India vs England: ભારત T20 વિશ્વ કપમાંથી બહાર, ઈંગ્લેન્ડએ 10 વિકેટથી ધોઈ નાખ્યું


  • Published By :
  • Published Date : 2022-11-10 17:15:49

ઈંગ્લેન્ડે સેમિફાઈનલમાં ભારતને 10 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. હવે 13 નવેમ્બરે ફાઇનલમાં ઇંગ્લેન્ડનો મુકાબલો પાકિસ્તાન સાથે થશે. ભારતે આપેલા 169 રનના ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે 16 ઓવરમાં 170 રન બનાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.


ભારતે ઈંગ્લેન્ડને 169 રનનો ટાર્ગેટ આપ્યો


ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 168 રન બનાવ્યા હતા. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલીએ અડધી સદી ફટકારી હતી. ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો છે. કોહલીએ 40 બોલમાં 50 રન બનાવ્યા તો હાર્દિકે માત્ર 33 બોલમાં 63 રન બનાવ્યા. ઈનિંગના છેલ્લા બોલ પર હાર્દિકને હિટ વિકેટ મળી નહીંતર સ્કોર વધુ વધી શક્યો હોત. હાર્દિકે પોતાની ઈનિંગમાં 4 ફોર અને 5 સિક્સર ફટકારી હતી જ્યારે કોહલીએ 50 રનની ઈનિંગમાં 4 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 3 વિકેટ લીધી હતી જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદે 1 વિકેટ લીધી હતી.આ પહેલા ઈંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.


ભારત (પ્લેઇંગ ઇલેવન)


કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, ઋષભ પંત (વિકેટ કીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ


ઈંગ્લેન્ડ (પ્લેઈંગ ઈલેવન)


જોસ બટલર (w/c), એલેક્સ હેલ્સ, ફિલિપ સાલ્ટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, મોઈન અલી, સેમ કુરેન, ક્રિસ જોર્ડન, ક્રિસ વોક્સ, આદિલ રાશીદ



ભારતમાં અમેરિકાના એમ્બેસેડર સર્જિયો ગોરે પ્લેટફોર્મ એક્સ પર ઈન્ટરનેશલ ક્રિકેટ કાઉન્સિલ અને તેના ચેરમેન જય શાહનો આભાર માન્યો છે. અમેરિકન એમ્બેસેડર સર્જીયો ગોર દ્વારા થોડાક સમય અગાઉ , મુંબઈમાં વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને અમેરિકા વચ્ચે જે ICC T20 વર્લ્ડ કપની મેચ રમાઈ તેમાં હાજરી આપવામાં આવી હતી. સર્જિયો ગોર દ્વારા એ વાતની નોંધ પણ લેવામાં આવી છે કે , અમેરિકામાં ક્રિકેટનું ભવિષ્ય ખુબ ઉજળું છે.

આપણા પાડોશી દેશ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ખુબ ભયંકર વિસ્ફોટ થયો છે. ઇસ્લામાબાદના તલઈ વિસ્તારના ઇમામબાડામાં આ ભીષણ બૉમ્બ બ્લાસ્ટ થયા છે. આ હુમલામાં ઓછામાં ઓછા ૨૫ લોકોના જીવ ગુમાવ્યાના અને ૧૦૦થી વધારે લોકોના ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે. આજે જુમ્માની નમાજ દરમ્યાન આ શિયા મસ્જિદ પર ફિદાયીન હુમલો કરવામાં આવ્યો હતો.

મહીસાગર જિલ્લામાં થોડાક સમય પહેલા , આદિવાસી સમાજના એક યુવકને મહિલા PSI દ્વારા કારમાં સીટ બેલ્ટ નહિ પહેરવા જેવી સામાન્ય બાબતે માર મારવાના ગંભીર આક્ષેપો થયા હતા .આ સમગ્ર મામલે, મહીસાગરના ASP વિકાસ યાદવની પ્રતિક્રિયા સામે આવી છે

ચોટીલાના ડેપ્યુટી કલેકટર એચ ટી મકવાણા દ્વારા થોડાક સમય પહેલા , યાત્રાધામ ચોટીલા ખાતે ખુબ મોટી સંખ્યામાં દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ દબાણ હટાવવાની કામગીરી પાછળથી વિવાદોમાં આવી છે. કેમ કે , ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ સમગ્ર કામગીરી દરમ્યાન ઇન્ચાર્જ મામલતદારની ઝાટકણી કાઢવામાં આવી છે. તો બીજી તરફ , મહંત પરિવાર અને સ્થાનિક જનતા દ્વારા તંત્ર પર '' વાલા- દવલાં"ની નીતિ અને પક્ષપાતના આક્ષેપો લગાડવામાં આવ્યા છે.