વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, ભારત ઉર્જા સપ્તાહની કરાઈ શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-02-06 15:46:09

બેંગલૂરૂ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ધાટન કર્યું હતું. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે આ સેક્ટરમાં અભૂતપૂર્વ સંભાવનાઓ રહેલી છે. મહામારી અને યુદ્ધથી પ્રભાવિત હોવા છતાંય 2022માં ભારત એક ચમકતો સિતારો બન્યો છે. તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ કુકિંગ સિસ્ટમ, બાયો ફ્યુલ અને અનબોટલ્ડ ડ્રેસને પણ લોંચ કર્યો હતો.

 


તુર્કીમાં બનેલી દુર્ઘટનાને કરી યાદ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈન્ડિયા એનર્જી વીક 2023ની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ તુર્કીમાં બનેલી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી. તેમણે કહ્યું કે 140 કરોડ ભારતીયોની સંવેદના તુર્કી સાથે છે. તેમણે કહ્યું કે ભારત પર વિશ્વની નજર છે. આજના સમયમાં એનર્જી મોટું ફેક્ટર છે. લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે. ભારતે દરેક પડકારોને પાર પાડ્યા છે. 

ચાર વસ્તુઓ પર વધારે ધ્યાન કરાશે કેન્દ્રીત

વધુમાં તેમણે કહ્યું કે 2030માં ઉર્જા ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ આવશે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી અમારી સરકાર ચાર મુખ્ય બિંદુઓ પર કામ કરશે.જેમાં એક વાત આત્મનિર્ભર ભારત અંતર્ગત ઘરેલુ ચીજ વસ્તુઓની ખોજને અને પ્રોડક્શન પર વધારે ધ્યાન આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહન અને હાઈડ્રોઝનના માધ્યમથી ડીકાર્બોનાઈજેશનનું કામ પણ કરવામાં આવશે.  તેમણે કહ્યું કે ભારતમાં એનર્જીની જરૂરત અને માગ વધી રહ્યા છે. આવનાર સમયમાં અનેક શહેર બનશે. એનર્જીની માગ ભારતમાં સૌથી વધારે હશે. 2030 સુધી અનર્જી મિક્સમાં નેચરલ ગેસનો ભાગ વધારવા પર ધ્યાન આપવામાં આવશે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.