રઘુરામ રાજન ભારતીય અર્થતંત્ર અંગે ચિંતિંત, કહ્યું 'હિંદુ ગ્રોથ રેટ' એક ભયજનક બાબત


  • Published By :
  • Published Date : 2023-03-06 17:34:12

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને હિંદુ વૃદ્ધિ દરને લઈને ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું છે કે નબળા ખાનગી ક્ષેત્રના રોકાણ, ઊંચા વ્યાજ દરો અને ધીમા વૈશ્વિક વિકાસ દરને કારણે ભારત ખતરનાક રીતે હિંદુ વૃદ્ધિ દરની નજીક છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય અર્થતંત્રને લઈ ચિંતા વ્યક્ત કરી છે.   


5 ટકાની વૃધ્ધી પણ ખુશનસીબી


પૂર્વ આરબીઆઈ ગવર્નરને આગામી નાણાકિય વર્ષ (2023-24)માં ભારતની વૃધ્ધી દર અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં રાજને કહ્યું કે  5 ટકાની વૃધ્ધી પણ મેળવી શકીએ તો આપણી ખુશનસીબી હશે. ઓક્ટોબર- ડિસેમ્બરના જીડીપી આંકડા બતાવે છે કે પહેલા છમાસિકમાં વૃધ્ધી નબળી રહેશે. તેમણે કહ્યું કે મારી આશંકા અકારણ નથી. આરબીઆઈએ ચાલુ નાણાકિય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં વધુ ઘટાડો એટલે કે 4.2 ટકાના વૃધ્ધી દરનું અનુમાન વ્યક્ત કર્યું છે.


સર્વિસ ક્ષેત્ર ચમકતું સેક્ટર


રઘુરામ રાજને કહ્યું કે આ સમયે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકની સરેરાશ વાર્ષિક 3 વર્ષ પહેલાની તુલનામાં 3.7 ટકા છે. આ જુની હિંદુ વૃધ્ધી દરની ખુબ જ જ નજીક છે. આ બાબત જ ભયભીત કરનારી છે, આપણે તેને સુધારવી પડશે. જો કે તે માનવું કે સરકાર માળખાગત મૂડીરોકાણના મારચે કામ કરી રહી છે પરંતું તે તે રોકાણની અસર જોવાનું હજી બાકી છે. તેમણે સર્વિસ સેક્ટરના પ્રદર્શનને ચમકતું સેક્ટર ગણાવ્યું હતું  જો કે તેમાં સરકારની કોઈ જ ખાસ ભૂમિકા નથી.


હિંદુ ગ્રોથ રેટ શું છે?


'હિન્દુ રેટ ઓફ ગ્રોથ' એ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેનો સંબંધ કોઈ ધર્મ સાથે નથી. આ શબ્દનો ઉપયોગ વારંવાર આર્થિક મંચોમાં થાય છે. હિંદુ ગ્રોથ રેટ શબ્દાવલીનો ઉપયોગ સૌપ્રથમ 1978માં ભારતીય અર્થશાસ્રી રાજ કૃષ્ણએ કર્યો હતો. ભારતીય અર્થતંત્રનો વૃધ્ધી દર 1950થી લઈને 1980 સુધી 4 ટકાના સૌથી નીચા સ્તરે રહી હતી, જેને હિંદુ રેટ ઓફ ગ્રોથ પણ કહેવામાં આવે છે.



રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.

અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.