IND vs WI TEST : બીજા દિવસના અંતે ભારત 162 રનથી આગળ, રોહિત-જયસ્વાલની સેન્ચ્યુરી


  • Published By :
  • Published Date : 2023-07-14 18:12:34

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરીઝમાં પેહલી મેચમાં ભારતીય ટીમનો દબદબો રહ્યો છે, પહેલા દિવસના અંતે વેસ્ટઈન્ડિઝ ટીમને 150 રનમાં ઓલઆઉટ કરીને બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે દિવસના અંતે શૂન્ય વિકેટ પર 80 રનનો સ્કોર નોંધાવ્યો હતો. બીજા દિવસની શરુઆતમાં ભારતીય ટીમના ઓપનર્સ દ્વારા શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. બંને ઓપનર્સે પોતાની સદી નોંધાવી હતી.


કેપ્ટન રોહિત ઉપરાંત ડેબ્યૂ કરનાર યશસ્વી જયસ્વાલની સદી


ભારતીય ટીમ તરફથી ઓપનિંગ કરનાર યશસ્વી જયસ્વાલ કે જેઓ પોતાની ડેબ્યૂ મેચ રમી રહ્યાં હતા, તેમણે પોતાના કરિયરની પહેલી ટેસ્ટ સેન્ચ્યુરી નોંધાવી હતી. આ ઉપરાંત કેપ્ટન રોહિત શર્મા પણ પોતાની સદી નોંધાવી 103 રન પર આઉટ થયો હતો.ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટેસ્ટ કરિયરમાં 3500 રન પૂરા કર્યા છે. તેમણે 51 મેચની 86 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. આ દરમિયાન બંને ઓપનર્સ વચ્ચે કુલ 229 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશીપ થઈ હતી, જે ભારત માટે સૌથી વધુ ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ છે, આ રેકોર્ડ પહેલા સંજય બાંગર અને વિરેન્દ્ર સહેવાગના નામે હતો, જેણે વર્ષ 2002માં મુંબઈના વાનખેડેમાં 201 રનની ભાગીદારી નોંધાવી હતી. 


બીજા દિવસને અંતે ભારતે 2 વિકેટ ગુમાવી, 162 રનની લીડ મેળવી


પહેલી ટેસ્ટના બીજા દિવસના અંત સુધીમાં ભારતીય ટીમે 312 રનનો સ્કોર નોંધાવ્યો હતો, જેમાં ટીમે પોતાની 2 વિકેટ ગુમાવી હતી, કેપ્ટન રોહિત શર્મા 103 રન બનાવીને જ્યારે શુભમન ગિલ 6 રન બનાવીને આઉટ થયા હતા, હાલ ઓપરનર યશસ્વી જયસ્વાલ 143 પર અને વિરાટ કોહલી 36 રન પર રમતમાં છે, જ્યારે વેસ્ટઈન્ડિઝ તરફથી જોમેલ વોરિકન અને એલીક એથેનાઝને એક-એક સફળતા મળી હતી. 

ભારત અને વેસ્ટઈન્ડિઝ ટીમના પ્લેઇંગ-11


ભારત: રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, રવીન્દ્ર જાડેજા, ઈશાન કિશન (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, શાર્દૂલ ઠાકુર, જયદેવ ઉનડકટ અને મોહમ્મદ સિરાજ.


વેસ્ટઈન્ડિઝ: ક્રેગ બ્રાથવેટ(કેપ્ટન), તેજનારાયણ ચંદ્રપોલ, રેમન રીફર, જર્માઈન બ્લેકવુડ, એલીક એથનેઝ, જોશુઆ દા સિલ્વા(વિકેટકીપર), જેસન હોલ્ડર, રહકીમ કોર્નવોલ, અલ્ઝારી જોસેફ, કેમર રોચ અને જોમેલ વોરિકન.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.