વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, ભારત ઉર્જા સપ્તાહની કરાઈ શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-02-06 15:46:09

બેંગલૂરૂ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ધાટન કર્યું હતું. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે આ સેક્ટરમાં અભૂતપૂર્વ સંભાવનાઓ રહેલી છે. મહામારી અને યુદ્ધથી પ્રભાવિત હોવા છતાંય 2022માં ભારત એક ચમકતો સિતારો બન્યો છે. તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ કુકિંગ સિસ્ટમ, બાયો ફ્યુલ અને અનબોટલ્ડ ડ્રેસને પણ લોંચ કર્યો હતો.

 


તુર્કીમાં બનેલી દુર્ઘટનાને કરી યાદ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈન્ડિયા એનર્જી વીક 2023ની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ તુર્કીમાં બનેલી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી. તેમણે કહ્યું કે 140 કરોડ ભારતીયોની સંવેદના તુર્કી સાથે છે. તેમણે કહ્યું કે ભારત પર વિશ્વની નજર છે. આજના સમયમાં એનર્જી મોટું ફેક્ટર છે. લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે. ભારતે દરેક પડકારોને પાર પાડ્યા છે. 

ચાર વસ્તુઓ પર વધારે ધ્યાન કરાશે કેન્દ્રીત

વધુમાં તેમણે કહ્યું કે 2030માં ઉર્જા ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ આવશે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી અમારી સરકાર ચાર મુખ્ય બિંદુઓ પર કામ કરશે.જેમાં એક વાત આત્મનિર્ભર ભારત અંતર્ગત ઘરેલુ ચીજ વસ્તુઓની ખોજને અને પ્રોડક્શન પર વધારે ધ્યાન આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહન અને હાઈડ્રોઝનના માધ્યમથી ડીકાર્બોનાઈજેશનનું કામ પણ કરવામાં આવશે.  તેમણે કહ્યું કે ભારતમાં એનર્જીની જરૂરત અને માગ વધી રહ્યા છે. આવનાર સમયમાં અનેક શહેર બનશે. એનર્જીની માગ ભારતમાં સૌથી વધારે હશે. 2030 સુધી અનર્જી મિક્સમાં નેચરલ ગેસનો ભાગ વધારવા પર ધ્યાન આપવામાં આવશે.   




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.