IND vs WIનીબીજી ટેસ્ટમાં વરસાદ બન્યો વિલન, ભારતે 1-0થી જીતી ટેસ્ટ શ્રેણી, વન-ડે શ્રેણી માટે WI ટીમની જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-07-25 20:49:49

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ રમાઈ રહી હતી, જેમાં બીજી ટેસ્ટમાં પાંચમા દિવસે પણ વરસાદ પડતા મેચ ડ્રો થઈ હતી, જેને લીધે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ટીમે 1-0થી શ્રેણી પોતાને નામ કરી છે. બીજી ટેસ્ટની વાત કરીએ તો મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝની ટીમને 365 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જેમાં ચોથા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 2 વિકેટે 76 રન બનાવી લીધા હતા. જો કો પાંચમાં દિવસે મેચમાં વરસાદને લીધે એક પણ બોલ ન ફેંકાતા મેચ ડ્રો થઈ હતી. 


ભારતે વેસ્ટઈન્ડિઝની ટીમ સામે સતત નવમી શ્રેણી જીતી


ભારતે આ ટેસ્ટ સીરિઝને જીત્યાં પછી વેસ્ટ ઈન્ડિઝની ટીમ સામે પોતાનો દબદબો યથાવત રાખ્યો છો, આ ટેસ્ટ સીરિઝ 1-0થી જીતીને પોતાનો જ રેકોર્ડ કાયમ રાખ્યો છે. છેલ્લાં 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારત સામે એક પણ ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી. છેલ્લે વર્ષ 2002માં ભારત સામે ટેસ્ટ શ્રેણી જીતી હતી. આમ, છેલ્લાં 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે અજેય રહેલી ટીમ ઈન્ડિયાએ આજે પણ પોતાનો રેકોર્ડ કાયમ રાખ્યો છે. 


પહેલી મેચ ભારતે એક ઈનિંગ અને 141 રનથી જીતી હતી


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ વરસાદને કારણે ડ્રો થઈ હતી,પરંતુ આ શ્રેણી પહેલી મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો હતો. આ સીરિઝની પહેલી મેચ ભારતીય ટીમે એક ઈનિંગ અને 141 રનથી જીતી હતી, જેને કારણે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી હતી, જેને લીધે આજે મેચ ડ્રો થતા શ્રેણી ભારતને નામ થઈ છે. 


વન-ડે શ્રેણી માટે લેસ્ટ ઈન્ડિઝના આ ખેલાડીઓને મળશે તક


 ટીમ ઈન્ડિયા હવે આગામી 27 જુલાઈથી વેસ્ટઈન્ડીઝ સામે ત્રણ વન-ડે શ્રેણી રમશે. જેમાં વેસ્ટઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે 15 ખેલાડીઓની ટીમ બહાર પાડી છે.  વેસ્ટ ઈન્ડિઝ તરફથી આ વન-ડે શ્રેણી માટે બેટર શિમરોન હેટમાયર અને ઝડપી બોલર ઓશેન થોમસ લાંબા સમય બાદ ટીમમાં પરત ફર્યા છે. હવે જોવાનું એ છે કે આ શ્રેણીમાં કઈ ટીમ એકબીજા પર ભારી પડે છે. 


ભારત સામે વેસ્ટઈન્ડિઝની વન-ડે ટીમ

શાઈ હોપ (કેપ્ટન), રોવમેન પોવેલ (વાઇસકેપ્ટન), એલિક એથેનાઝ, યાનિક કારિયાહ, કેસી કાર્ટી, ડોમિનિક ડ્રેક્સ, શિમરોન હેટમાયર, અલ્ઝારી જોસેફ, બ્રેન્ડન કિંગ, કાઇલ મેયર્સ, ગુડાકેશ મોટ્ટી, જેડન સીલ્સ, રોમારીયો શેફર્ડ, કેવિન સિનલેર, કેવિન સીલ.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.