IND vs SL Asia Cup 2023 Final Live Score: સિરાજની બોલિંગ સામે શ્રીલંકાના બેટસમેન ધરાશાઈ, 13 ઓવરમાં સ્કોર - 41/8


  • Published By :
  • Published Date : 2023-09-17 17:11:07

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં મોહમ્મદ સિરાજે પોતાની તેજતર્રાર બોલિંગથી તબાહી મચાવી છે. સિરાજે પોતાની બોલિંગના પ્રથમ 16 બોલમાં 5 વિકેટ ઝડપી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ટીમો બીજી વખત આમને-સામને છે. આ પહેલા બંને સુપર-ફોર રાઉન્ડમાં પણ સામસામે આવી ગયા હતા, જેમાં ભારતે 41 રને જીત મેળવી હતી. જો ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતશે તો રેકોર્ડ આઠમી વખત એશિયા કપ પર કબજો કરશે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી.


શ્રીલંકાની 8 વિકેટ પડી 


પ્રથમ 13 ઓવરમાં શ્રીલંકાનો સ્કોર 41 રન છે અને તેણે 8 મહત્વની વિકેટ ગુમાવી છે. પહેલા પાવરપ્લેમાં તેની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેમાં પણ ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને તેણે શ્રીલંકાને કોઈ દયા બતાવી નથી. તેણે માત્ર 16 બોલ ફેંકીને પાંચમી વિકેટ લીધી છે. માત્ર 12 રન બનાવીને શ્રીલંકાના 6 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. સિરાજે ચોથી ઓવરના પહેલા બોલ પર પથુમ નિસાન્કાની વિકેટ લીધી, તેણે માત્ર 2 રન બનાવ્યા. આ પછી એ જ ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સાદિરા અને ચરૈથ અસલાંકાની વિકેટ પણ લીધી હતી. આ બંને બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ જ ઓવરના છેલ્લા બોલ પર તેણે ધનંજય ડી સિલ્વાને પણ 4 રનના અંગત સ્કોર પર પરત મોકલી દીધો હતો.


શ્રીલંકા સામે કેવું રહ્યું છે ભારતનું પર્ફોર્મન્સ?


ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 166 ODI મેચ રમાઈ છે. ભારતે 97 મેચ જીતી છે અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. એશિયા કપના ODI ફોર્મેટની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ રમાઈ છે. બંને ટીમોએ 10-10 મેચ જીતી છે. બંને ટીમો ફાઇનલમાં 8 વખત ટકરાયા છે. જેમાં ભારત 5 વખત અને શ્રીલંકા 3 વખત જીત્યું છે.


(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.