વિમાનમાં સાપ નિકળતા મુસાફરોના જીવ પડીકે બંધાયા, કેરલાથી દુબઈ જતી ફ્લાઇટમાં બની ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-11 14:49:34

ગાડી, બસ કે ટ્રેનમાં સાપ આવી ચડે તે સમાચાર તો ઘણીવાર સાંભળ્યા અને અખબારોમાં વાંચ્યા હશે, પણ હવામાં ઉડતા વિમાનમાં સાપ જોવા મળે તેનું ભાગ્યે જ જોવા મળે છે. જો આવી સ્થિતી સર્જાય તો મુસાફરોની શું હાલત થાય તે સમજી શકાય  છે. કેરળના કાલિકટથી દુબઈ જતી સસ્તી હવાઈ સેવા આપતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સાપ નીકળવાની ઘટના બહાર આવી છે. દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો. પ્લેનમાં સાપને જોયા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 


DGCAએ તપાસનો આદેશ આપ્યો 


પ્લેનના કાર્ગોમાંથી સાપ મળ્યાની ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. DGCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ VT-AXW ફ્લાઈટ IX-343નું સંચાલન કરી રહ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન થયું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે એર ઈન્ડિયા એક્સપ્રેસ હાલમાં 34 સ્થળોની હવાઈ મુસાફરી ઓફર કરે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસનું એર એશિયા ઈન્ડિયા સાથે મર્જ થઈ રહી છે. એર ઈન્ડિયાના નવા માલિક ટાટા ગ્રુપ તેના તમામ એરલાઈન્સ બિઝનેસને એક સાથે લાવવા માંગે છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે