India vs England: ભારત T20 વિશ્વ કપમાંથી બહાર, ઈંગ્લેન્ડએ 10 વિકેટથી ધોઈ નાખ્યું


  • Published By :
  • Published Date : 2022-11-10 17:15:49

ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ભારતને 10 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે 13 નવેમ્બરે ફાઇનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ભારતે આપેલા 169 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે 16 ઓવરમાં 170 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.


ભારતે ઈંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો


ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોહલીએ 40 બોલમાં 50 રન બનાવ્યા તો હાર્દિકે માત્ર 33 બોલમાં 63 રન બનાવ્યા. ઈનિંગના છેલ્લા બોલ પર હાર્દિકને હિટ વિકેટ મળી નહીંતર સ્કોર વધુ વધી શક્યો હોત. હાર્દિકે પોતાની ઈનિંગમાં 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી જ્યારે કોહલીએ 50 રનની ઈનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ લીધી હતી જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદે 1 વિકેટ લીધી હતી.આ પહેલા ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


ભારત (પ્લેઇંગ ઇલેવન)


કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટ કીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ


ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન)


જોસ બટલર (w/c), એલેક્સ હેલ્સ, ફિલિપ સાલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરેન, ક્રિસ જોર્ડન, ક્રિસ વોક્સ, આદિલ રાશીદ



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.