IND vs SL Asia Cup 2023 Final Live Score: 31 બોલ-ખેલ ખતમ, ભારત 8મી વખત ચેમ્પિયન, શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું


  • Published By :
  • Published Date : 2023-09-17 18:49:09

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. અહીં મોહમ્મદ સિરાજે તેજતર્રાર બોલિંગથી તબાહી મચાવી છે. જ્યારે સિરાજે 6 અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી. શ્રીલંકાની આખી ટીમ 15.2 ઓવરમાં માત્ર 50 રનમાં જ સમેટાઈ જતા ભારત સામે માત્ર 51 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેને ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ 10 વિકેટથી આ મેચમાં જીત મેળવી છે. ભારતીય ટીમે ફાઈનલ મેચ જીતીને રેકોર્ડ આઠમી વખત એશિયા કપ પર કબજો કર્યો છે. શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. વરસાદના કારણે મેચ 40 મિનિટ મોડી શરૂ થઈ હતી.


ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં મેચ જીતી


ભારતને મળેલા 51 રનના ટાર્ગેટના જવાબમાં ભારતીય ટીમ માટે ઈશાન કિશન અને શુભમન ગીલે ઓપનિંગમાં મોરચો સંભાળ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા આ વખતે બેટિંગ કરવા મેદાન પર ઉતર્યો નહોતો. ઈશાન અને ગિલ અણનમ રહ્યા અને ટીમને 10 વિકેટે હરાવ્યું. મેચમાં ગિલ 27 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ઈશાન 23 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. ભારતીય ટીમે માત્ર 6.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી.


શ્રીલંકાના કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા


શ્રીલંકન ટીમ માટે વિકેટકીપર બેટ્સમેન કુસલ મેન્ડિસે સૌથી વધુ 17 રન બનાવ્યા હતા. જ્યારે દુશાન હેમંથાએ 13 રન બનાવ્યા હતા. આ સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યો નહોતો. જ્યારે 5 બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા ન હતા.


મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં  6 વિકેટ ખેરવી


ભારતીય ટીમ માટે ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે 7 ઓવરમાં 21 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. જ્યારે હાર્દિક પંડ્યાએ 2.2 ઓવરમાં 3 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે જસપ્રીત બુમરાહને 1 સફળતા મળી હતી.


ભારત ફરી એશિયા કપ ચેમ્પિયન બન્યું  


ભારતે શાનદાર પ્રદર્શન કરતા એશિયા કપ 2023નું ટાઇટલ જીત્યું છે. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે શ્રીલંકાને 10 વિકેટે હરાવ્યું હતું. ઈશાન કિશન 23 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો અને શુભમન ગિલ 23 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારત આઠમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું છે. ફાઈનલ મેચમાં ભારતને જીતવા માટે 51 રનનો ટાર્ગેટ હતો જે તેણે માત્ર 6.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.