પાકિસ્તાનની જેલમાં કેટલા ભારતીયો કેદ છે? શાહબાઝ સરકારે ભારતને સોંપ્યું કેદીઓનું લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-07-02 13:21:49

પાકિસ્તાને શનિવારે દ્વિપક્ષીય કરાર હેઠળ અહીં ભારતીય હાઈ કમિશનને તેની જેલોમાં બંધ 42 નાગરિકો અને 266 માછીમારો સહિત કુલ 308 ભારતીય કેદીઓની યાદી સોંપી છે. વિદેશ કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું બંને દેશો વચ્ચે કોન્સ્યુલર એક્સેસ પર 2008ના કરારની જોગવાઈઓને અનુરૂપ છે. રાજદ્વારી ઍક્સેસનો અર્થ એ છે કે દેશમાં વિદેશી નાગરિકને તેના દેશના દૂતાવાસ અધિકારીઓનો સંપર્ક કરવાનો અધિકાર છે.


પાકિસ્તાનની જેલમાં 308 ભારતીય કેદીઓ


વિદેશ કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કે "પાકિસ્તાન સરકારે શનિવારે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને પાકિસ્તાનની જેલોમાં બંધ 308 ભારતીય કેદીઓની યાદી સોંપી છે," ભારત સરકારે પણ ભારતીય જેલમાં બંધ પાકિસ્તાની કેદીઓની યાદી નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને સોંપી છે.” બંને દેશોએ એકબીજાના દેશમાં બંધ કેદીઓની યાદી શેર કરવા માટે કરાર કર્યો છે. તે અંતર્ગત ભારત અને પાકિસ્તાન એકબીજાને માહિતી આપે છે.


ભારતની જેલોમાં 417 પાકિસ્તાની કેદીઓ કેદ 


આ યાદી અનુસાર, ભારતની જેલોમાં 417 પાકિસ્તાની કેદીઓ છે, જેમાંથી 343 નાગરિકો અને 74 માછીમારો છે. ઈસ્લામાબાદે ભારત સરકારને પાકિસ્તાનના સજા પૂરી ચુકેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરવા અને તેમને સોંપવા માટે વિનંતી કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ભારતે પણ પાકિસ્તાનને વિનંતી કરી છે કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિકો અને માછીમારોની મુક્તિ સુધી  તેઓ તેમની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.