ભારતે પાર કર્યો 220 કરોડ વેક્સિનેશનનો આંકડો, મનસુખ માંડવીયાએ આપી જાણકારી


  • Published By :
  • Published Date : 2022-12-19 16:11:28

સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. સમગ્ર દેશમાં લાખોની સંખ્યામાં લોકો કોરોનાનો ભોગ બન્યા હતા. અનેક લોકો મોતને ભેટ્યા હતા. ત્યારે કોરોનાને નિયંત્રણમાં લેવા દેશમાં રસીકરણ અભિયાન શરૂ કરાયું હતું. ભારતે કોવિડની રસીકરણને લઈ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી હતી. ટ્વિટ કરી કહ્યું કે ભારતે 220 કરોડ વેક્સિન ડોઝના આંકડાને પાર કરી લીધું છે.

 


મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી આપી જાણકારી

2019માં કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને પોતાના ઝપેટમાં લઈ લીધા હતા. કોરોના મહામારીને કારણે અનેક લોકોના મોત પણ થયા છે. લાખોની સંખ્યામાં લોકો કોરોનાની સંક્રમિત થયા હતા. ત્યારે લોકોને કોરોનાથી સુરક્ષિત રાખવા કેન્દ્ર સરકારે વેક્સિનેશન અભિયાન પૂરજોશમાં ચલાવ્યું હતું. 16 જાન્યુઆરી 2021માં પૂરા દેશમાં વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાઈ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે રસીકરણ અભિયાન દેશની ક્ષમતા અને સામર્થ્યનું પ્રમાણ છે. દેશે આજે 220 કરોડ વેક્સિનેશનના ડોઝ લગાવાનો આંકડો પાર કરી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક સુરક્ષિત અને સ્વાસ્થ ભારત બનાવાની નિરંતર કોશિશ થઈ રહી છે.    




અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.