રઘુરામ રાજન ભારતીય અર્થતંત્ર અંગે ચિંતિંત, કહ્યું 'હિંદુ ગ્રોથ રેટ' એક ભયજનક બાબત


  • Published By :
  • Published Date : 2023-03-06 17:34:12

ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર અને અર્થશાસ્ત્રી રઘુરામ રાજને હિંદુ વૃદ્ધિ દરને લઈને ચેતવણી જારી કરી છે. તેમણે કહ્યું છે કે નબળા ખાનગી ક્ષેત્રના રોકાણ, ઊંચા વ્યાજ દરો અને ધીમા વૈશ્વિક વિકાસ દરને કારણે ભારત ખતરનાક રીતે હિંદુ વૃદ્ધિ દરની નજીક છે. ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતીય અર્થતંત્રને લઈ ચિંતા વ્યક્ત કરી છે.   


5 ટકાની વૃધ્ધી પણ ખુશનસીબી


પૂર્વ આરબીઆઈ ગવર્નરને આગામી નાણાકિય વર્ષ (2023-24)માં ભારતની વૃધ્ધી દર અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં રાજને કહ્યું કે  5 ટકાની વૃધ્ધી પણ મેળવી શકીએ તો આપણી ખુશનસીબી હશે. ઓક્ટોબર- ડિસેમ્બરના જીડીપી આંકડા બતાવે છે કે પહેલા છમાસિકમાં વૃધ્ધી નબળી રહેશે. તેમણે કહ્યું કે મારી આશંકા અકારણ નથી. આરબીઆઈએ ચાલુ નાણાકિય વર્ષના છેલ્લા ત્રિમાસિકમાં વધુ ઘટાડો એટલે કે 4.2 ટકાના વૃધ્ધી દરનું અનુમાન વ્યક્ત કર્યું છે.


સર્વિસ ક્ષેત્ર ચમકતું સેક્ટર


રઘુરામ રાજને કહ્યું કે આ સમયે ઓક્ટોબર-ડિસેમ્બર ત્રિમાસિકની સરેરાશ વાર્ષિક 3 વર્ષ પહેલાની તુલનામાં 3.7 ટકા છે. આ જુની હિંદુ વૃધ્ધી દરની ખુબ જ જ નજીક છે. આ બાબત જ ભયભીત કરનારી છે, આપણે તેને સુધારવી પડશે. જો કે તે માનવું કે સરકાર માળખાગત મૂડીરોકાણના મારચે કામ કરી રહી છે પરંતું તે તે રોકાણની અસર જોવાનું હજી બાકી છે. તેમણે સર્વિસ સેક્ટરના પ્રદર્શનને ચમકતું સેક્ટર ગણાવ્યું હતું  જો કે તેમાં સરકારની કોઈ જ ખાસ ભૂમિકા નથી.


હિંદુ ગ્રોથ રેટ શું છે?


'હિન્દુ રેટ ઓફ ગ્રોથ' એ અર્થશાસ્ત્રનો સિદ્ધાંત છે. તેનો સંબંધ કોઈ ધર્મ સાથે નથી. આ શબ્દનો ઉપયોગ વારંવાર આર્થિક મંચોમાં થાય છે. હિંદુ ગ્રોથ રેટ શબ્દાવલીનો ઉપયોગ સૌપ્રથમ 1978માં ભારતીય અર્થશાસ્રી રાજ કૃષ્ણએ કર્યો હતો. ભારતીય અર્થતંત્રનો વૃધ્ધી દર 1950થી લઈને 1980 સુધી 4 ટકાના સૌથી નીચા સ્તરે રહી હતી, જેને હિંદુ રેટ ઓફ ગ્રોથ પણ કહેવામાં આવે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.