IND vs BAN, T20 World Cup 2022: ભારત સામે બાંગ્લાદેશનો 5 રનથી પરાજય, સેમિફાઈનલમાં એન્ટ્રી નક્કી


  • Published By :
  • Published Date : 2022-11-02 18:39:59

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એડિલેડમાં રમાયેલી T20 વર્લ્ડ કપની સુપર 12 મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો છે. રોહિત શર્મા અને કંપનીનો 5 રને વિજય થતા સમગ્ર દેશમાં હર્ષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન બનાવ્યા હતા. જો કે બાંગ્લાદેશ તે લક્ષ્ય પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યું હતું.


ભારતીય ક્રિકેટ ટીમનું પર્ફોર્મન્સ


ભારત તરફથી વિરાટ કોહલી અને કેએલ રાહુલે અડધી સદી ફટકારી હતી, જેના આધારે ભારતે મજબૂત લક્ષ્યાંક મૂક્યો હતો. કોહલીએ 44 બોલમાં 64 રનની અણનમ ઇનિંગ રમી હતી, જ્યારે કેએલ રાહુલ 32 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. બાંગ્લાદેશ તરફથી હસન મેહસુદે 3 જ્યારે શાકિબ અલ હસને 2 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી અર્શદિપ અને હાર્દિક પંડ્યા સૌથી સફળ બોલર રહ્યા હતા.


વરસાદના કારણે મેચમાં વિક્ષેપ, બાંગ્લાદેશને 151 લક્ષ્ય મળ્યું


બાંગ્લાદેશે સાત ઓવરમાં વિના વિકેટ ગુમાવ્યે 66 રન બનાવ્યા હતા પણ વરસાદ પડતા મેચ રોકવી પડી હતી. બાંગ્લાદેશના લિટન દાસે 26 બોલમાં 59 રન જ્યારે નઝમુલ હુસૈન શંટો 7 રન બનાવીને રમી રહ્યા હતા. ડકવર્થ-લુઈશ પધ્ધતી હેઠળ બાંગ્લાદેશ 17 રનથી આગળ હતા. એટલે કે બાંગ્લાદેશએ 9 ઓવરમાં જીત માટે 85 રન બનાવવાના હતા.


ભારતની સેમી ફાઈનલમાં એન્ટ્રી નક્કી


બાંગ્લાદેશ સામેની આજની મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઈન્ડિયા ગ્રુપ -2ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગયું છે. આ સાથે ભારતની સેમી ફાઈનલમાં પહોંચવાની શક્યતાઓ મજબુત બની ગઈ છે.





ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.