IND vs SL Asia Cup 2023 Final Live Score: 31 બોલ-ખેલ ખતમ, ભારત 8મી વખત ચેમ્પિયન, શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું


  • Published By :
  • Published Date : 2023-09-17 18:49:09

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં મોહમ્મદ સિરાજે તેજતર્રાર બોલિંગથી તબાહી મચાવી છે. જ્યારે સિરાજે 6 અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની આખી ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં જ સમેટાઈ જતા ભારત સામે માત્ર 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 10 વિકેટથી આ મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમે ફાઈનલ મેચ જીતીને રેકોર્ડ આઠમી વખત એશિયા કપ પર કબજો કર્યો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી.


ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં મેચ જીતી


ભારતને મળેલા 51 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગીલે ઓપનિંગમાં મોરચો સંભાળ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા આ વખતે બેટિંગ કરવા મેદાન પર ઉતર્યો નહોતો. ઈશાન અને ગિલ અણનમ રહ્યા અને ટીમને 10 વિકેટે હરાવ્યું. મેચમાં ગિલ 27 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ઈશાન 23 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી.


શ્રીલંકાના કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા


શ્રીલંકન ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. જ્યારે દુશાન હેમંથાએ 13 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. જ્યારે 5 બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા.


મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં  6 વિકેટ ખેરવી


ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહને 1 સફળતા મળી હતી.


ભારત ફરી એશિયા કપ ચેમ્પિયન બન્યું  


ભારતે શાનદાર પ્રદર્શન કરતા એશિયા કપ 2023નું ટાઇટલ જીત્યું છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ઈશાન કિશન 23 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો અને શુભમન ગિલ 23 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત આઠમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે. ફાઈનલ મેચમાં ભારતને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ હતો જે તેણે માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.