ભારતીય મૂળના લોકોએ વર્ષ 2022માં વિદેશથી 100 અબજ ડોલર સ્વદેશ મોકલ્યા


  • Published By :
  • Published Date : 2023-01-10 17:24:42

ભારતમાં વિદેશી હુંડિયામણનો સૌથી મોટો સ્ત્રોત ભારતીય મૂળના લોકો છે. અમેરિકા, કેનેડા,બ્રિટન, ઓસ્ટ્રેલિયા, યુરોપિયન યુનિયન, સાઉદી અરેબિયા, યુએઈ, કુવૈત, ઓમાન, સહિતના દેશોમાં રોજગારી માટે જતા ભારતના લોકો દર વર્ષે તેમની મહેતનની રકમ ભારત મોકલે છે. વર્ષ 2022માં જ ભારતીય મૂળના લોકોએ 100 અબજ ડોલર ભારત મોકલ્યા છે. 


નિર્મલા સિતારમણે આપી જાણકારી


કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું કે વર્ષ 2022ના દરમિયાન ભારતીયમૂળના લોકોએ લગભગ 100 અબજ ડોલર ભારત મોકલ્યા છે. આ રકમ ગત વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે. સીતારમણે ઈંદોરમાં આયોજીત પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના એક સત્ર દરમિયાન આ માહિતી આપી છે. તેમણે વધુ માહિતી આપી હતી કે કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ 2022 દરમિયાન ભારતીય મૂળના લોકોએ વિદેશમાંથી લગભગ 100 અબજ ડોલર મોકલ્યા છે જે 2021ની તુલનામાં 12 ટકા છે. તેમણે જણાવ્યું કે નિષ્ણાતો માનતા હતા કે કોરોનાના કારણે ભારતીય મૂળના લોકો વિદેશમાં રોજગારી માટે નહીં જાય જો કે અગાઉની તુલનામાં વધુ લોકો વિદેશ પહોંચ્યા છે.



ગુજરાતમાં સાતમી તારીખે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું.. ક્યાંથી પણ ઘર્ષણના દ્રશ્યો સામે ના આવ્યા... ગુજરાતીઓને છાજે એવી રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ.. પરંતુ ગઈકાલે સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો જેને કારણે અનેક સવાલો ઉભા થયા..

સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે શૂન્ય પાલનપુરીની રચના જેમાં તે નાતની, જાતની વાત કરે છે. અનેક લોકો આજના જમાનામાં એવા હોય છે જે નાત, જાતને કારણે લોકો સાથે ભેદભાવ કરતા હોય છે.

પરષોત્તમ રૂપાલાના નિવેદનને કારણે ગુજરાતની રાજનીતિ ગરમાઈ હતી. ક્ષત્રિય સમાજે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની જાહેરાત કરી હતી. ત્યારે આણંદના સમીકરણોની વાત કરીએ તો અહીંયા મોટા પ્રમાણમાં ક્ષત્રિય સમાજના મતદાતાઓ છે.

ભાજપના કેન્ડીડેટ સામે ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી નોંધાવી હતી. 182 મતમાંથી 180 મત પડ્યા હતા જેમાં જયેશ રાદડિયાને 114 મત મળ્યા છે..