વિમાનમાં સાપ નિકળતા મુસાફરોના જીવ પડીકે બંધાયા, કેરલાથી દુબઈ જતી ફ્લાઇટમાં બની ઘટના


  • Published By :
  • Published Date : 2022-12-11 14:49:34

ગાડી, બસ કે ટ્રેનમાં સાપ આવી ચડે તે સમાચાર તો ઘણીવાર સાંભળ્યા અને અખબારોમાં વાંચ્યા હશે, પણ હવામાં ઉડતા વિમાનમાં સાપ જોવા મળે તેનું ભાગ્યે જ જોવા મળે છે. જો આવી સ્થિતી સર્જાય તો મુસાફરોની શું હાલત થાય તે સમજી શકાય  છે. કેરળના કાલિકટથી દુબઈ જતી સસ્તી હવાઈ સેવા આપતી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં સાપ નીકળવાની ઘટના બહાર આવી છે. દુબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટના કાર્ગો હોલ્ડમાં એક સાપ જોવા મળ્યો હતો. પ્લેનમાં સાપને જોયા બાદ એર ઈન્ડિયા એક્સપ્રેસના મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. 


DGCAએ તપાસનો આદેશ આપ્યો 


પ્લેનના કાર્ગોમાંથી સાપ મળ્યાની ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. DGCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, એર ઈન્ડિયા એક્સપ્રેસ B737-800 એરક્રાફ્ટ VT-AXW ફ્લાઈટ IX-343નું સંચાલન કરી રહ્યું હતું. જોકે, આ ઘટનામાં કોઈ મુસાફરોને નુકસાન થયું નથી. અત્રે ઉલ્લેખનિય છે કે એર ઈન્ડિયા એક્સપ્રેસ હાલમાં 34 સ્થળોની હવાઈ મુસાફરી ઓફર કરે છે. એર ઈન્ડિયા એક્સપ્રેસનું એર એશિયા ઈન્ડિયા સાથે મર્જ થઈ રહી છે. એર ઈન્ડિયાના નવા માલિક ટાટા ગ્રુપ તેના તમામ એરલાઈન્સ બિઝનેસને એક સાથે લાવવા માંગે છે. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.