વડાપ્રધાન મોદી કર્ણાટકના પ્રવાસે, ભારત ઉર્જા સપ્તાહની કરાઈ શરૂઆત


  • Published By :
  • Published Date : 2023-02-06 15:46:09

બેંગલૂરૂ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા એનર્જી વીક 2023નું ઉદ્ધાટન કર્યું હતું. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યું કે આ સેક્ટરમાં અભૂતપૂર્વ સંભાવનાઓ રહેલી છે. મહામારી અને યુદ્ધથી પ્રભાવિત હોવા છતાંય 2022માં ભારત એક ચમકતો સિતારો બન્યો છે. તે ઉપરાંત વડાપ્રધાન મોદીએ કુકિંગ સિસ્ટમ, બાયો ફ્યુલ અને અનબોટલ્ડ ડ્રેસને પણ લોંચ કર્યો હતો.

 


તુર્કીમાં બનેલી દુર્ઘટનાને કરી યાદ 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈન્ડિયા એનર્જી વીક 2023ની શરૂઆત થઈ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. પોતાના ભાષણ દરમિયાન પીએમ મોદીએ તુર્કીમાં બનેલી દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. ઉપરાંત મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી. તેમણે કહ્યું કે 140 કરોડ ભારતીયોની સંવેદના તુર્કી સાથે છે. તેમણે કહ્યું કે ભારત પર વિશ્વની નજર છે. આજના સમયમાં એનર્જી મોટું ફેક્ટર છે. લોકોના જીવનમાં બદલાવ આવી રહ્યો છે. ભારતે દરેક પડકારોને પાર પાડ્યા છે. 

ચાર વસ્તુઓ પર વધારે ધ્યાન કરાશે કેન્દ્રીત

વધુમાં તેમણે કહ્યું કે 2030માં ઉર્જા ક્ષેત્રે ભારતમાં ક્રાંતિ આવશે. આ મુદ્દાને ધ્યાનમાં રાખી અમારી સરકાર ચાર મુખ્ય બિંદુઓ પર કામ કરશે.જેમાં એક વાત આત્મનિર્ભર ભારત અંતર્ગત ઘરેલુ ચીજ વસ્તુઓની ખોજને અને પ્રોડક્શન પર વધારે ધ્યાન આપવામાં આવશે. ઈલેક્ટ્રિક વાહન અને હાઈડ્રોઝનના માધ્યમથી ડીકાર્બોનાઈજેશનનું કામ પણ કરવામાં આવશે.  તેમણે કહ્યું કે ભારતમાં એનર્જીની જરૂરત અને માગ વધી રહ્યા છે. આવનાર સમયમાં અનેક શહેર બનશે. એનર્જીની માગ ભારતમાં સૌથી વધારે હશે. 2030 સુધી અનર્જી મિક્સમાં નેચરલ ગેસનો ભાગ વધારવા પર ધ્યાન આપવામાં આવશે.   




રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.