ભારત Vs ન્યૂઝીલેન્ડ: સૂર્યકુમાર યાદવનું શાનદાર પરફોર્મન્સ, દીપક હુડ્ડાએ 4 વિકેટ ઝડપી


  • Published By :
  • Published Date : 2022-11-20 18:30:37

ન્યૂઝીલેન્ડના હોમ ગ્રાઉન્ડ માઉન્ટ મોન્ગનુઈ બે ઓવલ સ્ટેડિયમમાં ભારતે ટી ટ્વેન્ટી મેચમાં ન્યૂઝઈલેન્ડને 65 રનથી હરાવી દીધું છે. આ મેચમાં જીત સાથે જ સીરીઝમાં ભારતે 1-0ની લીડ સાથે મેચ પોતાના પક્ષમાં કરી લીધી છે. અગાઉની મેચમાં વરસાદ પડતા ભારત-ન્યૂઝીલેન્ડની મેચ રદ કરી દેવામાં આવી હતી. 


સૂર્ય કુમાર યાદવનું શાનદાર પર્ફોર્મન્સ

ભારત-ન્યૂઝીલેન્ડની t-20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને 20 ઑવરમાં 191 રન બનાવ્યા હતા. ભારતે 20 ઑવરમાં ભારતે 6 વિકેટ ખોઈ હતી. બેટિંગ દરમિયાન ઈશાન કિશને 36 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રનની અણનમ પારી રમી હતી. સૂર્ય કુમાર યાદવે આ મેચની અંદર સદી ફટકારી હતી અને તેની પહેલાની ઈંગલેન્ડ સામેની મેચમાં પણ સદી ફટકારી હતી. 


ન્યૂઝીલેન્ડનું નબળું પ્રદર્શન 

ન્યૂઝીલેન્ડે પહેલા ફિલ્ડિંગ કરી હતી. ત્યાર બાદ ભારત સામે ન્યૂઝીલેન્ડે 126 રનની પારી રમી હતી, પરંતુ 126 રન બનાવીને ન્યૂઝીલેન્ડના તમામ પ્લેયર આઉટ થઈ ગયા હતા. જેમાં ભારતના દીપક હુડ્ડાએ ચાર વિકેટ લીધી હતી. યુઝી અને મોહમ્મદ સીરાઝે 2-2 વિકેટ ચટકાવી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલ્યમસન્સે 52 બૉલ પર 61 રન બનાવ્યા હતા. 



આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા , સમગ્ર રાજ્યમાં PSI અને LRDને લઈને શારીરિક કસોટી ચાલી રહી છે. ત્યારે , ગોંડલથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે જેમાં એક આશાસ્પદ યુવાન , નીતિનસિંહ ચૌહાણએ આ શારીરિક કસોટી દરમ્યાન પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ , ભરૂચ અને ગોધરામાં આવી દુઃખદ ઘટનાઓ સામે આવી હતી.