IND vs WIનીબીજી ટેસ્ટમાં વરસાદ બન્યો વિલન, ભારતે 1-0થી જીતી ટેસ્ટ શ્રેણી, વન-ડે શ્રેણી માટે WI ટીમની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-07-25 20:49:49

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી હતી, જેમાં બીજી ટેસ્ટમાં પાંચમા દિવસે પણ વરસાદ પડતા મેચ ડ્રો થઈ હતી, જેને લીધે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે 1-0થી શ્રેણી પોતાને નામ કરી છે. બીજી ટેસ્ટની વાત કરીએ તો મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમને 365 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ચોથા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2 વિકેટે 76 રન બનાવી લીધા હતા. જો કો પાંચમાં દિવસે મેચમાં વરસાદને લીધે એક પણ બોલ ન ફેંકાતા મેચ ડ્રો થઈ હતી. 


ભારતે વેસ્ટઈન્ડિઝની ટીમ સામે સતત નવમી શ્રેણી જીતી


ભારતે આ ટેસ્ટ સીરિઝને જીત્યાં પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે પોતાનો દબદબો યથાવત રાખ્યો છો, આ ટેસ્ટ સીરિઝ 1-0થી જીતીને પોતાનો જ રેકોર્ડ કાયમ રાખ્યો છે. છેલ્લાં 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે એક પણ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. છેલ્લે વર્ષ 2002માં ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. આમ, છેલ્લાં 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે અજેય રહેલી ટીમ ઈન્ડિયાએ આજે પણ પોતાનો રેકોર્ડ કાયમ રાખ્યો છે. 


પહેલી મેચ ભારતે એક ઈનિંગ અને 141 રનથી જીતી હતી


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થઈ હતી,પરંતુ આ શ્રેણી પહેલી મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. આ સીરિઝની પહેલી મેચ ભારતીય ટીમે એક ઈનિંગ અને 141 રનથી જીતી હતી, જેને કારણે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી, જેને લીધે આજે મેચ ડ્રો થતા શ્રેણી ભારતને નામ થઈ છે. 


વન-ડે શ્રેણી માટે લેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીઓને મળશે તક


 ટીમ ઈન્ડિયા હવે આગામી 27 જુલાઈથી વેસ્ટઈન્ડીઝ સામે ત્રણ વન-ડે શ્રેણી રમશે. જેમાં વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 15 ખેલાડીઓની ટીમ બહાર પાડી છે.  વેસ્ટ ઈન્ડિઝ તરફથી આ વન-ડે શ્રેણી માટે બેટર શિમરોન હેટમાયર અને ઝડપી બોલર ઓશેન થોમસ લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યા છે. હવે જોવાનું એ છે કે આ શ્રેણીમાં કઈ ટીમ એકબીજા પર ભારી પડે છે. 


ભારત સામે વેસ્ટઈન્ડિઝની વન-ડે ટીમ

શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઇસકેપ્ટન), એલિક એથેનાઝ, યાનિક કારિયાહ, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, ગુડાકેશ મોટ્ટી, જેડન સીલ્સ, રોમારીયો શેફર્ડ, કેવિન સિનલેર, કેવિન સીલ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.