ચે આ 13મી મેચ હશે.


કેવો રહ્યો છે ભારતનો રેકોર્ડ?


ભારતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ચાર મેચ જીતી છે. જ્યારે, તેને આઠ વખત હારનો સામનો કરવો પડ્યો છે. ચાર જીતની વાત કરીએ તો ભારતે 1983, 1987, 2011 અને 2019માં પાંચ વખતની ચેમ્પિયન ટીમને હરાવી છે. 2003 વર્લ્ડ કપની ફાઈનલ અને 2015 વર્લ્ડ કપની સેમીફાઈનલ પણ બંને વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


ચેન્નાઈમાં બંને ટીમો વચ્ચે ચોથી મેચ


ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ચોથી વખત ચેન્નાઈમાં આમને-સામને થશે. 1987ના વર્લ્ડ કપમાં અહીં બંને વચ્ચે પ્રથમ વખત ટકરાઈ હતી. ત્યારબાદ કાંગારૂઓએ એક રનથી મેચ જીતી લીધી હતી. જે બાદ 2017માં ટીમ ઈન્ડિયાએ 26 રનથી જીત મેળવી હતી. આ વર્ષે માર્ચમાં જ્યારે બંને ટીમ અહીં રમી ત્યારે ઓસ્ટ્રેલિયાએ 21 રને મેચ જીતી હતી.


ODIમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો હેડ ટુ હેડ રેકોર્ડ 


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ 150મી વનડે હશે. આ સમયગાળા દરમિયાન, કાંગારૂઓનો હાથ ઉપર રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી છે. આ સાથે જ ભારતને 56 મેચોમાં સફળતા મળી છે. 10 મેચ અનિર્ણિત રહી છે.


વર્લ્ડ કપ માટે બંને ટીમો


ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, શોન એબોટ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.