ચીનની સરહદ પરની કૂટનીતિનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:18:54

ચીન બે વર્ષથી લદ્દાખના અનેક વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કર્યા બાદ પણ દુનિયાને દેખાડી રહ્યું છે કે ભારત સાથે સરહદ પર બધુ ઠીક છે. ફરીવાર ચીને નિવેદન આપ્યું છે કે ચીન અને ભારતની લદ્ધાખની સરહદ પર બધુ ઠીક છે. જો કે ભારતે પણ ચીનના નિવેદન પર જવાબ આપતા કહ્યું છે કે સરહદ પર પરિસ્થિતિ ઠીક નથી. 


ચીને શું નિવેદન આપ્યું હતું?

ચીન ઈચ્છે છે કે ભારતીય સીમા પરની તેમના ષડયંત્રને દુનિયા સામે જગજાહેર ના થાય. ચીન ઈચ્છે છે કે ભારત સીમા વિવાદને એટલું મહત્વ ના દેય કે જેથી વેપારના સંબંધો પર અસર પડે. આથી ચીને નિવેદન આપ્યું હતું કે ભારત સાથેના લદ્ધાખ સરહદ પર બધુ ઠીક છે. 


ભારતે ચીનને અરીસો બતાવ્યો 

ભારતના વિદેશ મંત્રીના પ્રવક્તાએ સમગ્ર બાબતે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સામાન્ય થાય તેના માટે હજુ ઘણા પગલા ભરવાના બાકી છે. હજુ ઘણા પ્રકારના સકારાત્મક પગલા ભરવાના બાકી છે જેથી પરિસ્થિતિ સામાન્ય થાય.   




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .