ભારતીય મૂળના લોકોએ વર્ષ 2022માં વિદેશથી 100 અબજ ડોલર સ્વદેશ મોકલ્યા


  • Published By :
  • Published Date : 2023-01-10 17:24:42

ભારતમાં વિદેશી હુંડિયામણનો સૌથી મોટો સ્ત્રોત ભારતીય મૂળના લોકો છે. અમેરિકા, કેનેડા,બ્રિટન, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, ઓમાન, સહિતના દેશોમાં રોજગારી માટે જતા ભારતના લોકો દર વર્ષે તેમની મહેતનની રકમ ભારત મોકલે છે. વર્ષ 2022માં જ ભારતીય મૂળના લોકોએ 100 અબજ ડોલર ભારત મોકલ્યા છે. 


નિર્મલા સિતારમણે આપી જાણકારી


કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું કે વર્ષ 2022ના દરમિયાન ભારતીયમૂળના લોકોએ લગભગ 100 અબજ ડોલર ભારત મોકલ્યા છે. આ રકમ ગત વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે. સીતારમણે ઈંદોરમાં આયોજીત પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના એક સત્ર દરમિયાન આ માહિતી આપી છે. તેમણે વધુ માહિતી આપી હતી કે કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ 2022 દરમિયાન ભારતીય મૂળના લોકોએ વિદેશમાંથી લગભગ 100 અબજ ડોલર મોકલ્યા છે જે 2021ની તુલનામાં 12 ટકા છે. તેમણે જણાવ્યું કે નિષ્ણાતો માનતા હતા કે કોરોનાના કારણે ભારતીય મૂળના લોકો વિદેશમાં રોજગારી માટે નહીં જાય જો કે અગાઉની તુલનામાં વધુ લોકો વિદેશ પહોંચ્યા છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.