ભારત Vs ન્યૂઝીલેન્ડ: સૂર્યકુમાર યાદવનું શાનદાર પરફોર્મન્સ, દીપક હુડ્ડાએ 4 વિકેટ ઝડપી


  • Published By :
  • Published Date : 2022-11-20 18:30:37

ન્યૂઝીલેન્ડના હોમ ગ્રાઉન્ડ માઉન્ટ મોન્ગનુઈ બે ઓવલ સ્ટેડિયમમાં ભારતે ટી ટ્વેન્ટી મેચમાં ન્યૂઝઈલેન્ડને 65 રનથી હરાવી દીધું છે. આ મેચમાં જીત સાથે જ સીરીઝમાં ભારતે 1-0ની લીડ સાથે મેચ પોતાના પક્ષમાં કરી લીધી છે. અગાઉની મેચમાં વરસાદ પડતા ભારત-ન્યૂઝીલેન્ડની મેચ રદ કરી દેવામાં આવી હતી. 


સૂર્ય કુમાર યાદવનું શાનદાર પર્ફોર્મન્સ

ભારત-ન્યૂઝીલેન્ડની t-20 મેચમાં ન્યૂઝીલેન્ડે ટૉસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને 20 ઑવરમાં 191 રન બનાવ્યા હતા. ભારતે 20 ઑવરમાં ભારતે 6 વિકેટ ખોઈ હતી. બેટિંગ દરમિયાન ઈશાન કિશને 36 રન બનાવ્યા હતા જ્યારે સૂર્યકુમાર યાદવે 51 બોલમાં 111 રનની અણનમ પારી રમી હતી. સૂર્ય કુમાર યાદવે આ મેચની અંદર સદી ફટકારી હતી અને તેની પહેલાની ઈંગલેન્ડ સામેની મેચમાં પણ સદી ફટકારી હતી. 


ન્યૂઝીલેન્ડનું નબળું પ્રદર્શન 

ન્યૂઝીલેન્ડે પહેલા ફિલ્ડિંગ કરી હતી. ત્યાર બાદ ભારત સામે ન્યૂઝીલેન્ડે 126 રનની પારી રમી હતી, પરંતુ 126 રન બનાવીને ન્યૂઝીલેન્ડના તમામ પ્લેયર આઉટ થઈ ગયા હતા. જેમાં ભારતના દીપક હુડ્ડાએ ચાર વિકેટ લીધી હતી. યુઝી અને મોહમ્મદ સીરાઝે 2-2 વિકેટ ચટકાવી હતી. ન્યૂઝીલેન્ડના કેપ્ટન વિલ્યમસન્સે 52 બૉલ પર 61 રન બનાવ્યા હતા. 



ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.

બનાસકાંઠા લોકસભા બેઠક રસપ્રદ એટલા માટે રહેવાની છે કારણ કે બંને પાર્ટીએ બહેનોને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે જ્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે. એક બનાસની બેન તરીકે પ્રચાર કરી રહ્યા છે તો બીજા બનાસની દીકરી તરીકે પ્રચાર કરી રહ્યા છે.

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. અનેક દિગ્ગજ નેતાઓને ટિકીટ આપી છે. નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે અને એક કાર્યક્રમમાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિાયાન તેમણે કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી...