ભારત Vs ન્યૂઝીલેન્ડ: સૂર્યકુમાર યાદવનું શાનદાર પરફોર્મન્સ, દીપક હુડ્ડાએ 4 વિકેટ ઝડપી


  • Published By :
  • Published Date : 2022-11-20 18:30:37

ન્યૂઝીલેન્ડના હોમ ગ્રાઉન્ડ માઉન્ટ મોન્ગનુઈ બે ઓવલ સ્ટેડિયમમાં ભારતે ટી ટ્વેન્ટી મેચમાં ન્યૂઝઈલેન્ડને 65 રનથી હરાવી દીધું છે. આ મેચમાં જીત સાથે જ સીરીઝમાં ભારતે 1-0ની લીડ સાથે મેચ પોતાના પક્ષમાં કરી લીધી છે. અગાઉની મેચમાં વરસાદ પડતા ભારત-ન્યૂઝીલેન્ડની મેચ રદ કરી દેવામાં આવી હતી. 


સૂર્ય કુમાર યાદવનું શાનદાર પર્ફોર્મન્સ

ભારત-ન્યૂઝીલેન્ડની t-20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને 20 ઑવરમાં 191 રન બનાવ્યા હતા. ભારતે 20 ઑવરમાં ભારતે 6 વિકેટ ખોઈ હતી. બેટિંગ દરમિયાન ઈશાન કિશને 36 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રનની અણનમ પારી રમી હતી. સૂર્ય કુમાર યાદવે આ મેચની અંદર સદી ફટકારી હતી અને તેની પહેલાની ઈંગલેન્ડ સામેની મેચમાં પણ સદી ફટકારી હતી. 


ન્યૂઝીલેન્ડનું નબળું પ્રદર્શન 

ન્યૂઝીલેન્ડે પહેલા ફિલ્ડિંગ કરી હતી. ત્યાર બાદ ભારત સામે ન્યૂઝીલેન્ડે 126 રનની પારી રમી હતી, પરંતુ 126 રન બનાવીને ન્યૂઝીલેન્ડના તમામ પ્લેયર આઉટ થઈ ગયા હતા. જેમાં ભારતના દીપક હુડ્ડાએ ચાર વિકેટ લીધી હતી. યુઝી અને મોહમ્મદ સીરાઝે 2-2 વિકેટ ચટકાવી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલ્યમસન્સે 52 બૉલ પર 61 રન બનાવ્યા હતા. 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.