IND vs WIનીબીજી ટેસ્ટમાં વરસાદ બન્યો વિલન, ભારતે 1-0થી જીતી ટેસ્ટ શ્રેણી, વન-ડે શ્રેણી માટે WI ટીમની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-07-25 20:49:49

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી હતી, જેમાં બીજી ટેસ્ટમાં પાંચમા દિવસે પણ વરસાદ પડતા મેચ ડ્રો થઈ હતી, જેને લીધે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે 1-0થી શ્રેણી પોતાને નામ કરી છે. બીજી ટેસ્ટની વાત કરીએ તો મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમને 365 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ચોથા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2 વિકેટે 76 રન બનાવી લીધા હતા. જો કો પાંચમાં દિવસે મેચમાં વરસાદને લીધે એક પણ બોલ ન ફેંકાતા મેચ ડ્રો થઈ હતી. 


ભારતે વેસ્ટઈન્ડિઝની ટીમ સામે સતત નવમી શ્રેણી જીતી


ભારતે આ ટેસ્ટ સીરિઝને જીત્યાં પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે પોતાનો દબદબો યથાવત રાખ્યો છો, આ ટેસ્ટ સીરિઝ 1-0થી જીતીને પોતાનો જ રેકોર્ડ કાયમ રાખ્યો છે. છેલ્લાં 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે એક પણ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. છેલ્લે વર્ષ 2002માં ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. આમ, છેલ્લાં 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે અજેય રહેલી ટીમ ઈન્ડિયાએ આજે પણ પોતાનો રેકોર્ડ કાયમ રાખ્યો છે. 


પહેલી મેચ ભારતે એક ઈનિંગ અને 141 રનથી જીતી હતી


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થઈ હતી,પરંતુ આ શ્રેણી પહેલી મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. આ સીરિઝની પહેલી મેચ ભારતીય ટીમે એક ઈનિંગ અને 141 રનથી જીતી હતી, જેને કારણે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી, જેને લીધે આજે મેચ ડ્રો થતા શ્રેણી ભારતને નામ થઈ છે. 


વન-ડે શ્રેણી માટે લેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીઓને મળશે તક


 ટીમ ઈન્ડિયા હવે આગામી 27 જુલાઈથી વેસ્ટઈન્ડીઝ સામે ત્રણ વન-ડે શ્રેણી રમશે. જેમાં વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 15 ખેલાડીઓની ટીમ બહાર પાડી છે.  વેસ્ટ ઈન્ડિઝ તરફથી આ વન-ડે શ્રેણી માટે બેટર શિમરોન હેટમાયર અને ઝડપી બોલર ઓશેન થોમસ લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યા છે. હવે જોવાનું એ છે કે આ શ્રેણીમાં કઈ ટીમ એકબીજા પર ભારી પડે છે. 


ભારત સામે વેસ્ટઈન્ડિઝની વન-ડે ટીમ

શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઇસકેપ્ટન), એલિક એથેનાઝ, યાનિક કારિયાહ, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, ગુડાકેશ મોટ્ટી, જેડન સીલ્સ, રોમારીયો શેફર્ડ, કેવિન સિનલેર, કેવિન સીલ.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે