રઘુરામ રાજન ભારતીય અર્થતંત્ર અંગે ચિંતિંત, કહ્યું 'હિંદુ ગ્રોથ રેટ' એક ભયજનક બાબત


  • Published By :
  • Published Date : 2023-03-06 17:34:12

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને હિંદુ વૃદ્ધિ દરને લઈને ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું છે કે નબળા ખાનગી ક્ષેત્રના રોકાણ, ઊંચા વ્યાજ દરો અને ધીમા વૈશ્વિક વિકાસ દરને કારણે ભારત ખતરનાક રીતે હિંદુ વૃદ્ધિ દરની નજીક છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય અર્થતંત્રને લઈ ચિંતા વ્યક્ત કરી છે.   


5 ટકાની વૃધ્ધી પણ ખુશનસીબી


પૂર્વ આરબીઆઈ ગવર્નરને આગામી નાણાકિય વર્ષ (2023-24)માં ભારતની વૃધ્ધી દર અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં રાજને કહ્યું કે  5 ટકાની વૃધ્ધી પણ મેળવી શકીએ તો આપણી ખુશનસીબી હશે. ઓક્ટોબર- ડિસેમ્બરના જીડીપી આંકડા બતાવે છે કે પહેલા છમાસિકમાં વૃધ્ધી નબળી રહેશે. તેમણે કહ્યું કે મારી આશંકા અકારણ નથી. આરબીઆઈએ ચાલુ નાણાકિય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં વધુ ઘટાડો એટલે કે 4.2 ટકાના વૃધ્ધી દરનું અનુમાન વ્યક્ત કર્યું છે.


સર્વિસ ક્ષેત્ર ચમકતું સેક્ટર


રઘુરામ રાજને કહ્યું કે આ સમયે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકની સરેરાશ વાર્ષિક 3 વર્ષ પહેલાની તુલનામાં 3.7 ટકા છે. આ જુની હિંદુ વૃધ્ધી દરની ખુબ જ જ નજીક છે. આ બાબત જ ભયભીત કરનારી છે, આપણે તેને સુધારવી પડશે. જો કે તે માનવું કે સરકાર માળખાગત મૂડીરોકાણના મારચે કામ કરી રહી છે પરંતું તે તે રોકાણની અસર જોવાનું હજી બાકી છે. તેમણે સર્વિસ સેક્ટરના પ્રદર્શનને ચમકતું સેક્ટર ગણાવ્યું હતું  જો કે તેમાં સરકારની કોઈ જ ખાસ ભૂમિકા નથી.


હિંદુ ગ્રોથ રેટ શું છે?


'હિન્દુ રેટ ઓફ ગ્રોથ' એ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેનો સંબંધ કોઈ ધર્મ સાથે નથી. આ શબ્દનો ઉપયોગ વારંવાર આર્થિક મંચોમાં થાય છે. હિંદુ ગ્રોથ રેટ શબ્દાવલીનો ઉપયોગ સૌપ્રથમ 1978માં ભારતીય અર્થશાસ્રી રાજ કૃષ્ણએ કર્યો હતો. ભારતીય અર્થતંત્રનો વૃધ્ધી દર 1950થી લઈને 1980 સુધી 4 ટકાના સૌથી નીચા સ્તરે રહી હતી, જેને હિંદુ રેટ ઓફ ગ્રોથ પણ કહેવામાં આવે છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.