IND vs WIનીબીજી ટેસ્ટમાં વરસાદ બન્યો વિલન, ભારતે 1-0થી જીતી ટેસ્ટ શ્રેણી, વન-ડે શ્રેણી માટે WI ટીમની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-07-25 20:49:49

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી હતી, જેમાં બીજી ટેસ્ટમાં પાંચમા દિવસે પણ વરસાદ પડતા મેચ ડ્રો થઈ હતી, જેને લીધે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે 1-0થી શ્રેણી પોતાને નામ કરી છે. બીજી ટેસ્ટની વાત કરીએ તો મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમને 365 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ચોથા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2 વિકેટે 76 રન બનાવી લીધા હતા. જો કો પાંચમાં દિવસે મેચમાં વરસાદને લીધે એક પણ બોલ ન ફેંકાતા મેચ ડ્રો થઈ હતી. 


ભારતે વેસ્ટઈન્ડિઝની ટીમ સામે સતત નવમી શ્રેણી જીતી


ભારતે આ ટેસ્ટ સીરિઝને જીત્યાં પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે પોતાનો દબદબો યથાવત રાખ્યો છો, આ ટેસ્ટ સીરિઝ 1-0થી જીતીને પોતાનો જ રેકોર્ડ કાયમ રાખ્યો છે. છેલ્લાં 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે એક પણ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. છેલ્લે વર્ષ 2002માં ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. આમ, છેલ્લાં 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે અજેય રહેલી ટીમ ઈન્ડિયાએ આજે પણ પોતાનો રેકોર્ડ કાયમ રાખ્યો છે. 


પહેલી મેચ ભારતે એક ઈનિંગ અને 141 રનથી જીતી હતી


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થઈ હતી,પરંતુ આ શ્રેણી પહેલી મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. આ સીરિઝની પહેલી મેચ ભારતીય ટીમે એક ઈનિંગ અને 141 રનથી જીતી હતી, જેને કારણે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી, જેને લીધે આજે મેચ ડ્રો થતા શ્રેણી ભારતને નામ થઈ છે. 


વન-ડે શ્રેણી માટે લેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીઓને મળશે તક


 ટીમ ઈન્ડિયા હવે આગામી 27 જુલાઈથી વેસ્ટઈન્ડીઝ સામે ત્રણ વન-ડે શ્રેણી રમશે. જેમાં વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 15 ખેલાડીઓની ટીમ બહાર પાડી છે.  વેસ્ટ ઈન્ડિઝ તરફથી આ વન-ડે શ્રેણી માટે બેટર શિમરોન હેટમાયર અને ઝડપી બોલર ઓશેન થોમસ લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યા છે. હવે જોવાનું એ છે કે આ શ્રેણીમાં કઈ ટીમ એકબીજા પર ભારી પડે છે. 


ભારત સામે વેસ્ટઈન્ડિઝની વન-ડે ટીમ

શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઇસકેપ્ટન), એલિક એથેનાઝ, યાનિક કારિયાહ, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, ગુડાકેશ મોટ્ટી, જેડન સીલ્સ, રોમારીયો શેફર્ડ, કેવિન સિનલેર, કેવિન સીલ.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.