IND vs AUS: ચેન્નાઈમાં 36 વર્ષ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ મેચ, કાંગારુઓ સામે કેવો રહ્યો છે રેકોર્ડ? જાણો


  • Published By :
  • Published Date : 2023-10-08 13:32:00

ભારતીય ક્રિકેટ ટીમ આજે રવિવારે (8 ઓક્ટોબર)ના રોજ પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચમાં પાંચ વખતની વિજેતા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. બંને ટીમો ગયા મહિને ત્રણ મેચની વનડે શ્રેણીમાં સામસામે આવી હતી. ત્યારબાદ ભારતે શ્રેણી 2-1થી જીતી લીધી હતી. હવે બંને ટીમો ODI ક્રિકેટની સૌથી મોટી ટૂર્નામેન્ટમાં સામસામે આવશે. વર્લ્ડ કપમાં બંને વચ્ચે આ 13મી મેચ હશે.


કેવો રહ્યો છે ભારતનો રેકોર્ડ?


ભારતે ઓસ્ટ્રેલિયા સામે વર્લ્ડ કપમાં અત્યાર સુધી માત્ર ચાર મેચ જીતી છે. જ્યારે, તેને આઠ વખત હારનો સામનો કરવો પડ્યો છે. ચાર જીતની વાત કરીએ તો ભારતે 1983, 1987, 2011 અને 2019માં પાંચ વખતની ચેમ્પિયન ટીમને હરાવી છે. 2003 વર્લ્ડ કપની ફાઈનલ અને 2015 વર્લ્ડ કપની સેમીફાઈનલ પણ બંને વચ્ચે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.


ચેન્નાઈમાં બંને ટીમો વચ્ચે ચોથી મેચ


ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો ચોથી વખત ચેન્નાઈમાં આમને-સામને થશે. 1987ના વર્લ્ડ કપમાં અહીં બંને વચ્ચે પ્રથમ વખત ટકરાઈ હતી. ત્યારબાદ કાંગારૂઓએ એક રનથી મેચ જીતી લીધી હતી. જે બાદ 2017માં ટીમ ઈન્ડિયાએ 26 રનથી જીત મેળવી હતી. આ વર્ષે માર્ચમાં જ્યારે બંને ટીમ અહીં રમી ત્યારે ઓસ્ટ્રેલિયાએ 21 રને મેચ જીતી હતી.


ODIમાં ભારત અને ઓસ્ટ્રેલિયાનો હેડ ટુ હેડ રેકોર્ડ 


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ 150મી વનડે હશે. આ સમયગાળા દરમિયાન, કાંગારૂઓનો હાથ ઉપર રહ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 83 મેચ જીતી છે. આ સાથે જ ભારતને 56 મેચોમાં સફળતા મળી છે. 10 મેચ અનિર્ણિત રહી છે.


વર્લ્ડ કપ માટે બંને ટીમો


ઓસ્ટ્રેલિયાઃ પેટ કમિન્સ (કેપ્ટન), સ્ટીવ સ્મિથ, એલેક્સ કેરી, જોશ ઈંગ્લિસ, શોન એબોટ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, માર્નસ લાબુશેન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનિસ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક.


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.