India vs England: ભારત T20 વિશ્વ કપમાંથી બહાર, ઈંગ્લેન્ડએ 10 વિકેટથી ધોઈ નાખ્યું


  • Published By :
  • Published Date : 2022-11-10 17:15:49

ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ભારતને 10 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે 13 નવેમ્બરે ફાઇનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ભારતે આપેલા 169 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે 16 ઓવરમાં 170 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.


ભારતે ઈંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો


ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોહલીએ 40 બોલમાં 50 રન બનાવ્યા તો હાર્દિકે માત્ર 33 બોલમાં 63 રન બનાવ્યા. ઈનિંગના છેલ્લા બોલ પર હાર્દિકને હિટ વિકેટ મળી નહીંતર સ્કોર વધુ વધી શક્યો હોત. હાર્દિકે પોતાની ઈનિંગમાં 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી જ્યારે કોહલીએ 50 રનની ઈનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ લીધી હતી જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદે 1 વિકેટ લીધી હતી.આ પહેલા ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


ભારત (પ્લેઇંગ ઇલેવન)


કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટ કીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ


ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન)


જોસ બટલર (w/c), એલેક્સ હેલ્સ, ફિલિપ સાલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરેન, ક્રિસ જોર્ડન, ક્રિસ વોક્સ, આદિલ રાશીદ



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.