પાકિસ્તાનની જેલમાં કેટલા ભારતીયો કેદ છે? શાહબાઝ સરકારે ભારતને સોંપ્યું કેદીઓનું લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-07-02 13:21:49

પાકિસ્તાને શનિવારે દ્વિપક્ષીય કરાર હેઠળ અહીં ભારતીય હાઈ કમિશનને તેની જેલોમાં બંધ 42 નાગરિકો અને 266 માછીમારો સહિત કુલ 308 ભારતીય કેદીઓની યાદી સોંપી છે. વિદેશ કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું બંને દેશો વચ્ચે કોન્સ્યુલર એક્સેસ પર 2008ના કરારની જોગવાઈઓને અનુરૂપ છે. રાજદ્વારી ઍક્સેસનો અર્થ એ છે કે દેશમાં વિદેશી નાગરિકને તેના દેશના દૂતાવાસ અધિકારીઓનો સંપર્ક કરવાનો અધિકાર છે.


પાકિસ્તાનની જેલમાં 308 ભારતીય કેદીઓ


વિદેશ કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કે "પાકિસ્તાન સરકારે શનિવારે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને પાકિસ્તાનની જેલોમાં બંધ 308 ભારતીય કેદીઓની યાદી સોંપી છે," ભારત સરકારે પણ ભારતીય જેલમાં બંધ પાકિસ્તાની કેદીઓની યાદી નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને સોંપી છે.” બંને દેશોએ એકબીજાના દેશમાં બંધ કેદીઓની યાદી શેર કરવા માટે કરાર કર્યો છે. તે અંતર્ગત ભારત અને પાકિસ્તાન એકબીજાને માહિતી આપે છે.


ભારતની જેલોમાં 417 પાકિસ્તાની કેદીઓ કેદ 


આ યાદી અનુસાર, ભારતની જેલોમાં 417 પાકિસ્તાની કેદીઓ છે, જેમાંથી 343 નાગરિકો અને 74 માછીમારો છે. ઈસ્લામાબાદે ભારત સરકારને પાકિસ્તાનના સજા પૂરી ચુકેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરવા અને તેમને સોંપવા માટે વિનંતી કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ભારતે પણ પાકિસ્તાનને વિનંતી કરી છે કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિકો અને માછીમારોની મુક્તિ સુધી  તેઓ તેમની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.