IND vs SL Asia Cup 2023 Final Live Score: સિરાજની બોલિંગ સામે શ્રીલંકાના બેટસમેન ધરાશાઈ, 13 ઓવરમાં સ્કોર - 41/8


  • Published By :
  • Published Date : 2023-09-17 17:11:07

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં મોહમ્મદ સિરાજે પોતાની તેજતર્રાર બોલિંગથી તબાહી મચાવી છે. સિરાજે પોતાની બોલિંગના પ્રથમ 16 બોલમાં 5 વિકેટ ઝડપી છે. વર્તમાન ટુર્નામેન્ટમાં બંને ટીમો બીજી વખત આમને-સામને છે. આ પહેલા બંને સુપર-ફોર રાઉન્ડમાં પણ સામસામે આવી ગયા હતા, જેમાં ભારતે 41 રને જીત મેળવી હતી. જો ભારતીય ટીમ ફાઈનલ મેચ જીતશે તો રેકોર્ડ આઠમી વખત એશિયા કપ પર કબજો કરશે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી.


શ્રીલંકાની 8 વિકેટ પડી 


પ્રથમ 13 ઓવરમાં શ્રીલંકાનો સ્કોર 41 રન છે અને તેણે 8 મહત્વની વિકેટ ગુમાવી છે. પહેલા પાવરપ્લેમાં તેની શરૂઆત ઘણી ખરાબ રહી હતી. તેમાં પણ ભારતનો ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અટકવાનું નામ નથી લઈ રહ્યો અને તેણે શ્રીલંકાને કોઈ દયા બતાવી નથી. તેણે માત્ર 16 બોલ ફેંકીને પાંચમી વિકેટ લીધી છે. માત્ર 12 રન બનાવીને શ્રીલંકાના 6 બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા છે. સિરાજે ચોથી ઓવરના પહેલા બોલ પર પથુમ નિસાન્કાની વિકેટ લીધી, તેણે માત્ર 2 રન બનાવ્યા. આ પછી એ જ ઓવરના ત્રીજા અને ચોથા બોલ પર સાદિરા અને ચરૈથ અસલાંકાની વિકેટ પણ લીધી હતી. આ બંને બેટ્સમેન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. આ જ ઓવરના છેલ્લા બોલ પર તેણે ધનંજય ડી સિલ્વાને પણ 4 રનના અંગત સ્કોર પર પરત મોકલી દીધો હતો.


શ્રીલંકા સામે કેવું રહ્યું છે ભારતનું પર્ફોર્મન્સ?


ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં 166 ODI મેચ રમાઈ છે. ભારતે 97 મેચ જીતી છે અને શ્રીલંકાએ 57 મેચ જીતી છે. 11 મેચમાં કોઈ પરિણામ આવ્યું ન હતું, જ્યારે એક મેચ ટાઈ રહી હતી. એશિયા કપના ODI ફોર્મેટની વાત કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 20 મેચ રમાઈ છે. બંને ટીમોએ 10-10 મેચ જીતી છે. બંને ટીમો ફાઇનલમાં 8 વખત ટકરાયા છે. જેમાં ભારત 5 વખત અને શ્રીલંકા 3 વખત જીત્યું છે.


(આ એક બ્રેકિંગ ન્યૂઝ છે. જે અપડેટ થઈ રહ્યા છે. પેજ રિફ્રેશ કરતા રહેશો.)



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.