IND vs BAN, T20 World Cup 2022: ભારત સામે બાંગ્લાદેશનો 5 રનથી પરાજય, સેમિફાઈનલમાં એન્ટ્રી નક્કી


  • Published By :
  • Published Date : 2022-11-02 18:39:59

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં રમાયેલી T20 વર્લ્ડ કપની સુપર 12 મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. રોહિત શર્મા અને કંપનીનો 5 રને વિજય થતા સમગ્ર દેશમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. જો કે બાંગ્લાદેશ તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.


ભારતીય ક્રિકેટ ટીમનું પર્ફોર્મન્સ


ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી, જેના આધારે ભારતે મજબૂત લક્ષ્યાંક મૂક્યો હતો. કોહલીએ 44 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે કેએલ રાહુલ 32 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી હસન મેહસુદે 3 જ્યારે શાકિબ અલ હસને 2 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અર્શદિપ અને હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યા હતા.


વરસાદના કારણે મેચમાં વિક્ષેપ, બાંગ્લાદેશને 151 લક્ષ્ય મળ્યું


બાંગ્લાદેશે સાત ઓવરમાં વિના વિકેટ ગુમાવ્યે 66 રન બનાવ્યા હતા પણ વરસાદ પડતા મેચ રોકવી પડી હતી. બાંગ્લાદેશના લિટન દાસે 26 બોલમાં 59 રન જ્યારે નઝમુલ હુસૈન શંટો 7 રન બનાવીને રમી રહ્યા હતા. ડકવર્થ-લુઈશ પધ્ધતી હેઠળ બાંગ્લાદેશ 17 રનથી આગળ હતા. એટલે કે બાંગ્લાદેશએ 9 ઓવરમાં જીત માટે 85 રન બનાવવાના હતા.


ભારતની સેમી ફાઈનલમાં એન્ટ્રી નક્કી


બાંગ્લાદેશ સામેની આજની મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ગ્રુપ -2ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે ભારતની સેમી ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ મજબુત બની ગઈ છે.





ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે