ચીનની સરહદ પરની કૂટનીતિનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:18:54

ચીન બે વર્ષથી લદ્દાખના અનેક વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કર્યા બાદ પણ દુનિયાને દેખાડી રહ્યું છે કે ભારત સાથે સરહદ પર બધુ ઠીક છે. ફરીવાર ચીને નિવેદન આપ્યું છે કે ચીન અને ભારતની લદ્ધાખની સરહદ પર બધુ ઠીક છે. જો કે ભારતે પણ ચીનના નિવેદન પર જવાબ આપતા કહ્યું છે કે સરહદ પર પરિસ્થિતિ ઠીક નથી. 


ચીને શું નિવેદન આપ્યું હતું?

ચીન ઈચ્છે છે કે ભારતીય સીમા પરની તેમના ષડયંત્રને દુનિયા સામે જગજાહેર ના થાય. ચીન ઈચ્છે છે કે ભારત સીમા વિવાદને એટલું મહત્વ ના દેય કે જેથી વેપારના સંબંધો પર અસર પડે. આથી ચીને નિવેદન આપ્યું હતું કે ભારત સાથેના લદ્ધાખ સરહદ પર બધુ ઠીક છે. 


ભારતે ચીનને અરીસો બતાવ્યો 

ભારતના વિદેશ મંત્રીના પ્રવક્તાએ સમગ્ર બાબતે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સામાન્ય થાય તેના માટે હજુ ઘણા પગલા ભરવાના બાકી છે. હજુ ઘણા પ્રકારના સકારાત્મક પગલા ભરવાના બાકી છે જેથી પરિસ્થિતિ સામાન્ય થાય.   




૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.