ભારત-પાકિસ્તાનના વર્લ્ડ કપ મેચની 108 નકલી ટિકિટો સાથે 4 આરોપીઓની ધરપકડ, જાણો શું હતી મોડસ ઓપરેન્ડી


  • Published By :
  • Published Date : 2023-10-11 17:41:01

દેશભરમાં આઇસીસી વિશ્વકપ 2023ની ક્રિકેટ મેચોને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે.  તેમાં પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અમદાવાદના નરેન્દ્ર મોદીની સ્ટેડિયમમાં 14 ઓક્ટોબરના રોજ ભારત-પાકિસ્તાન વચ્ચે યોજાવાની છે. સમગ્ર રાજ્ય અને દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો 14 ઓક્ટોબરે અમદાવાદ પહોંચવાના છે પણ ટિકિટ નથી મળી એ લોકો ટિકિટ માટે દમ લગાવી રહ્યા છે. અનેક લોકો મોટા નેતાઓની લાગવગ પણ લગાવાના પ્રયાસ કરી રહ્યા છે પણ વાત બની નથી રહી. ત્યારે અમદાવાદમાં મેચની નકલી ટિકિટના વેચાણમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બોડકદેવમાંથી મેચની 108 નકલી ટિકિટો સાથે ચાર શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


કઈ રીતે ઝડપાયા આરોપીઓ?


અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને ગઇકાલે 10 ઓક્ટોબરના રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે બોડકદેવમાં જજીસ બંગ્લો રોડ પર નિધી કોમ્પલેક્ષમાં આવેલી ક્રિષ્ણા ઝેરોક્ષ નામની દુકાનમાં ચાર શખ્સો ભેગા મળીને ભારત-પાકિસ્તાનની મેચની નકલી ટિકિટો બનાવી તેનું વેચાણ કરી રહ્યાં છે. બાતમીના આધારે આ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન ચાર શખ્સો મળી આવ્યા હતા. આ મેચની 108 નકલી ટિકિટો સાથે 4 શખ્સોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓની પૂછપરછ કરતા દુકાનનો માલિક કુશ મીણા હતો અને અન્ય ત્રણ શખ્સ રાજવીર ઠાકોર, ધ્રુમીલ ઠાકોર અને જયમીન પ્રજાપતિ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ત્રણ શખ્સો ભારત-પાકિસ્તાનની ટિકિટો પ્રિન્ટ કરાવવા આવ્યા હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ ચારેય શખ્સ પાસેથી ભારત-પાકિસ્તાન મેચની કુલ 108 નંગ ટિકિટ, ટિકિટ પ્રિન્ટ કરેલા 25 પેજ, પેન ડ્રાઇવ, પ્રિન્ટર, પેપર કટર મળી કુલ 1.98 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો.


રૂપિયા કમાવાનો કારસો 


ચારેય શખ્સોની પૂઠપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 14 ઓક્ટોબરના રોજ રમાનારી ભારત-પાકિસ્તાનની મેચની નકલી ટિકિટો છાપી તેને વેચીને રૂપિયા કમાવવાનું નક્કી કર્યું હતું. જેથી તેમણે એક પ્રિન્ટર ખરીદ્યું હતું. તેમની પાસે રહેલી સાચી ટિકિટને દુકાનમાં રાખવામાં આવેલા સ્કેનર મશીનથી સ્કેન કરી કોમ્પ્યુટરમાં સેવ કરી હતું. ફોટોશોપ સોફ્ટવેરની મદદથી સીટ નંબરની સિરિઝ બદલીને સેટ કરી કલર પ્રિન્ટ કાઢી હતી અને ટિકિટનું કટિંગ કરીને વેચાણ કર્યું હતું. ગઇકાલે પણ તેઓ ફરીથી નકલી ટિકિટોની પ્રિન્ટ કાઢીને વેચાણ કરવાના હતા. ચારેય લોકો સામે કલમ 120 બી, 406, 420, 465, 467 અને 471 સહિતની કલમો લગાવામાં આવી છે. જો કે ચારેય લોકો નકલી ટિકિટ વેચવાનો પ્લાન બનાવી રહ્યા હતા અને પોલીસે તેમને પકડી પાડ્યા છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ લોકોએ કોઈને ટિકિટ વેચી છે કે નહીં. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.