વિરાટની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ બાદ પત્ની અનુષ્કાએ લખી આ ઈમોશનલ નોટ


  • Published By :
  • Published Date : 2022-10-23 19:52:57

વિરાટ કોહલીને શા માટે રન ચેઝ માસ્ટર કહેવામાં આવે છે, આજે તેણે સાબિત કરી દીધું છે. કોહલીએ T20 વર્લ્ડ કપ 2022માં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાકિસ્તાન સામે 82 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ભારતને ચાર વિકેટથી અવિશ્વસનીય જીત અપાવી હતી. 160 રનના લક્ષ્યનો પીછો કરતા ભારતે 31 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અને તેને છેલ્લા 9 બોલમાં 29 રન બનાવવા પડ્યા હતા. પરંતુ ભારતના સૌથી મોટા મેચ વિનરે 53 બોલમાં છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકારીને ટીમને મહત્વની જીત અપાવી હતી. વિરાટની અત્યાર સુધીની આ સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. વિરાટની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ એક ઈમોશનલ નોટ લખી છે. અનુષ્કાએ આ મેચને તેના જીવનની અત્યાર સુધીની શ્રેષ્ઠ મેચ ગણાવી છે.


વિરાટની પત્ની અનુષ્કા શર્માએ શું લખ્યું?


બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કાએ મેચ સમાપ્ત થયા બાદ  ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, “આજે દિવાળીની પૂર્વ સંધ્યાએ તમે લોકોના જીવનમાં ખુશીઓ ભરી દીધી. તમે એક અદ્ભુત વ્યક્તિ છો મારા પ્રેમ. તમારી ધીરજ, દ્રઢ નિશ્ચય અને આત્મવિશ્વાસ મનને આશ્ચર્યચકિત કરી દે છે!! હું કહી શકું છું કે મેં હમણાં જ મારા જીવનની સૌથી શ્રેષ્ઠ મેચ જોઈ છે. જો કે આપણી પુત્રી એ સમજવા માટે ખૂબ નાની છે કે તેની માતા તેના રૂમમાં શા માટે નાચતી હતી અને ચીસો પાડી રહી હતી, તે પણ એક દિવસ સમજી જશે કે તે રાત્રે તેના પિતાએ તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ રમી હતી. એક એવા તબક્કા બાદ જે તેના માટે ખૂબ જ મુશ્કેલ હતો, પરંતુ તે વધુ મજબૂત બનીને પાછો ફર્યો છે. મને તમારા પર ગર્વ છે."



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે