IND vs SL Asia Cup 2023 Final Live Score: સિરાજની બોલિંગ સામે શ્રીલંકાના બેટસમેન ધરાશાઈ, 13 ઓવરમાં સ્કોર - 41/8


  • Published By :
  • Published Date : 2023-09-17 17:11:07

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં મોહમ્મદ સિરાજે પોતાની તેજતર્રાર બોલિંગથી તબાહી મચાવી છે. સિરાજે પોતાની બોલિંગના પ્રથમ 16 બોલમાં 5 વિકેટ ઝડપી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ટીમો બીજી વખત આમને-સામને છે. આ પહેલા બંને સુપર-ફોર રાઉન્ડમાં પણ સામસામે આવી ગયા હતા, જેમાં ભારતે 41 રને જીત મેળવી હતી. જો ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતશે તો રેકોર્ડ આઠમી વખત એશિયા કપ પર કબજો કરશે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી.


શ્રીલંકાની 8 વિકેટ પડી 


પ્રથમ 13 ઓવરમાં શ્રીલંકાનો સ્કોર 41 રન છે અને તેણે 8 મહત્વની વિકેટ ગુમાવી છે. પહેલા પાવરપ્લેમાં તેની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેમાં પણ ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને તેણે શ્રીલંકાને કોઈ દયા બતાવી નથી. તેણે માત્ર 16 બોલ ફેંકીને પાંચમી વિકેટ લીધી છે. માત્ર 12 રન બનાવીને શ્રીલંકાના 6 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. સિરાજે ચોથી ઓવરના પહેલા બોલ પર પથુમ નિસાન્કાની વિકેટ લીધી, તેણે માત્ર 2 રન બનાવ્યા. આ પછી એ જ ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સાદિરા અને ચરૈથ અસલાંકાની વિકેટ પણ લીધી હતી. આ બંને બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ જ ઓવરના છેલ્લા બોલ પર તેણે ધનંજય ડી સિલ્વાને પણ 4 રનના અંગત સ્કોર પર પરત મોકલી દીધો હતો.


શ્રીલંકા સામે કેવું રહ્યું છે ભારતનું પર્ફોર્મન્સ?


ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 166 ODI મેચ રમાઈ છે. ભારતે 97 મેચ જીતી છે અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. એશિયા કપના ODI ફોર્મેટની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ રમાઈ છે. બંને ટીમોએ 10-10 મેચ જીતી છે. બંને ટીમો ફાઇનલમાં 8 વખત ટકરાયા છે. જેમાં ભારત 5 વખત અને શ્રીલંકા 3 વખત જીત્યું છે.


(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.