ભારત Vs ન્યૂઝીલેન્ડ: સૂર્યકુમાર યાદવનું શાનદાર પરફોર્મન્સ, દીપક હુડ્ડાએ 4 વિકેટ ઝડપી


  • Published By :
  • Published Date : 2022-11-20 18:30:37

ન્યૂઝીલેન્ડના હોમ ગ્રાઉન્ડ માઉન્ટ મોન્ગનુઈ બે ઓવલ સ્ટેડિયમમાં ભારતે ટી ટ્વેન્ટી મેચમાં ન્યૂઝઈલેન્ડને 65 રનથી હરાવી દીધું છે. આ મેચમાં જીત સાથે જ સીરીઝમાં ભારતે 1-0ની લીડ સાથે મેચ પોતાના પક્ષમાં કરી લીધી છે. અગાઉની મેચમાં વરસાદ પડતા ભારત-ન્યૂઝીલેન્ડની મેચ રદ કરી દેવામાં આવી હતી. 


સૂર્ય કુમાર યાદવનું શાનદાર પર્ફોર્મન્સ

ભારત-ન્યૂઝીલેન્ડની t-20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને 20 ઑવરમાં 191 રન બનાવ્યા હતા. ભારતે 20 ઑવરમાં ભારતે 6 વિકેટ ખોઈ હતી. બેટિંગ દરમિયાન ઈશાન કિશને 36 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રનની અણનમ પારી રમી હતી. સૂર્ય કુમાર યાદવે આ મેચની અંદર સદી ફટકારી હતી અને તેની પહેલાની ઈંગલેન્ડ સામેની મેચમાં પણ સદી ફટકારી હતી. 


ન્યૂઝીલેન્ડનું નબળું પ્રદર્શન 

ન્યૂઝીલેન્ડે પહેલા ફિલ્ડિંગ કરી હતી. ત્યાર બાદ ભારત સામે ન્યૂઝીલેન્ડે 126 રનની પારી રમી હતી, પરંતુ 126 રન બનાવીને ન્યૂઝીલેન્ડના તમામ પ્લેયર આઉટ થઈ ગયા હતા. જેમાં ભારતના દીપક હુડ્ડાએ ચાર વિકેટ લીધી હતી. યુઝી અને મોહમ્મદ સીરાઝે 2-2 વિકેટ ચટકાવી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલ્યમસન્સે 52 બૉલ પર 61 રન બનાવ્યા હતા. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.