IND vs BAN, T20 World Cup 2022: ભારત સામે બાંગ્લાદેશનો 5 રનથી પરાજય, સેમિફાઈનલમાં એન્ટ્રી નક્કી


  • Published By :
  • Published Date : 2022-11-02 18:39:59

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં રમાયેલી T20 વર્લ્ડ કપની સુપર 12 મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. રોહિત શર્મા અને કંપનીનો 5 રને વિજય થતા સમગ્ર દેશમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. જો કે બાંગ્લાદેશ તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.


ભારતીય ક્રિકેટ ટીમનું પર્ફોર્મન્સ


ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી, જેના આધારે ભારતે મજબૂત લક્ષ્યાંક મૂક્યો હતો. કોહલીએ 44 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે કેએલ રાહુલ 32 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી હસન મેહસુદે 3 જ્યારે શાકિબ અલ હસને 2 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અર્શદિપ અને હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યા હતા.


વરસાદના કારણે મેચમાં વિક્ષેપ, બાંગ્લાદેશને 151 લક્ષ્ય મળ્યું


બાંગ્લાદેશે સાત ઓવરમાં વિના વિકેટ ગુમાવ્યે 66 રન બનાવ્યા હતા પણ વરસાદ પડતા મેચ રોકવી પડી હતી. બાંગ્લાદેશના લિટન દાસે 26 બોલમાં 59 રન જ્યારે નઝમુલ હુસૈન શંટો 7 રન બનાવીને રમી રહ્યા હતા. ડકવર્થ-લુઈશ પધ્ધતી હેઠળ બાંગ્લાદેશ 17 રનથી આગળ હતા. એટલે કે બાંગ્લાદેશએ 9 ઓવરમાં જીત માટે 85 રન બનાવવાના હતા.


ભારતની સેમી ફાઈનલમાં એન્ટ્રી નક્કી


બાંગ્લાદેશ સામેની આજની મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ગ્રુપ -2ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે ભારતની સેમી ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ મજબુત બની ગઈ છે.





જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.