ભારતે પાર કર્યો 220 કરોડ વેક્સિનેશનનો આંકડો, મનસુખ માંડવીયાએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-12-19 16:11:28

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં લોકો કોરોનાનો ભોગ બન્યા હતા. અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે કોરોનાને નિયંત્રણમાં લેવા દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. ભારતે કોવિડની રસીકરણને લઈ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી હતી. ટ્વિટ કરી કહ્યું કે ભારતે 220 કરોડ વેક્સિન ડોઝના આંકડાને પાર કરી લીધું છે.

 


મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી

2019માં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ઝપેટમાં લઈ લીધા હતા. કોરોના મહામારીને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાની સંક્રમિત થયા હતા. ત્યારે લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચલાવ્યું હતું. 16 જાન્યુઆરી 2021માં પૂરા દેશમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાઈ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે રસીકરણ અભિયાન દેશની ક્ષમતા અને સામર્થ્યનું પ્રમાણ છે. દેશે આજે 220 કરોડ વેક્સિનેશનના ડોઝ લગાવાનો આંકડો પાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સુરક્ષિત અને સ્વાસ્થ ભારત બનાવાની નિરંતર કોશિશ થઈ રહી છે.    




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.