ચીનની સરહદ પરની કૂટનીતિનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-08 13:18:54

ચીન બે વર્ષથી લદ્દાખના અનેક વિસ્તારમાં સૈન્ય કાર્યવાહી કર્યા બાદ પણ દુનિયાને દેખાડી રહ્યું છે કે ભારત સાથે સરહદ પર બધુ ઠીક છે. ફરીવાર ચીને નિવેદન આપ્યું છે કે ચીન અને ભારતની લદ્ધાખની સરહદ પર બધુ ઠીક છે. જો કે ભારતે પણ ચીનના નિવેદન પર જવાબ આપતા કહ્યું છે કે સરહદ પર પરિસ્થિતિ ઠીક નથી. 


ચીને શું નિવેદન આપ્યું હતું?

ચીન ઈચ્છે છે કે ભારતીય સીમા પરની તેમના ષડયંત્રને દુનિયા સામે જગજાહેર ના થાય. ચીન ઈચ્છે છે કે ભારત સીમા વિવાદને એટલું મહત્વ ના દેય કે જેથી વેપારના સંબંધો પર અસર પડે. આથી ચીને નિવેદન આપ્યું હતું કે ભારત સાથેના લદ્ધાખ સરહદ પર બધુ ઠીક છે. 


ભારતે ચીનને અરીસો બતાવ્યો 

ભારતના વિદેશ મંત્રીના પ્રવક્તાએ સમગ્ર બાબતે જણાવ્યું હતું કે, પરિસ્થિતિ સામાન્ય થાય તેના માટે હજુ ઘણા પગલા ભરવાના બાકી છે. હજુ ઘણા પ્રકારના સકારાત્મક પગલા ભરવાના બાકી છે જેથી પરિસ્થિતિ સામાન્ય થાય.   




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.