IND vs WI 1st Test : વેસ્ટઈન્ડિઝ પહેલી ઈનિંગમાં 150 રનમાં ઓલઆઉટ, ભારત 80/0


  • Published By : Admin
  • Published Date : 2023-07-13 14:23:39

ભારતીય ક્રિકેટ ટીમ હાલ વેસ્ટઈન્ડિઝના પ્રવાસે છે, જ્યાં હાલ ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે, જેમાં પહેલા દિવસે ટોસ જીતીને વેસ્ટઈન્ડિઝે બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જેમાં પહેલી ઈનિંગમાં જ આખી ટીમ 150 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. 


આર અશ્વિનની 5 વિકેટ, સર્જ્યો આ નવો રેકોર્ડ


ભારત તરફથી રવિચંદ્રન અશ્વિને 5 વિકેટ લીધી હતી. રવીન્દ્ર જાડેજાને 3 સફળતા મળી. સિરાજ અને શાર્દૂલ ઠાકુરને એક-એક વિકેટ મળી હતી. રવિચંદ્રન અશ્વિને પેહલી ઈનિંગમાં  5 વિકેટ ઝડપી હતી, જે બાદ હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 700 વિકેટ પૂરી થઈ ચૂકી છે અને તે જ કારણે આર અશ્વિન 700 કે તેથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર છે. આ ઉપરાંત રવિચંદ્રન અશ્વિન વેસ્ટઈન્ડિઝ સામે સૌથી વધુ વિકેટ લેવાના મામલે પાંચમાં નંબર પર આવી ગયો છે. તેમણે બેશન સિંહ બેદીને પાછળ છોડી દીધા.


વેસ્ટઈન્ડિઝ 150 રનમાં ઓલ આઉટ, ભારત 70 રનથી પાછળ

પહેલા દિવસના અંતે ભારતીય બોલરોના સારા પ્રદર્શનને કારણે વેસ્ટઈન્ડિઝ ટીમ 150 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી, વેસ્ટઈન્ડિઝ તરફથી ડેબ્યૂ મેચ રમી રહેલા એલિક એથેનોઝએ સૌથી વધુ 47 રન બનાવ્યા હતા, આ સિવાયના બેટર્સમાં કેપ્ટન ક્રેગ બ્રેથવેટે 20 રન અને રહકીમ કોર્નવોલે 19 રન બનાવ્યા હતા. આ સિવાય જેશન હોલ્ડરે 18 રન અને તેજનારાયણ ચંદ્રપોલે 12 રન બનાવ્યા હતા.

જેના જવાબમાં ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરવા ઉતરેલા કેપ્ટન રોહિત શર્મા અને ડેબ્યૂ મેચ રમી રહેલા યશસ્વી જયસ્વાલે પહેલા દિવસના અંત સુધી ભારતીય ટીમ માટે એક પણ વિકેટ ગુમાવ્યા વગર 80 રન બનાવ્યાં હતા, જેમાં કેપ્ટન રોહિત શર્માએ 65 બોલમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 30 રન બનાવ્યાં હતા અને યશસ્વી જયસ્વાલે 73 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 40 રન બનાવ્યાં હતા. 

ભારત તરફથી જયસ્વાલ-ઈશાન અને વિન્ડીઝ તરફથી એથનિકે ડેબ્યૂ કર્યું

આ સીરીઝમાં કુલ 3 યુવાનોને ડેબ્યૂ કરવાની તક મળી હતી. ભારત તરફથી વિકેટકીપર બેટર ઈશાન કિશન અને યશસ્વી જયસ્વાલએ પોતાના કરિયરની પહેલી ટેસ્ટ મેચ રમી હતી, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ તરફથી એલિક એથનોઝને ડેબ્યૂ કરવાની તક મળી છે. ઈશાન કિશનને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ જ્યારે યશસ્વી જયસ્વાલને કેપ્ટન રોહિત શર્માએ ડેબ્યૂ કેપ પહેરાવી હતી, જ્યારે વેસ્ટઈન્ડિઝ તરફથી ડેબ્યૂ કરનાર એલિક એથનોઝને ડૉ. ડેસમંડ હેન્સ તરફથી ડેબ્યૂ કેપ મળી હતી. 


ભારત અને વેસ્ટઈન્ડિઝ ટીમના પ્લેઇંગ-11


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.


વેસ્ટઈન્ડિઝ: ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથનેઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.