ભારતીય મૂળના લોકોએ વર્ષ 2022માં વિદેશથી 100 અબજ ડોલર સ્વદેશ મોકલ્યા


  • Published By :
  • Published Date : 2023-01-10 17:24:42

ભારતમાં વિદેશી હુંડિયામણનો સૌથી મોટો સ્ત્રોત ભારતીય મૂળના લોકો છે. અમેરિકા, કેનેડા,બ્રિટન, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, ઓમાન, સહિતના દેશોમાં રોજગારી માટે જતા ભારતના લોકો દર વર્ષે તેમની મહેતનની રકમ ભારત મોકલે છે. વર્ષ 2022માં જ ભારતીય મૂળના લોકોએ 100 અબજ ડોલર ભારત મોકલ્યા છે. 


નિર્મલા સિતારમણે આપી જાણકારી


કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું કે વર્ષ 2022ના દરમિયાન ભારતીયમૂળના લોકોએ લગભગ 100 અબજ ડોલર ભારત મોકલ્યા છે. આ રકમ ગત વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે. સીતારમણે ઈંદોરમાં આયોજીત પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના એક સત્ર દરમિયાન આ માહિતી આપી છે. તેમણે વધુ માહિતી આપી હતી કે કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ 2022 દરમિયાન ભારતીય મૂળના લોકોએ વિદેશમાંથી લગભગ 100 અબજ ડોલર મોકલ્યા છે જે 2021ની તુલનામાં 12 ટકા છે. તેમણે જણાવ્યું કે નિષ્ણાતો માનતા હતા કે કોરોનાના કારણે ભારતીય મૂળના લોકો વિદેશમાં રોજગારી માટે નહીં જાય જો કે અગાઉની તુલનામાં વધુ લોકો વિદેશ પહોંચ્યા છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.