પાકિસ્તાનની જેલમાં કેટલા ભારતીયો કેદ છે? શાહબાઝ સરકારે ભારતને સોંપ્યું કેદીઓનું લિસ્ટ


  • Published By :
  • Published Date : 2023-07-02 13:21:49

પાકિસ્તાને શનિવારે દ્વિપક્ષીય કરાર હેઠળ અહીં ભારતીય હાઈ કમિશનને તેની જેલોમાં બંધ 42 નાગરિકો અને 266 માછીમારો સહિત કુલ 308 ભારતીય કેદીઓની યાદી સોંપી છે. વિદેશ કાર્યાલયના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પગલું બંને દેશો વચ્ચે કોન્સ્યુલર એક્સેસ પર 2008ના કરારની જોગવાઈઓને અનુરૂપ છે. રાજદ્વારી ઍક્સેસનો અર્થ એ છે કે દેશમાં વિદેશી નાગરિકને તેના દેશના દૂતાવાસ અધિકારીઓનો સંપર્ક કરવાનો અધિકાર છે.


પાકિસ્તાનની જેલમાં 308 ભારતીય કેદીઓ


વિદેશ કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે, કે "પાકિસ્તાન સરકારે શનિવારે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનને પાકિસ્તાનની જેલોમાં બંધ 308 ભારતીય કેદીઓની યાદી સોંપી છે," ભારત સરકારે પણ ભારતીય જેલમાં બંધ પાકિસ્તાની કેદીઓની યાદી નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનને સોંપી છે.” બંને દેશોએ એકબીજાના દેશમાં બંધ કેદીઓની યાદી શેર કરવા માટે કરાર કર્યો છે. તે અંતર્ગત ભારત અને પાકિસ્તાન એકબીજાને માહિતી આપે છે.


ભારતની જેલોમાં 417 પાકિસ્તાની કેદીઓ કેદ 


આ યાદી અનુસાર, ભારતની જેલોમાં 417 પાકિસ્તાની કેદીઓ છે, જેમાંથી 343 નાગરિકો અને 74 માછીમારો છે. ઈસ્લામાબાદે ભારત સરકારને પાકિસ્તાનના સજા પૂરી ચુકેલા સામાન્ય નાગરિકોને મુક્ત કરવા અને તેમને સોંપવા માટે વિનંતી કરી છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ભારતે પણ પાકિસ્તાનને વિનંતી કરી છે કે પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય નાગરિકો અને માછીમારોની મુક્તિ સુધી  તેઓ તેમની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.