IND vs WI Test : એક ઈનિંગ અને 141 રનથી ભારતે જીતી પહેલી ટેસ્ટ,ત્રીજા દિવસે જ વેસ્ટઈન્ડિઝને હરાવ્યું, અશ્વિનની 12 વિકેટ


  • Published By :
  • Published Date : 2023-07-15 14:50:50

ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ ત્રીજા જ દિવસે પહેલી ટેસ્ટ જીતી લીધી છે, અને ભારતીય બોલર્સની સામે વેસ્ટઈન્ડિઝની ટીમ ઘૂંટણીએ આવી ગઈ હતી, જેના પરિણામે ભારતીય ટીમે એક ઈનિંગ અને 141 રનથી વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે, આ મેચમાં ભારતીય બોલર્સનો ખાસ કરીને ભારતીય સ્પિનર્સનો દબદબો રહ્યો હતો. 


આર અશ્વિને લીધી 12 વિકેટ 


ટીમ ઈન્ડિયાએ 421 રન પર પોતાની ઈનિંગ ડિક્લેર કરીને વેસ્ટઈન્ડિઝ ટીમને બીજી ઈનિંગ રમવા મજબૂર કરી હતી, જેમાં વેસ્ટઈન્ડિઝ ટીમના એક પણ બેટર પોતાનું સારું પ્રદર્શન કરી શક્યા નહોતા, આ તરફ ભારત તરફથી બીજી ઈનિંગમાં વધુ એક વખત રવિચંદ્રન અશ્વિને 5થી વધુ વિકેટ લીધી હતી, બીજી ઈનિંગમાં આર અશ્વિને કુલ 7 વિકેટ લીધી હતી, એટલે કે કુલ પહેલી ટેસ્ટમાં માત્ર અશ્વિને વેસ્ટ ઈન્ડિઝ ટીમની કુલ 12 વિકેટ લીધી હતી, જેના પરિણામે ભારતીય ટીમ જીતના મુકામ સુધી પહોંચી હતી. 

 

પહેલી ઈનિંગમાં ભારતીય ઓપરનર્સે કર્યુ સારું પ્રદર્શન 


ભારતીય ટીમે બીજા દિવસના અંતે 421 રન અને 5 વિકેટના નુકસાન પર પોતાનો દાવ ડિક્લેર કર્યો હતો, જેમાં ભારતીય ઓપનર્સે સારું પ્રદર્શન આપ્યું હતું, જેમાં ઓપનર્સ રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે સેન્ય્યુરી નોંધાવી હતી, કેપ્ટન રોહિત શર્માએ 103 રન જ્યારે યશસ્વી જયસ્વાલે 171 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી,અને ભારતીય ટીમ માટે આ બંને ઓપનર્સે 229 રનથી ઓપનિંગ ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ અનુક્રમે 76 અને 37 રનની ઈનિંગ રમી પોતાનું મહત્વનું યોગદાન આપ્યું હતું. 


ભારતે એક ઈનિંગ અને 141 રનથી જીતી મેચ


ટીમ ઈન્ડિયાએ વેસ્ટઈન્ડિઝ ટીમને બીજી ઈનિંગમાં જ ઓલઆઉટ કરી દીધી હતી,આ બીજી ઈનિંગમા ભારત તરફથી આર અશ્વિનને 7,રવિન્દ્ર જાડેજાને 2 અને મોહમ્મદ સિરાજને 1 સફળતા મળી હતી, જેના પરિણામે વેસ્ટ ઈન્ડિઝની ટીમ 130 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી, અને ભારતીય ટીમે 141 રન અને એક ઈનિંગથી પહેલી ટેસ્ટ જીતી લીધી હતી. 



2 ટેસ્ટ મેચની સીરીઝમાં ભારતે 1-0થી મેળવી લીડ, બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈથી થશે શરુ 


ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવનાર 2 ટેસ્ટ મેચની સીરીઝમાં ભારતે પહેલી ટેસ્ટ મેચ જીતીની આ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે, જ્યારે હવે આ સીરીઝની બીજી ટેસ્ટ મેચ આગામી 20 જુલાઈથી વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદ ખાતે આવેલા ક્વીન્સ પાર્ક ઓવલ પોર્ટ ઓફ સ્પેન સ્ટેડિયમમાં રમાશે, હવે જો બીજી ટેસ્ટ મેચ પણ ભારત જીતી જશે તો ભારતને વ્હાઈટ વોશ કરવાનો મોકો મળશે, ઉપરાંત જો બીજી મેચ વેસ્ટ ઈન્ડિઝની ટીમ જીતશે તો શ્રેણી 1-1થી સરભર થઈ જશે, અને મેચ ડ્રો થઈ જશે તો ભારત 1-0થી શ્રેણી જીતી જશે. હવે જોવાનું એ છે કે આ સીરીઝની બીજી મેચ કોણ જીતશે?



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.