ભારતે પાર કર્યો 220 કરોડ વેક્સિનેશનનો આંકડો, મનસુખ માંડવીયાએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-12-19 16:11:28

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં લોકો કોરોનાનો ભોગ બન્યા હતા. અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે કોરોનાને નિયંત્રણમાં લેવા દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. ભારતે કોવિડની રસીકરણને લઈ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી હતી. ટ્વિટ કરી કહ્યું કે ભારતે 220 કરોડ વેક્સિન ડોઝના આંકડાને પાર કરી લીધું છે.

 


મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી

2019માં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ઝપેટમાં લઈ લીધા હતા. કોરોના મહામારીને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાની સંક્રમિત થયા હતા. ત્યારે લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચલાવ્યું હતું. 16 જાન્યુઆરી 2021માં પૂરા દેશમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાઈ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે રસીકરણ અભિયાન દેશની ક્ષમતા અને સામર્થ્યનું પ્રમાણ છે. દેશે આજે 220 કરોડ વેક્સિનેશનના ડોઝ લગાવાનો આંકડો પાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સુરક્ષિત અને સ્વાસ્થ ભારત બનાવાની નિરંતર કોશિશ થઈ રહી છે.    




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે